Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Divorce Tips in Gujarati: છોડીશ પણ નહીં અને સાથે પણ નહીં રહું, આવી પત્ની સામે કેવી રીતે કરશો કાર્યવાહી

Divorce Tips in Gujarati: વર્તમાન સમયમાં લગ્ન તૂટવાના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેનું મુખ્ય કારણ આપસી સહમતીનો અભાવ છે.

ઘણીવાર પત્નીને સાસરીમાં ન રહેવું હોય તો તે પિયરમાં જતી રહે છે, અને ફરી પાછી સાસરે આવતી નથી. આવા કિસ્સામાં પતિ શું કરી શકે છે, એ વિશે આપણે આ અહેવાલમાં આપણે જાણીશું.

લગ્નનો અર્થ ત્યારે જ પૂર્ણ થાય છે, જ્યારે પતિ-પત્ની સાથે રહે છે. ભારત જેવા દેશમાં જ્યાં લગ્ન એક પરંપરા કરતા ઘણુ વધારે છે, ત્યાં પતિ-પત્ની માટે હંમેશા સાથે રહેવું એક સારો સંકેત માનવામાં આવે છે. પણ દર વખતે આવું બનતું નથી.

ઘણી વખત ઘરમાં નાની-નાની ઝઘડાને કારણે પત્ની સાસરિયાનું ઘર છોડીને જતી રહે છે. ઘણી વખત આ નાના ઝઘડા પણ નથી હોતા.

આવા કિસ્સાઓમાં, પત્ની ઘણીવાર કોઈ કારણ વગર તેના સાસરેથી નીકળી જાય છે, અને લાંબા સમય સુધી પાછી આવતી નથી.

ઘણી વખત આવા કિસ્સાઓમાં પતિઓને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જ્યારે પત્નીઓ બોલાવવા છતાં પણ પાછી આવતી નથી, ત્યારે તે તેમના માટે મુશ્કેલીનું કારણ બની જાય છે.

આવી સ્થિતિમાં યોગ્ય કાનૂની ઉપાય શું છે, તે સમજવું આપણા બધા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ અહેવાલમાં આપણે જાણીશું કે, જો પત્ની કોઈ કારણ વગર પિયર જતી રહે તો તેની સામે આપણે શું કાર્યવાહી કરી શકીએ છીએ?

હિન્દુ મેરેજ એક્ટ 1955ની કલમ 9 હેઠળ, કોઈ પણ કારણ વગર સાસરિયાનું ઘર છોડનાર પત્નીને કાનૂની નોટિસ મોકલી શકાય છે. આ ઉપરાંત, પતિને તેની પત્નીને પરત લાવવા માટે ફેમિલી કોર્ટ અથવા ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં પિટિશન દાખલ કરવાનો પણ અધિકાર હશે.

Divorce Tips in Gujarati

ઉલ્લેખનીય છે કે, જો કોર્ટને ખબર પડે કે, પત્ની કોઈ નક્કર આધાર વગર તેના પતિથી અલગ રહે છે, તો કોર્ટ તેને સાથે રહેવા માટે આદેશ આપી શકે છે.

આ અહેવાલમાં નક્કર કારણોનો અર્થ તે તમામ આધારો છે, જે ક્રૂરતાની શ્રેણીમાં આવે છે અને જેને હિન્દુ મેરેજ એક્ટ 1955 હેઠળ છૂટાછેડા માટેના આધાર તરીકે ગણવામાં આવે છે.

હિન્દુ મેરેજ એક્ટ 1955ની કલમ 9 હેઠળ તમારા વૈવાહિક અધિકારોને પુનઃસ્થાપિત કરવા માટે, નીચેની શરતો પૂરી કરવી જરૂરી રહેશે :

  • પતિ કે પત્ની બંનેમાંથી કોઈ પણ કારણ આપ્યા વગર અલગ રહે છે.
  • કોર્ટે સંતુષ્ટ થવું જોઈએ કે, અરજીમાં ઉલ્લેખિત નિવેદનો સાચા છે.
  • એવી કોઈ કાનૂની સત્તા હોવી જોઈએ કે, જેના આધારે અરજી નકારી શકાય.

આવા સમયે હિન્દુ લગ્ન અધિનિયમની કલમ 9 હેઠળ કોઈપણ અરજી દાખલ કરવા માટે, તેમાં કેટલાક આવશ્યક તત્વો હોવા પણ જરૂરી છે.

આ આવશ્યક તત્વો શું છે?

  • અરજદાર અને પ્રતિવાદી વચ્ચેના લગ્ન માન્ય હોવા જોઈએ.
  • અરજદાર અને પ્રતિવાદી વચ્ચે કોઈ જાતીય સંભોગ નથી.
  • કોઈ પણ યોગ્ય કારણ વગર એકબીજાથી અલગ થઈ રહ્યા છે.

કોર્ટ દ્વારા આપવામાં આવેલા હુકમ પછી પણ જો પત્ની તેનું પાલન ન કરે અને તેના સાસરે પરત ન આવે તો સીપીસીના આદેશ 21, નિયમ 32 હેઠળ તેને સિવિલ જેલમાં અટકાયત અથવા તેની મિલકત જપ્તીની સજા થઈ શકે છે.

હિન્દુ મેરેજ એક્ટની કલમ 9 હેઠળ દાખલ કરવામાં આવેલી અરજીમાં પુરાવાનો બોજ અરજદાર પર રહેલો છે. એકવાર કોર્ટ સંતુષ્ટ થઈ જાય, પુરાવાનો બોજ પ્રતિવાદી પર જાય છે.

પી રાજેશ કુમાર બાગમાર વિ સ્વાતિ રાજેશ કુમાર બગમાર, 2008ના કેસ

પી રાજેશ કુમાર બાગમાર વિ સ્વાતિ રાજેશ કુમાર બગમાર, 2008ના કેસમાં કોર્ટે જણાવ્યું હતું કે, શરૂઆતમાં પુરાવાનો બોજ અરજદાર પર છે તે સાબિત કરવા માટે કે પ્રતિવાદી કોઈપણ વ્યાજબી કારણ વગર અરજદાર સાથે રહેતો નથી, અને જ્યારે કોર્ટ અરજદાર દ્વારા કરવામાં આવેલા નિવેદનોથી સંતુષ્ટ થાય છે, ત્યારે આ પ્રકારના ત્યાગ માટે વાજબી આધાર અસ્તિત્વમાં છે, તે સાબિત કરવા માટે બોજ પ્રતિવાદી પર બદલાય છે. અહીં યોગ્ય આધારનો અર્થ એ છે કે, જેના આધારે છૂટાછેડાની અરજી દાખલ કરવામાં આવે છે, જેમ કે ક્રૂરતા, નપુંસકતા અથવા વ્યભિચાર.

હિન્દુ મેરેજ એક્ટની કલમ 9 ઉપરાંત ભારતીય છૂટાછેડા કાયદાની કલમ 32 અને 33, સ્પેશિયલ મેરેજ એક્ટની કલમ 22 પણ વ્યક્તિના વૈવાહિક અધિકારોને પુનઃસ્થાપિત કરવા માટે ઉપલબ્ધ છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X