ભૂત અને આત્માને બોલાવાની ભયાનક રીતો
નોંધ- આ દ્વારા અમે કોઇ પણ પ્રકારનો દાવો નથી કરતા. અને ના, અમે આ દ્વારા કોઇ પ્રકારનો અંધવિશ્વાસ ફેલાવા માંગીએ છીએ. અમે અહીં વિવિધ પ્રાપ્ત જાણકારીઓ વિષે જણાવી રહ્યા છે. અને અમે આ માટે જવાબદાર નથી.
ભૂત, પ્રેત, આત્માઓ, ગોચર- અગોચર આ બધા એક એવો વિષયો છે જેના વિષે વધુ જાણવા માટે આપણને હંમેશા તત્પર હોઇએ છીએ. વધુમાં, ખાલી આપણે જ નહીં આપણા પૂર્વજો પણ આ વિષે માન્યતા ધરાવતા હતા. અને સાયન્સ પણ આ મુદ્દાઓ પર અનેક સંશોધન કરી ચૂક્યું છે.
એટલું જ નહીં ભૂત પ્રેતને બોલાવા માટે કુઇજા બોર્ડ કે મિરર કોલિંગ જેવી પદ્ધતિઓનો ઉપયોગ દુનિયાભરમાં કરવામાં આવે છે. ત્યારે આવી જ કેટલીક પદ્ધતિઓ વિષે અમે તમને જણાવીશું આ ફોટોસ્લાઇડરમાં...
કુઇજા બોર્ડ
કુઇજા બોર્ડને સ્પિરીટ બોર્ડ પણ કહેવામાં આવે છે. આ બોર્ડ પર A-Z ઓલ્ફાબેટ અને 0-9 નંબરો લખ્યા હોય છે. સાથે જ તેની પર હા,ના, હેલો, ગુડબાય જેવા કેટલાક સિમ્બોલ દોર્યા હોય છે. અમુક લોકોનું માનવું છે કે આ દ્વારા તમે આત્મા સાથે સંપર્ક કરી શકો છો.
ટેબલ ટર્નિંગ
ટેબલ ટર્નિંગને પણ પ્રેતઆત્માને બોલાવાની એક જૂની અને જાણીતી રીત માનવામાં આવે છે. આમાં ચારથી વધુ લોકોએ ટેબલ પર હાથ રાખીને ધ્યાન કેન્દ્રિત કરવાનું હોય છે.
ભૂતિયા ઘર
અમુક લોકો પ્રેતઆત્માઓ જોડે સંપર્ક કરવા માટે ભૂતિયા ઘરમાં જઇને ધ્યાન કેન્દ્રિત કરે છે. જો કે આ ખતરનાક રીત દ્વારા અમુક લોકો અમુક અવાજો કે કોઇ પ્રકાશ જોયાનો દાવો કરે છે.
મિરર કોલિંગ
મનાય છે કે રાતના 3 વાગે મીણબત્તી લઇને અરીસા સામે જોવાથી અને બ્લડ મેરીના ઉચ્ચારો કરવાથી પણ તમે આત્માઓના સંપર્કમાં આવી શકો છો.