For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ 10 ભવિષ્યવાણીએ બદલી નાખી દુનિયાની તસવીર...

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 1 જૂન: દુનિયાભરમાં જ્યોતિષશાસ્ત્ર અને ભવિષ્યવાણીઓની સત્યતાને લઇને ઘણા વાદ-વિવાદ છે. ઘણાબધા લોકો જ્યોતિષ પર વિશ્વાસ કરે છે અને ઘણા બધા લોકો જ્યોતિષ પર વિશ્વાસ કરે છે અને ઘણા બધા લોકો તેને માત્ર અંધવિશ્વાસ જ માને છે, પરંતુ મહાન ભવિષ્યવક્તા નાસ્ત્રેદમસ તે જ્યોતિષિયોમાંથી એક માનવામાં આવે છે જેમની ભવિષ્યવાણીઓ થકી તેમણે દુનિયાને તેમની તરફ આકર્ષિત કરી લીધા છે.

નાસ્ત્રેદમસનો જન્મ ફ્રાંસમાં થયો હતો અને તેઓ માત્ર ભવિષ્યવક્તા જ નહીં પરંતુ ડોક્ટર અને એક શિક્ષક પણ હતા. તેઓ પ્લેગ જેવી જટિલ બીમારીની સારવાર કરતા હતા. તેમણે પોતાની કવિતાઓના માધ્યમથી ભવિષ્યમાં થનારી ઘટનાઓની ભવિષ્યવાણી કરી જે સાચી સાબીત થઇ.

આવો જોઇએ નાસ્ત્રેદમસ દ્વારા કરવામાં આવેલી એ 10 ભવિષ્યવાણી જેને દુનિયાને હલાવીને રાખી દીધું. આવો જોઇએ જે ભવિષ્યવાણી સત્ય ઠરી...

પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની હત્યા

પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની હત્યા

સૌથી મોટી ભવિષ્યવાણી જોકે ભારતના પરિપ્રેક્ષ્યમાં સત્ય સાબિત થઇ તે છે પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની હત્યા અંગે. નાસ્ત્રેદમસે ભવિષ્યવાણી કરી હતી કે એક સારા વિમાન ચાલક પોતાનો વ્યવસાય છોડીને દેશના સર્વોચ્ચ પદ પર બિરાજમાન થશે પરંતુ સાત વર્ષ પછી તેનો અંત દુનિયાને ચોંકાવી દેશે.

ઇંદિરા ગાંધી અંગે ભવિષ્યવાણી

ઇંદિરા ગાંધી અંગે ભવિષ્યવાણી

નાસ્ત્રેદમસે પોતાની ભવિષ્યવાણીમાં જણાવ્યું હતું કે ભારતમાં પહેલીવાર એક સ્ત્રી સર્વોચ્ચ પદ પર આસિત થશે. પરંતુ તેની વિરુદ્ધ ષડયંત્રને પગલે 70 વર્ષની આસપાસ તેનું મૃત્યું થશે.

નરેન્દ્ર મોદી બદલી નાખશે ભારતની તસવીર

નરેન્દ્ર મોદી બદલી નાખશે ભારતની તસવીર

નાસ્ત્રેદમસે નરેન્દ્ર મોદી અંગે ભવિષ્યવાણી કરતા જણાવ્યું હતું કે ભારતમાં એક શક્તિશાળી વ્યક્તિનો યુગ આવશે અને દેશ મહાશક્તિ બનીને ઊભરશે એટલું જ નહીં ભારતની વેલ્યુ બદલાઇ જશે.

વર્લ્ડ ટ્રેડ સેંટર પર હુમલો

વર્લ્ડ ટ્રેડ સેંટર પર હુમલો

9/11 બર્લ્ડ ટ્રેડ સેંટર પર હુમલાની ભવિષ્યવાણી નાસ્ત્રેદમસે ઘણા સમય પહેલા કરી દીધી હતી. તેમણે જણાવ્યું હતું કે ન્યૂયોર્ક સ્થિત ડબ્લ્યૂડીસી પર સંકટના વાદળ છવાશે જે સત્ય સાબિત થયું.

