લાલ કિલ્લા વગર અધૂરી છે આઝાદીની ઉજવણી, જાણો કેવી રીતે
નવી દિલ્હી, 14 ઓગસ્ટ: એ દિવસ આવી ગયો છે જ્યારે આપણો દેશ અંગ્રેજોની ચુંગાલમાંથી છૂટ્યો હતો. 15 મી ઓગસ્ટની ઉજવણી સામાન્ય રીતે તો આખા દેશમાં, જિલ્લાઓમાં, તાલુકાઓમાં અને શાળાઓમાં થાય જ છે, પરંતુ લાલ કિલ્લા વગર આઝાદીની ઉજવણી જાણે અધૂરી છે. દર વર્ષે આ દિવસે દેશના વડાપ્રધાન લાલ કિલ્લાથી દેશની જનતાને સંબોધે છે.
એટલા માટે દેશની આન-બાન અને શાનના પ્રતિક આ લાલ કિલ્લા અંગે આવો જાણીએ કેટલીક રસપ્રદ વાતો...
- લાલ કિલ્લાના મુગલ બાદશાહ શાહજહાં દ્વારા ઇસ 1639માં બનાવવામાં આવ્યું હતું.
- આ મકાન કિલ્લા યુનેસ્કો વિશ્વ ધરોહર સ્થળમાં પોતાનું નામ નોંધાવી ચુક્યું છે.
- આ કિલ્લો લાલ બલુઆ પત્થરથી બનેલ છે એટલા માટે તેને લાલ-કિલ્લો કહે છે.
- લાલ કુલ્લો મુગલ બાદશાહ શાહજહાની નવી રાજધાની, શાહજહાનાબાદનું મહેલ હતું. આ દિલ્હી શહેરની સાતમી મુસ્લિમ નગરી હતી.
- આ કિલ્લો યમુના નદીના કિનારા પર સ્થિત છે.
- આ કિલ્લાના નક્કાશીમાં આપને ફારસી, યૂરોપીય અને ભારતીય કળાની છટા જોવા મળશે.
દેશની આ અનુપમ કૃતિ અંગે વાતો કરીએ નીચેની સ્લાઇડમાં...
કિલ્લો આઠ ભાગોમાં વહેંચાયેલો છે
આ કિલ્લો આઠ ભાગોમાં વહેચાયેલ છે, જેના નામ છે નક્કરખાના, દીવાન એ આમ, નહેર એ બહિશ્ત, જનાના, ખાસ મહેલ, દીવાન એ ખાસ, મોતી મસ્જિદ અને હયાત બખ્શ બાગ.
દેશની જનતાને સંબોધિત
આ કિલ્લાથી જ ભારતના વડાપ્રધાન સ્વતંત્રતા દિવસ એટલે કે 15 ઓગસ્ટના રોજ દરેક જનતાને સંબોધિત કરે છે. આ દિલ્હીનું સૌથી મૌટુ સ્મારક છે.
ભારતીય સેના
આઝાદી બાદ ભારતીય સેનાએ આ કિલ્લાનું નિયંત્રણ લઇ લીધું હતું પરંતુ 56 વર્ષ બાદ ડિસેમ્બર 2003માં ભારતીય સેનાએ તેને ભારતીય પ્રવાસન વિભાગને સુપરત કરી દીધો.
લશ્કર એ તોયેબા
આ કિલ્લા પર ડિસેમ્બર 2000માં લશ્કર એ તોયેબાના આતંકવાદીઓ દ્વારા હુમલો પણ થયો હતો. જેમાં બે સૈનિક અને એક નાગરિક મૃત્યું થયું હતું.
3000 લોકો
એક સમય હતો જ્યારે આ કિલ્લામાં એક સાથે 3000 લોકો બેસતા હતા, પરંતુ હવે આ પ્રવાસન સ્થળ બની ચુક્યું છે, જોવા માટે લોકો વિદેશોથી આવે છે.
આઝાદી પહેલાનું દિલ્હી