Pics: અમદાવાદના આકાશમાં જોવા મળ્યું વિમાની કરતબ
અમદાવાદ, 1 એપ્રિલ: આજે પહેલી એપ્રિલ છે આજથી અમદાવાદના આકાશમાં વિમાની કરતબ જોવા મળશે. 1 એપ્રિલથી 4 એપ્રિલ સુધી અમદાવાદની સાબરમતી રિવરફ્રંટ પર એર શોનું આયોજન કરવામાં આવ્યું છે. યુકે સ્થિત બ્રિટિશ એરોબેટિક્સ ચેમ્પિયન્સ સમગ્ર વિશ્વમાં ફ્લાઇંગ એર શોનું આયોજન કરે છે. 4 એપ્રિલ સુધી સવારે 10.30 વાગ્યે અને બપોરે 3.30 વાગ્યે એર શોનો આનંદ અમદાવાદીઓ માણી શકશે.
ગુજરાત એરો કોન્કલેવ 2015નું ઉદઘાટન કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી અશોક ગજપતિ અને ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલના વરદ હસ્તે વસ્ત્રાપુર ખાતે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નાગરિક ઉડ્ડયન મંત્રી સૌરભભાઇ પટેલ અને રાજ્યકક્ષાના ઉડ્ડયન મંત્રી જશાભાઇ બારડે પણ હાજરી આપી હતી. એર શોનું ઉદઘાટન સાબરમતી રિવરફ્રંટ ખાતે કરવામાં આવ્યું હતું.
પ્રથમ દિવસે અમદાવાદીઓએ ગાંધીબ્રિજથી લઇને નેહરુ બ્રિજ સુધી આ એર શોનો આનંદ માણ્યો હતો. હજી ત્રણ દિવસ સુધી આ એર શોનો આનંદ માણી શકાશે. એર શોને જોવા માટે બ્રિજ પર ટ્રાફીક જામ થઇ ગયા હતા. તેમજ કોટ વિસ્તારમાં બીઆરટીએસ સેવાને બંધ કરી દેવામાં આવી હતી.
અત્રે નોંધનીય છે કે કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી અશોક ગજપતિ રાજુ પુસાપતિ સાથે મુલાકાત કરીને મુખ્યમંત્રી આનંદીબેન પટેલે ગુજરાતમાં સિવિલ એવિયેશન ક્ષેત્રે રહેલી વિશાળ તકોને ઈનોવેટીવ આઈડિયાઝ દ્વારા સાકાર કરવા અંગે ચર્ચા કરી હતી.
આવો એક નજર કરીએ ગુજરાત એર શો પર...
અમદાવાદના આકાશમાં જોવા મળ્યું વિમાની કરતબ
આજે પહેલી એપ્રિલ છે આજથી અમદાવાદના આકાશમાં વિમાની કરતબ જોવા મળશે. 1 એપ્રિલથી 4 એપ્રિલ સુધી અમદાવાદની સાબરમતી રિવરફ્રંટ પર એર શોનું આયોજન કરવામાં આવ્યું છે. યુકે સ્થિત બ્રિટિશ એરોબેટિક્સ ચેમ્પિયન્સ સમગ્ર વિશ્વમાં ફ્લાઇંગ એર શોનું આયોજન કરે છે.
અમદાવાદના આકાશમાં જોવા મળ્યું વિમાની કરતબ
4 એપ્રિલ સુધી સવારે 10.30 વાગ્યે અને બપોરે 3.30 વાગ્યે એર શોનો આનંદ અમદાવાદીઓ માણી શકશે.
અમદાવાદના આકાશમાં જોવા મળ્યું વિમાની કરતબ
ગુજરાત એરો કોન્કલેવ 2015નું ઉદઘાટન કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી અશોક ગજપતિ અને ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલના વરદ હસ્તે વસ્ત્રાપુર ખાતે કરવામાં આવ્યું હતું.
અમદાવાદના આકાશમાં જોવા મળ્યું વિમાની કરતબ
આ પ્રસંગે નાગરિક ઉડ્ડયન મંત્રી સૌરભભાઇ પટેલ અને રાજ્યકક્ષાના ઉડ્ડયન મંત્રી જશાભાઇ બારડે પણ હાજરી આપી હતી. એર શોનું ઉદઘાટન સાબરમતી રિવરફ્રંટ ખાતે કરવામાં આવ્યું હતું.
અમદાવાદના આકાશમાં જોવા મળ્યું વિમાની કરતબ
પ્રથમ દિવસે અમદાવાદીઓએ ગાંધીબ્રિજથી લઇને નેહરુ બ્રિજ સુધી આ એર શોનો આનંદ માણ્યો હતો. હજી ત્રણ દિવસ સુધી આ એર શોનો આનંદ માણી શકાશે. એર શોને જોવા માટે બ્રિજ પર ટ્રાફીક જામ થઇ ગયા હતા. તેમજ કોટ વિસ્તારમાં બીઆરટીએસ સેવાને બંધ કરી દેવામાં આવી હતી.
અમદાવાદના આકાશમાં જોવા મળ્યું વિમાની કરતબ
અત્રે નોંધનીય છે કે કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી અશોક ગજપતિ રાજુ પુસાપતિ સાથે મુલાકાત કરીને મુખ્યમંત્રી આનંદીબેન પટેલે ગુજરાતમાં સિવિલ એવિયેશન ક્ષેત્રે રહેલી વિશાળ તકોને ઈનોવેટીવ આઈડિયાઝ દ્વારા સાકાર કરવા અંગે ચર્ચા કરી હતી.
અમદાવાદના આકાશમાં જોવા મળ્યું વિમાની કરતબ
ગુજરાત એરો કોન્કલેવ 2015નું ઉદઘાટન કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી અશોક ગજપતિ અને ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલના વરદ હસ્તે વસ્ત્રાપુર ખાતે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નાગરિક ઉડ્ડયન મંત્રી સૌરભભાઇ પટેલ અને રાજ્યકક્ષાના ઉડ્ડયન મંત્રી જશાભાઇ બારડે પણ હાજરી આપી હતી. એર શોનું ઉદઘાટન સાબરમતી રિવરફ્રંટ ખાતે કરવામાં આવ્યું હતું.