15 ઓગસ્ટ 1947: આઝાદીની રાતની કહાણી, તસવીરોની જુબાની
અલ્હાબાદ, 7 ઓગસ્ટ: 15 ઓગસ્ટ 1947 એવી રાત હતી જ્યારે દેશવાસીઓ ઊંઘ્યા ત્યારે તેઓ ગુલામ હતા પરંતુ જ્યારે તેઓ ઊંઠ્યા ત્યારે આઝાદ. જે રાત્રે ભારતના આઝાદીની જાહેરાત થવાની હતી, તે રાત્રે જ પાકિસ્તાનમાં પણ આઝાદીની નવી ઉજવણી શરૂ થઇ હતી.
આઝાદીની આ સવારની કિંમત ખૂબ જ વધારે હતી અને તેનો અંદાજો દેશ માટે કુર્બાન થનારા લોકોને પહેલાથી જ હતો. મહાત્મા ગાંધીએ આ કિંમતને સમજતા આઝાદીની ઉજવણી માટે પણ ના કહી દીધી હતી. એટલું જ નહીં તેમણે આ દિવસે 24 કલાકના ઉપવાસ રાખીને દેશવાસીઓને એ સંદેશ આપવાની કોશીશ કરી હતી કે સ્વતંત્રતાની વાસ્તવિક સવાર હજી બાકી છે.
પરંતુ આ તમામ વિષમ પરિસ્થિતિયો અને માહોલની વચ્ચે અમે આપને આજે આઝાદીની એ રાતને ફરી જીવીત કરવાની કોશીશ કરીશું જેમાં અમે અને આપ સાક્ષી ન્હોતા બની શક્યા.
જ્યારે નેહરૂજીએ આપ્યું આઝાદીનું ભાષણ
15 ઓગષ્ટ 1947ની અડધી રાત્રે નેહરૂજીએ ઐતિહાસિક ભાષણ આપતા લોકોને આઝાદીનો સંદેશ આપ્યો.
સેંટ્રલ હોલમાં થયો આઝાદીનો કાર્યક્રમ
15 ઓગસ્ટની રાત્રે આઝાદીની ઉજવણી શરૂ થઇ હતી, જેની ઔપચારીક શરૂઆત સંસદ ભવનથી શરૂ થઇ હતી.
નેહરૂ અને ગાંધી, દેશ માટે નવી દિશા તૈયાર કરી
8 ઓગસ્ટ 1942માં 'અંગ્રેજો ભારત છોડો' આંદોલનની શરૂઆત કરવાનો નિર્ણય કોંગ્રેસની બેઠકમાં લેવામાં આવ્યો.
અને વિભાજન પર સહમતી
ભારત પાકિસ્તાનના ભાગલા માટે થયા મતદાનમાં વિભાજન માટે સમર્થન આપતા નેહરૂજી અને અન્ય નેતા.
ગફ્ફાર ખાં, ગાંધીજી અને નેહરૂજી સાથે સાથે
તસવીરમાં ગફ્ફાર ખાં, ગાંધીજી અને નેહરૂજી સાથે સાથે
વિભાજન માટે થઇ બેઠક
લોર્ડ માઉંટબેટનની સાથે પંડિત નેહરૂ અને ઝિણ્ણા વિભાજનની શરતો પર ચર્ચા કરતા નેતાઓ.
અને જ્યારે ગાંધીજી ના રહ્યા
જ્યારે નેહરૂજીને ગાંધીજીની હત્યાની મળી હતી જાણકારી, ત્યારે આફળા-ફાફળા થઇને બિરલા ભવનમાંથી બહાર નિકળતા નેહરૂજી.