pics: આ સાધારણ કારમાં ફરે છે નરેન્દ્ર મોદી
ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી, જે હાલના દિવસોમાં દેશભરમાં પ્રધાનમંત્રી પદના ઉમેદવાર બનવાને લઇને ઘણા ચર્ચામાં છે. આમ તો નરેન્દ્ર મોદી પોતાના દ્વારા ગુજરાતમાં કરવામાં આવેલા વિકાસ કાર્યો અને ગોધરા કાંડને લઇને પહેલાંથી ચર્ચામાં રહ્યાં છે, પરંતુ આ વખતે દેશભરમાં તેમને પ્રધાનમંત્રી તરીકે જોવામાં આવવાને લઇને ચર્ચામાં છે. નરેન્દ્ર મોદી એક સાધારણ જીવનશૈલીના પક્ષઘરમાં છે, પરંતુ તે આધુનિકતામાં પણ એટલું જ માને છે.
નરેન્દ્ર મોદી અંગે એવી ઘણી બધી બાબતો છે જે તમામ લોકો નહીં જાણતા હોય. આ જ બાબતોમાની એક બાબત અમે શોધી છે, જીહાં, જ્યાં દેશભરમાં આ વ્યક્તિને પ્રધાનમંત્રી બનાવવાની કવાયદ ચાલી રહી છે, ત્યાં તેમની સાથે જોડાયેલી કેટલીક નાની પણ અચરજ બાબતોને જાણવાની લાલસા બધાને છે. નરેન્દ્ર મોદીનું આખું નામ નરેન્દ્ર દામોદર દાસ મોદી છે. નરેન્દ્ર મોદીનો જન્મ ગુજરાતના મહેસાણા જિલ્લાના એક મધ્યમવર્ગીય પરિવારમાં થયો હતો.
પરંતુ પોતાના બેબાક અંદાજ અને બુદ્ધિમતાના જોરે નરેન્દ્ર મોદી ચાની દૂકાનથી લઇને મુખ્યમંત્રી સુધીનો સફર નક્કી કર્યો છે. જી હાં, શરૂઆતી જીવનમાં નરેન્દ્ર મોદી ભાય સાથે મળીને એક ચાની દૂકાન ચલાવતા હતા, અને આજે એ જ ગંભીર અને સાહસી ખભાઓ પર દેશને ચલાવવાની જવાબદારી આવવાની સંભાવના જોવા મળી રહી છે. આજે અમે તેમને અમારા લેખમાં નરેન્દ્ર મોદી સાથે જોડાયેલી કેટલીક રોચક વાતો સાથે જ તેમની સાધારણ પરંતુ શાહી સવારી અંગે જણાવીશું તો ચાલો તસવીરોમાં જોઇએ નરેન્દ્ર મોદીની શાહી સવારીને.
મહિન્દ્રા સ્કોર્પિયોમાં ફરે છે નરેન્દ્ર મોદી
નરેન્દ્ર મોદી અન્ય રાજનેતાઓની જેમ કોઇ લગ્ઝરી અને મોંઘી કારમાં નહીં પરંતુ દેશમાં બનેલી મહિન્દ્રા સ્કોર્પિયોમાં સફર કરવાનું પસંદ કરે છે. નરેન્દ્ર મોદી પોતાના કાર્યો માટે મહિન્દ્રાની આ શ્રેષ્ઠ એસયૂવીમાં સફર કરતા જોવા મળે છે.
મહિન્દ્રા સ્કોર્પિયોમાં ફરે છે નરેન્દ્ર મોદી
અમે તેમને જેમ પહેલાં જણાવ્યું તેમ મોદી એક સાધારણ જીવનશૈલીના પક્ષમાં છે. તે અર્નગલ ખર્ચોની વિરુદ્ધ છે. તેમનું માનવું છે કે જે કામ કરવા માટે ઓછા પૈસા આપી શકાય તેના માટે પૈસા વેડફવાથી શો ફાયદો. કદાચ એ માટે જ તે અન્ય નેતાઓની જેમ 25થી 30 લાખની સવારીના બદલે ઓછી કિંમતની મહિન્દ્રા એસયૂવીમાં સફર કરે છે.
