ગણેશોત્સવઃ જાણો કેમ કરવામાં આવે છે ગણેશ વિસર્જન?
ગણેશોત્સવઃ જાણો કેમ કરવામાં આવે છે ગણેશ વિસર્જન?
દેશ આખો આ સમયે ગણેશોત્સવમાં ડૂબ્યો છે, આ વખતે ગણપતિ ઉત્સવનો પર્વ 23 સપ્ટેમ્બર સુધી રહેશે, જેનો અર્થ કે 23 સપ્ટેમ્બરે ગણેશ વિસર્જન થશે. ગણપતિના પ્રેમમાં ડૂબેલ આખો દેશ 23 સપ્ટેમ્બરે ગણપતિ બાપાને અશ્રુપૂર્ણ વિદાય આપશે, જો કે જેટલી ધામધૂમથી બાપ્પાને લાવવામાં આવે છે તે તેટલી જ ભવ્યતાથી શ્રદ્ધાળુઓ ગણપતિ બાપાને અનંત ચૌદસના દિવસે વિદાય આપે છે.
વિસર્જન કેમ થાય છે
આમ તો લોકો ગણપતિને 3 દિવસ, 5 દિવસ અથવા 7 દિવસ સુધી રાખે છે પણ ક્યારેય તમે વિચાર્યું કે, આ 'વિસર્જન' કેમ થાય છે અને તેનું મહત્વ શું હોય છે, નહિ? તો ચાલો અહીં વિસ્તૃત જાણકારી મેળવીએ.
વિસર્જન શબ્દ કઈ રીતે બન્યો
વિસર્જન શબ્દ સંસ્કૃતના શબ્દ સાથે મળીને બન્યો છે, જેનો અર્થ થાય છે 'પાણીમાં વિલીન થવું', આ સન્માન સૂચક પ્રક્રિયા છે, જેનો ઉદ્દેશ્ય માત્ર એ જણાવવા માટેનો છે કે માણસ જે પંચતંત્વથી મળીને બન્યો છે, એક દિવસ તેમા જ વિલિન એટલે કે ભળી જશે.
વિસર્જનની પરંપરા
ગણેશજીએ જેમ મૂર્તિના રૂપે આવવા માટે ધૂળનો સહારો લેવો પડે છે, ધૂળ કુદરતે આપેલ દાન છે પરંતુ ગણેશજી જ્યારે પાણીમાં વિલીન થાય છે તો ધૂળ ફરી કુદરત સાથે જ મળી જાય છે. એટલે કે જે લીધું છે તે પરત કરવુ જ પડશે, ખાલી હાથ આવ્યા હતા અને ખાલી હાથ જ જવું પડશે. માટે વિસર્જનની પરંપરા બનાવવામાં આવી છે.