For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો મહાભારતની પાંચાલીની 10 અજાણી વાતો

|
Google Oneindia Gujarati News

દ્વૌપદીને પાંચાલી (એટલે કે પાંચ રાજ્યોની), યજ્ઞસેની (એટલે કે યજ્ઞમાંથી ઉત્પન થયેલી), મહાભારતી (ભારતના પાંચ મહાન વંશજોની પત્ની) અને સૌરંઘ્રી પણ કહેવાય છે.

દ્વૌપદીનું ચરિત્ર મહાભારતમાં વિશેષ સ્થાન ધરાવે છે. ઇતિહાસમાં દ્વૌપદી જેવી કોઇ અન્ય સ્ત્રી નથી થઇ. મહાભારતમાં જેટલો અન્યાય દ્વૌપદી સાથે થયો છે તેટલો આ મહાકથામાં અન્ય કોઇ પણ સ્ત્રી સાથે થયો નથી.

ત્યારે ચલો તમને જણાવીએ દ્વૌપદી વિશે કેટલીક એવી વાતો જે કોઇ નથી જાણતું.

એવું થાત તો દ્વૌપદીના પાંચના બદલે 14 પતિ હોત!

એવું થાત તો દ્વૌપદીના પાંચના બદલે 14 પતિ હોત!

દ્વૌપદીએ ભગવાન શિવ જોડે વરદાન માંગ્ય હતું કે તેને 14 ગુણવાળો પતિ મળે. પણ કોઇ પણ એક વ્યક્તિમાં 14 ગુણ એકી સાથે ના હોય. માટે ભગવાને તેને 5 વ્યક્તિઓની પત્ની બનવાનું કહ્યું. જેથી આ 5 વ્યક્તિઓમાં સામૂહિક રીતે 14 ગુણ તેને મળી શકે.

પ્રાચીન હોવા છતાં દ્વૌપદી હતી અર્વાચીન

પ્રાચીન હોવા છતાં દ્વૌપદી હતી અર્વાચીન

દ્વૌપદી પ્રાચીનકાળની મહિલા હતી પણ તેનામાં આજની આધુનિક યુગની મહિલાઓ જેવો જ સહાસ હતો. તેને પોતાની સાથે થયેલા અન્યાય સામે અવાજ ઉઠાવ્યો. જ્યારે તેનું ચીર હરણ કરવામાં આવ્યું ત્યારે તેને રાજા ઘૃતરાષ્ટ્ર, મહાન યૌદ્ધા ભીષ્મ, અને તેના પાંચેય પતિનું ભરી સભામાં અપમાન કરી પોતાના શીલ માટે અવાજ ઉઠાવ્યો હતો.

દ્વૌપદીએ કદી બાળપણ નથી માણ્યું

દ્વૌપદીએ કદી બાળપણ નથી માણ્યું

દ્વૌપદીનું કદી બાળપણ હતું જ નહીં. તેનો જન્મ એક વ્યસ્ક સ્ત્રી તરીકે થયો હતો. દ્વૌપદીના પિતા પાંચાલ નરેશ રાજા દ્રુપદ યજ્ઞ કરી ભગવાન જોડે વરદાન માંગ્યુ હતું. દ્રુપદ કુરુ રાજવંશનો વિનાશ ઇચ્છતો હતો. જેના ફળસ્વરૂપે અગ્નિમાંથી દ્વૌપદીનો જન્મ થયો. એક વ્યસ્ક તરીકે જન્મ લેવાના કારણે દ્વૌપદી કદી બાળપણને માણ્યું નહીં.

મહાકાલીનો અવતાર દ્વૌપદી

મહાકાલીનો અવતાર દ્વૌપદી

દક્ષિણ ભારતમાં દ્વૌપદીને મહાકાલીનો અવતાર માનવામાં આવે છે. જેનો જન્મ અભિમાની અને પુરુષપ્રધાન રાજાઓના વિનાશ માટે થયો હતો.

શું દ્વૌપદીને ઋષિ દુર્વાસાને બચાવી હતી

શું દ્વૌપદીને ઋષિ દુર્વાસાને બચાવી હતી

દ્વૌપદીના ચીરહરણ વખતે કહેવાય છે કે કૃષ્ણ ભગવાને તેમના શીલની રક્ષા કરી. પણ અન્ય એક વાર્તા મુજબ દ્વૌપદીના ચીરહરણ વખતે ઋષિ દુર્વાસાના વરદાને દ્વૌપદીની રક્ષા કરી તેવું મનાય છે. કહેવાય છે કે ઋષિ દુર્વાસા જ્યારે નદીમાં નાહી રહ્યા હતા ત્યારે તેમની લૂંગી પાણીમાં વહી ગઇ તે સમયે દ્વૌપદી પોતાની સાડીનો એક ટૂકડો કાપી દુર્વાસાના શીલની રક્ષા કરી હતી. દુર્વાસા દ્વૌપદીને ત્યારે વરદાન આપ્યું કે તે પણ આ જ રીતે સમય પડે તેના શીલની રક્ષા કરશે.