મહિન્દ્રા સ્કોર્પિયોમાં ફરે છે નરેન્દ્ર મોદી
નરેન્દ્ર મોદીનું જીવન ઉતાર ચઢાવ વાળું રહ્યું છે. શરૂઆતના દિવસોમાં તેમની અંદર એક કૂશળ વક્તા અને નેતાના લક્ષણો હતા. એક સમયે નરેન્દ્ર મોદી આરએસએસ સભ્ય અને પ્રચારક પણ રહ્યાં છે. ગુજરાતના મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદી 7 ઓક્ટોબર 2001થી કાર્યરત છે. નરેન્દ્ર મોદીએ જ્યાં પોતાના રાજ્યમાં વિકાસની ગંગા વહેવી ત્યાં ફેબ્રુઆરી 2002માં ગોધરા કાંડ દ્વારા ઉચિત કાર્યવાહી નહી કરવા પર તેમના શાસનમાં એક કાળો દાગ લાગેલો છે.
મહિન્દ્રા સ્કોર્પિયોમાં ફરે છે નરેન્દ્ર મોદી
નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશની સૌથી મોટી વાહન નિર્માતા કંપની તાતા મોટર્સે પણ ટાના નેનોનું સંયંત્ર ગુજરાતના સાણંદમાં શરૂ કર્યું. એટલું જ નહીં પરંતુ પ્રમુખ અમેરિકન વાહન નિર્માતા કંપની જનરલ મોટર્સ, ફોર્ડનું સંયંત્ર પણ ગુજરાતમાં ચાલી રહ્યું છે. આ ઉપરાંત પ્યૂઝો સિટ્રોન અને મારૂતિ સુઝુકી પણ ગુજરાતની જેમ રુખ કરી રહી છે.
મહિન્દ્રા સ્કોર્પિયોમાં ફરે છે નરેન્દ્ર મોદી
મહિન્દ્રા સ્કોર્પિયોમાં 2.2 લીટરની ક્ષમતાના એક હોક એન્જીનનો પ્રયોગ કરવામાં આવ્યો છે. જે આ શ્રેષ્ઠ એસયૂવીને શાનદાર શક્તિ પ્રદાન કરે છે. ભારતીય બજારમાં સ્કોર્પિયોના કુલ એલએક્સ, એસએલઇ, વીએલએક્સ અને ગેટવે સહિત ચાર વેરિએન્ટ છે.
મહિન્દ્રા સ્કોર્પિયોમાં ફરે છે નરેન્દ્ર મોદી
મહિન્દ્રા સ્કોર્પિયો એલએક્સ વેરિએન્ટમાં કંપનીએ તમામ શાનદાર અને આધુનિક ફિચર્સને સામેલ કર્યાં છે. વિશેષ કરીને સ્કોર્પિયોને શ્રેષ્ઠ મસ્કયુલર બોડી, બોનેટ અને ડિઝાઇન બધાને ઝડપથી પોતાની તરફ આકર્ષિત કરી રહ્યાં છે.
મહિન્દ્રા સ્કોર્પિયોમાં ફરે છે નરેન્દ્ર મોદી
નવી સ્કોર્પિયોમાં કંપનીએ એર બેગ, માઇક્રો હાઇબ્રિડ ટેક્નોલોજી, રેન-લાઇટ સેંસર, એલોય વ્હીલ, 4 ડબલ્યુ ડી ઓપ્સન, ટાયર પ્રેસર મોનિટરિંગ સિસ્ટમ જેવા શ્રેષ્ઠ ફીચર્સ સામેલ કર્યાં છે. ભારતીય બજારમાં આ શ્રેષ્ઠ એસયૂવીની કિંમત 7.48 લાખ રૂપિયાથી લઇને 10.68 લાખ રૂપિયા સુધીની છે. આ કિંમત એક્સ શોરૂમ દિલ્હી અનુસાર આપવામાં આવી છે.
મહિન્દ્રા સ્કોર્પિયોમાં ફરે છે નરેન્દ્ર મોદી
મહિન્દ્રા સ્કોર્પિયોમાં ફરે છે નરેન્દ્ર મોદી