ચાણક્ય: તમારું અધોપતન થશે, જો લગ્ન કરશો આવી મહિલા સાથે તો!
ચાણક્યનું અર્થશાસ્ત્ર આજે દુનિયાભરમાં પ્રખ્યાત છે. આજે પણ તેમનું અર્થશાસ્ત્ર અનેક મોર્ડન સમાજની મુશ્કેલીઓનું સમાધાન શોધવામાં સચોટ પણે સક્ષમ છે. ચાણક્ય એક ઉત્તમ નિરીક્ષક અને દૂરદ્રષ્ટ્રિા હતા. અને આજ કારણે અર્થશાસ્ત્ર સિવાય પણ માનવ સંબંધો પર પણ તેમણે તેમના અનેક મહત્વપૂર્ણ નિરીક્ષણો વ્યક્ત કર્યા હતા. જે દ્વારા તમે તમારા જીવનના નિર્ણયોને વધુ યોગ્યપણે લઇ શકો.
તે જ રીતે ચાણક્યએ કેવી મહિલા સાથે લગ્ન કરવા જોઇએ તે અંગે પણ કેટલીક મહત્વપૂર્ણ સૂચનાઓ આપી હતી. જે મુજબ કેવી મહિલાઓ સાથે લગ્ન કરવાની ચાણક્યએ ના પાડી છે તે વિષે જાણો નીચેના આ ફોટોસ્લાઇડરમાં. જેથી કરીને તમે પણ તમારા જીવનનો મહત્વનો નિર્ણય યોગ્ય માપદંડ સાથે લઇ શકો...
ખાલી સુંદરતા કંઇ કામની નથી
ચાણક્યનું માનવું હતું કે ખાલી સુંદર હોવાથી જ ઘરની જવાબદારી નથી નીભાવી શકાતી. એક સ્ત્રી સુંદરતાની સાથે બુદ્ધશાળી હોય તો તેની સાથે લગ્ન કરવા સમજદારી ભરેલા છે. સૌદર્યં જરૂરી છે પણ સૌદર્ય સાથે બુદ્ધી સોનામાં સુંગધ સમાન છે.
"ખરાબ કૌટુંબિક પૃષ્ઠભૂમિ"
વ્યક્તિનો આચાર વિચાર તે જેવા વ્યક્તિઓ સાથે રહે છે તેવો થઇ જાય છે. માટે જ જો ખરાબ કૌટુંબિક પુષ્ઠભૂમિ તેવી સ્ત્રી સાથે લગ્ન કરવાથી તેવા જ સંસ્કારો વાળી પત્ની મળશે. જેથી આવી મહિલા સાથે લગ્ન ના કરવા જોઇએ.
ઉદ્ધત અને કઠોર
ઉદ્ધત અને ખરાબ કે કઠોરતાની હંમેશા વાતચીત કરતી મહિલાઓથી દૂર રહેવું જોઇએ. આવી મહિલાઓ તમને આખું જીવન શાંતિથી જીવવા નહીં દે.
ખરાબ સ્વભાવ
ખરાબ સ્વભાવ વાળી મહિલા તમારું અને તેનું બન્નેનું જીવન ખરાબ કરી શકે છે. તો આવી મહિલાઓ જોડે લગ્ન ના કરો.
જુઠ્ઠી
જે મહિલાઓ એક જુઠ્ઠાણું બોલે છે તે તમને ક્યારેક ને ક્યારેક જુઠ્ઠુ બોલીને છેતરી શકે છે. આવી મહિલાઓથી લગ્ન ના કરવા જોઇએ.
અવિશ્વાસ
જે મહિલા પોતાના પરિવારજનો કે મિત્રોથી અવિશ્વાસ કરે છે તે તમારી સાથે પણ અવિશ્વાસ કે દગો કરી શકે છે માટે આવી મહિલા સાથે લગ્ન ના કરવા જોઇએ.
ઘરકામ
ચાણક્યના કહેવા મુજબ જે મહિલાઓને ઘરની જવાબદારી વિષે બિલકુલ પણ જાણકારી નથી ધરાવતી તેવી મહિલા સાથે લગ્ન ના કરવા જોઇએ. આવી મહિલાઓ ઘર યોગ્ય રીતે નથી ચલાવી શકતી. ત્યારે ચાણક્યની આ વાતોને શબ્દસહ માનવી કે નહીં તે ચર્ચાનો વિષય છે. પણ તેમ છતાં ધણાં લોકો આવી વાતોને પ્રાધાન્ય આપે છે.