ત્રીજુ વિશ્વયુદ્ધ આતંકવાદના ખાતમા માટે થશે

ત્રીજુ વિશ્વયુદ્ધ આતંકવાદના ખાતમા માટે થશે

નાસ્ત્રેદમસે ભવિષ્યવાણી કરી છે કે ત્રીજા વિશ્વયુદ્ધ માટે જમીન 2015-16 સુધી તૈયાર થવા લાગશે. વિશ્વની કટ્ટર શક્તિઓ વિરુદ્ધ અમેરિકા અને રશિયા સાથે આવશે અને આતંકવાદને ખતમ કરવા માટે લડાઇ લડશે.

અમેરિકા સહિત ઘણા દેશો માટે ખરાબ સમય

અમેરિકા સહિત ઘણા દેશો માટે ખરાબ સમય

નાસ્ત્રેદમસ અનુસાર 2015નો અંત અમેરિકા માટે ઘણો મહત્વનો રહેશે. આ વર્ષે અમેરિકાને ચીન, રશિયા, ઇરાનથી ઘણી મુશ્કેલીઓ પડશે. એટલું જ નહીં આ વર્ષે અમેરિકામાં ભયાનક તોફાન આવવાની સંભાવના છે જોકે અમેરિકાના મોટાભાગના વિસ્તારને તબાહ કરી દેશે.

યૂરોપમાં આવશે ભારે આર્થિક સંકટ

યૂરોપમાં આવશે ભારે આર્થિક સંકટ

નાસ્ત્રેદમસે યૂરોપમાં એક મોટા આર્થિક સંકટની પણ ભવિષ્યવાણી પણ કરી છે. તેમણે જણાવ્યું હતું કે ઘણા યૂરોપીયન દેશો આર્થિક મંદિની જપેટમાં આવી જશે.

હિટલર અંગે ભવિષ્યવાણી

હિટલર અંગે ભવિષ્યવાણી

નાસ્ત્રેદમસે બીજા વિશ્વ યુદ્ધ અંગેના સંકેત પણ ઘણા સમય પહેલા આપી દીધા હતા. એડોલ્ફ હિટલર અંગે લખતા નાસ્ત્રેદમસે બીસ્ટ શબ્દનો ઉપયોગ કર્યો હતો, જેનો અર્થ જાનવર થાય છે. આ શબ્દને હિટલર સાથે જોડવામાં આવે છે.

લંડનમાં લાગી ભીષણ આગ

લંડનમાં લાગી ભીષણ આગ

નાસ્ત્રેદમસે લંડનમાં પણ આગ લાગવાની ભવિષ્યવાણી કરી હતી. તેમની ભવિષ્યવાણી સાચી પડી અને 1966માં પુડિંગ લેન સ્થિત થોમસ ફૈરિનરમાં લાગેલી આગે માત્ર 3 દિવસમાં આખા શહેરને સળગાવીને રાખ કરી દીધો હતો.

બીજા વિશ્વયુદ્ધની ભવિષ્યવાણી

બીજા વિશ્વયુદ્ધની ભવિષ્યવાણી

નાસ્ત્રેદમસ બીજા વિશ્વયુદ્ધની ભવિષ્યવાણી કરતા જણાવ્યું કે એક બીસ્ટની સનકના પગલે દુનિયા સૌથી ભયાનક યુદ્ધનો સામનો કરશે. તેમણે જણાવ્યું હતું કે યુદ્ધમાં હજારો નિર્દોષ લોકોને મોતને ઘાટ ઉતારી દેવામાં આવશે.

English summary
The top 10 prediction which changed the attitude of the world towards. Michel de Nostredame predicted about India which turned true.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X