દ્વૌપદી આપ્યો ઘટોત્કચને શ્રાપ

દ્વૌપદી આપ્યો ઘટોત્કચને શ્રાપ

ભીમ અને હિડમ્બાના પુત્ર ઘટોત્કચ જ્યારે પહેલી વાર પિતાના રાજ્યમાં આવ્યો ત્યારે તેને દ્વૌપદી જાડે સોતેલી મા તરીકે અયોગ્ય વહેવાર કર્યો. જેનાથી ક્રોધિત થઇને દ્વૌપદીએ તેને શ્રાપ આપ્યો કે તેનું જીવન ખૂબ જ ટૂંકું હશે અને તે કોઇ યુદ્ધ લડ્યા વગર જ મરી જશે.

દ્વૌપદીના વિભિન્ન અવતાર

દ્વૌપદીના વિભિન્ન અવતાર

નારદ પુરાણ અને વાયુ પુરાણ મુજબ દ્વૌપદી દેવી શ્યામલા (ધર્મની પત્ની), ભારતી (વાયુની પત્ની), શચિ (ઇન્દ્રની પત્ની), ઉષા (અશ્વિનની પત્ની) અને પાર્વતી (શિવની પત્ની)નો સંયુક્ત અવતાર હતી.

દ્વૌપદીની શર્ત

દ્વૌપદીની શર્ત

દ્વૌપદીએ જ્યારે પાંચ પાંડવો સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું ત્યારે તેણે એક શરત મૂકી કે પાંચેય પાંડવ લગ્ન બાદ અન્ય કોઇ સ્ત્રી સાથે આજીવન લગ્ન નહીં કરે. નોંધનીય છે કે એ સમયે રાજાને અનેક રાણીઓ કરવાની પ્રથા હતી. ત્યારે આ શરત મૂકી દ્વૌપદી પોતાનું મહત્વ બનાવી રાખ્યું.

દ્વૌપદી આપ્યો કૂતરાને શ્રાપ

દ્વૌપદી આપ્યો કૂતરાને શ્રાપ

પંજાબી લોકકથા મુજબ પાંચેય પાંડવ વચ્ચે સહમતિ હતી કે દર રોજ રાત્રે જે ભાઇ દ્વૌપદીના કક્ષમાં જાય તેને પોતાના ચપ્પલ બહાર મૂકી દેવા. જેથી અન્ય કોઇ ભાઇ એ કક્ષામાં ના જાય. પણ એક રાત જ્યારે યુધિષ્ઠિર દ્વૌપદીના કક્ષમાં હતા ત્યારે એક કૂતરો યુધિષ્ઠિરના ચંપલ લઇને ભાગી ગયો. અને એવા સમયે અજાણતા અર્જૂન દ્વૌપદીના કક્ષમાં પહોંચી ગયો. આવી અશોભીન સ્થિતિથી લજ્જિત થઇને દ્વૌપદીએ કૂતરોને શ્રાપ આપ્યો કે આખી દુનિયા તેને મૈથ્યુન કરતી જોશે.

કૃષ્ણ અને દ્વૌપદીની મિત્રતા

કૃષ્ણ અને દ્વૌપદીની મિત્રતા

મહાભારત એક પ્રાચીન કથા હોવા છતાં ખૂબ જ આધુનિક હતી. તે કથામાં પહેલી વાર એક સ્ત્રી અને એક પુરુષ એક ઉત્તમ મિત્ર પણ હોઇ શકે તે વાતનું સુંદરતા સાથે દર્શાવામાં આવી. કૃષ્ણ હંમેશા દ્વૌપદીને સખી કહી સંબોધતા અને દ્વૌપદી પણ કૃષ્ણને પ્રિય મિત્ર કહેતી. તેમની મિત્રતા આ કથામાં ખૂબ જ અનન્ય રીતે દર્શાવવામાં આવી છે.

English summary
fascinating facts about Draupadi I bet you didn’t know. Mahabharata is full of innumerable interesting facts and teachings. There are some hidden facts of Mahabharata about which hardly anyone told you or you ever thought of. Some such secrets of Mahabharata are as follows.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X