Parliament : સંસદમાં અદાણી-અંબાણીના નામ લઈ શકાય કે નહીં? જાણો શું છે નિયમ?
સંસદમાં આ દિવસોમાં અદાણી-અંબાણીના નામ સતત લેવાઈ રહ્યાં છે. ઉદ્યોગપતિઓને સરકારી સંપતિ સોંપી દેવાની નરેન્દ્ર મોદી સરકારની રાહુલ ગાંધી સતત આલોચના કરી રહ્યા છે.
કોંગ્રેસ સાંસદ અને નેતા વિપક્ષ રાહુલ ગાંધીએ 29 જુલાઈએ બજેટ પર ચર્ચા દરમિયાન પોતાના ભાષણમાં કેન્દ્ર સરકાર પર કટાક્ષ કર્યો હતો.

રાહુલ ગાંધીએ કહ્યું હતું કે કેન્દ્ર સરકારને જ્યાં પણ તક મળે છે ત્યાં તે યક્રવ્યુહ બનાવે છે અને અમે તેને તોડવાનું કામ કરીએ છીએ. આ દરમિયાન તેમણે બજેટનું ઉદાહરણ આપતાં અદાણી અને અંબાણીના નામ પણ લીધા હતા.
લોકસભામાં વિપક્ષના નેતા તરીકે રાહુલ ગાંધીનું ગૃહમાં આ બીજું ભાષણ હતું અને અગાઉના ભાષણની જેમ તેમના ભાષણમાંથી પણ કેટલાક શબ્દો રેકોર્ડમાંથી હટાવી દેવામાં આવ્યા છે. તેમના બીજા ભાષણમાંથી રેકોર્ડમાંથી જે શબ્દો દૂર કરવામાં આવ્યા હતા તેમાં ચાર નામ મો હન ભાગવત, અજિત ડોભાલ, અંબાણી અને અદાણી સામેલ હતા.
આ સ્થિતિમાં એક સવાલ એ ઊભો થાય છે કે શાસક પક્ષ દ્વારા રાહુલ ગાંધી અંબાણી-અદાણી અથવા ગૃહમાં અન્ય કોઈનું નામ લેવા પર શા માટે કોઈ વાંધો ઉઠાવવામાં આવ્યો? સંસદમાં તેમના નામ કેમ ન લઈ શકાય, નિયમો શું કહે છે?
નિયમ 380
લોકસભાની કાર્યપ્રણાલી અને આચરણના નિયમ 380 (હટાવવા) અનુસાર, જો અધ્યક્ષ માને છે કે ચર્ચા દરમિયાન કેટલાક શબ્દો અથવા નામોનો ઉપયોગ કરવામાં આવ્યો છે જે અભદ્ર અથવા અપમાનજનક અથવા અસંસદીય છે તો અધ્યક્ષ તરીકે તેના વિવેકબુદ્ધિ મુજબ તે શબ્દોને ગૃહની કાર્યવાહીમાંથી દૂર કરવાનો આદેશ આપી શકે છે. આ પ્રક્રિયાને એક્સપંક્શન કહેવામાં આવે છે.
આ સિવાય ભારતીય સંસદ (લોકસભા અને રાજ્યસભા)ના ગૃહોમાં ભાષણ દરમિયાન કોઈપણ બહારના વ્યક્તિનું નામ લેવા પર પ્રતિબંધ છે. આ પ્રતિબંધ સંસદીય નિયમો અને પ્રક્રિયાઓ હેઠળ લાદવામાં આવ્યો છે.
નિયમ 352
લોકસભામાં કાર્યપ્રણાલી અને કારોબારની મેન્યુઅલના નિયમ 352 જણાવે છે કે કોઈપણ સભ્ય કોઈપણ વ્યક્તિનું નામ લઈ શકે નહીં સિવાય કે તે વ્યક્તિ સંસદની કાર્યવાહીનો ભાગ ન હોય. તેવી જ રીતે રાજ્યસભાના કાર્યપ્રણાલી અને કારોબારના નિયમો હેઠળ પણ આવી જોગવાઈઓ છે. આ ઉપરાંત તે સભ્યનું નામ પણ ત્યારે જ લઈ શકાય છે જ્યારે તેની સંબંધિત માહિતી પ્રમાણિત અને ખરી હોય.
આવી સ્થિતિમાં જો રાહુલ ગાંધી સંસદમાં અંબાણી કે અદાણીનું નામ કોઈપણ પુરાવા કે તથ્યો વગર લેશે તો તે સંસદના નિયમોનું ઉલ્લંઘન ગણાશે. આ નિયમોનો હેતુ એ સુનિશ્ચિત કરવાનો છે કે સંસદની કાર્યવાહી ગરિમાપૂર્ણ અને ઉદ્દેશ્યપૂર્ણ રહે અને બહારની વ્યક્તિઓના નામ લઈને થતી ચર્ચાઓને બિનજરૂરી વિવાદોથી દૂર રાખવામાં આવે.
નિયમ 353
સંસદમાં જો કોઈ સાંસદે પોતાના ભાષણ દરમિયાન કોઈ વ્યક્તિ સામે આક્ષેપો કરવા હોય તો લોકસભાના કાર્યપ્રણાલી અને કારોબારના નિયમના નિયમ 353 હેઠળ, અધ્યક્ષ અથવા સ્પીકરે તે વ્યક્તિ વિશે જાણ કરવાની રહેશે. અગાઉથી અને જો અધ્યક્ષ અથવા સ્પીકર મંજૂરી આપે તો જ તેમની સામે આક્ષેપો કરી શકાય છે.
સંસદમાં ભાષણ આપતી વખતે ઘ્યાનમાં રાખવાના નિયમો
લોકસભાની રૂલ બુકમાં નિયમ 349 થી નિયમ 356 સુધી સંસદમાં ભાષણ દરમિયાન કઈ બાબતોનું ધ્યાન રાખવું અથવા કઈ બાબતોનો ઉલ્લેખ ન કરવો જોઈએ તેનો વિગતવાર ઉલ્લેખ છે.
નિયમ 349(1): આ નિયમ અનુસાર ગૃહમાં ભાષણ આપતી વખતે, કોઈ પુસ્તક, અખબાર અથવા પત્ર વાંચી અથવા ઉલ્લેખ કરી શકાતો નથી, જેને ગૃહની કાર્યવાહી સાથે કોઈ લેવાદેવા નથી.
નિયમ 349(2) : આ નિયમ હેઠળ કોઈપણ સભ્યને તેમના ભાષણ દરમિયાન અવાજ અથવા કોઈપણ રીતે વિક્ષેપિત કરી શકાશે નહીં.
નિયમ 349(12): આ નિયમ કહે છે કે કોઈપણ સભ્ય સ્પીકરની ખુરશી તરફ પીઠ રાખીને બેસી કે ઊભા રહી શકતો નથી.
નિયમ 349(16): આ નિયમ કહે છે કે કોઈપણ સભ્ય ગૃહમાં કોઈ ધ્વજ અથવા પ્રતીક પ્રદર્શિત કરશે નહીં. તાજેતરમાં સ્પીકર ઓમ બિરલાએ આ નિયમનો ઉલ્લેખ કર્યો હતો જ્યારે રાહુલ ગાંધીએ ભગવાન શિવની તસવીર બતાવી હતી.
-
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
