
Janmashtami 2019: શું તમે ભગવાન શ્રીકૃષ્ણ વિશેની આ વાતો જાણો છો?
ભાદ્રપદ મહિનાની કૃષ્ણપક્ષની અષ્ટમીની તિથિ 23 ઓગસ્ટ છે, ભગવાન કૃષ્ણની જન્મજયંતિ આ દિવસે ઉજવવામાં આવે છે. ગ્રેગોરીયન કેલેન્ડર મુજબ, કૃષ્ણ જન્માષ્ટમી દર વર્ષે ઓગસ્ટ અથવા સપ્ટેમ્બર મહિનામાં આવે છે. તે જ પ્રમાણે જન્માષ્ટમી 23 ઓગસ્ટના રોજ ઉજવવામાં આવશે તથા રોહિણી નક્ષત્રને મહત્વ આપનારા લોકો 24 ઓગસ્ટે જન્માષ્ટમીની ઉજવણી કરી શકે છે.

શેષ નાગનો અવતાર હતા બલરામ
રોહિણીના પુત્રનું નામ બલરામ હતું, જે શેષનાગના અવતાર હતા. બલરામનો જન્મ અષ્ટમીના બે દિવસ પહેલા એટલે કે છઠના દિવસે ઉજવવામાં આવે છે.

મહાભારત, પુરાણો અથવા ભાગવતમાં ક્યાંય રાધા નો ઉલ્લેખ નથી
- બધા જાણે છે કે ભગવાન શ્રીકૃષ્ણ માત્ર રાધાને જ પ્રેમ કર્યો છે, પરંતુ મહાભારત, પુરાણો અથવા ભાગવતમાં ક્યાંય રાધા નો ઉલ્લેખ નથી.
- રાધા બરસાનાની રહેવાસી હતી, એવું કહાનીઓમાં વર્ણવાયેલ છે, પરંતુ નંદગોપાલની આ સખી તેમન જેટલી નહિ પણ ઉંમરમાં તે-નાથી મોટી હતી.

ભગવાન શ્રી કૃષ્ણની ગદાનું નામ કૌમોદકી છે.
- ભગવાન શ્રી કૃષ્ણના ધનુષનું નામ શારંગ અને અસ્ત્રનું નામ સુદર્શન ચક્ર હતું.
- ભગવાન શ્રી કૃષ્ણની ગદાનું નામ કૌમોદકી અને શંખ નામનું પંચજન્ય હતું.
- શ્રી કૃષ્ણ એક ઐતિહાસિક પુરુષ હોવાના સ્પષ્ટ પુરાવા છાંદોગ્ય ઉપનિષદના ઉલ્લેખમાં મળી આવે છે.

કર્મ, ભક્તિ અને જ્ઞાન
- વૃંદાવનની વાર્તાઓમાં કાળિયો નાગ, ગોવર્ધન, રાસલીલા અને મહારાસની વાર્તાઓ વધુ પ્રખ્યાત છે.
- શ્રી કૃષ્ણએ કાળીયા નાગથી યમુનાને મુક્ત કરી હતી. યમુના, ગંગા, સરસ્વતી નદીઓ ક્રમશ કર્મ, ભક્તિ અને જ્ઞાનના પ્રતીક તરીકે માનવામાં આવી છે.
આ પણ વાંચો: આવી રીતે ખતમ થઈ હતી રાધા અને કૃષ્ણની પ્રેમ કહાણી