આ છે જગ્યા છે ભારતની કાળા જાદુની "રાજધાની"
તમે અનેક વાર ભારત ભરની ડરામણી અને અજીબો ગરીબ જગ્યાઓ વિષે ડરામણી વાતો સાંભળી હશે. જો કે ભૂતપ્રેતની આ વાતો કેટલી સાચી કેટલી ખોટી તે કહેવું હંમેશા મુશ્કેલ રહ્યું છે. પણ હા આવી વાતો ધણીવાર આપણને જડમૂળથી હચમચાવી જરૂરથી દે છે.
પણ શું તમે આવી કોઇ જગ્યાનું નામ સાંભળ્યું છે જેને કાળા જાદુ માટે ભારતની રાજધાની કહેવામાં આવે છે. જે ઓઝા અને અગોરીઓ ખાસ આવી કાળી શક્તિઓને બોલવતી વિધિ કરવા માટે આવે છે. જ્યાં 3 દિવસ સુધી એક ઉત્સવ ઉજવાય છે જેમાં માત્ર અને માત્ર લોકો ભેગા થઇને ત્રણ ત્રણ દિવસ સુધી કાળો જાદુ અને તેની વિચિત્ર વિધિઓ કરતા રહેતા હોય છે. તો શું છે આ જગ્યા? ભારતમાં તે ક્યાં આવેલી છે? અને કેમ તેને કાળા જાદુની ભારતની રાજધાની કહેવાય છે તે વિષે જાણો અહીં...
માયોંગ, આસામ
માયોંગ, આસામ છે ભારતમાં કાળા જાદુની રાજધાની. આસામમાં આવેલી આ જગ્યાનો અર્થ જ થાય છે "માયા" કે જાદુ. અને આજ કારણે અહીં મોટી સંખ્યામાં કાળુ જાદુની પ્રેક્ટિસ કરવામાં આવે છે.
વાર્ષિક પર્વ
એટલું જ દર વર્ષે અહીં માયોંગ પોબિત્રા ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે. 3 દિવસ ચાલતા આ પર્વમાં અનેક લોકો મોટી સંખ્યામાં અહીં હાજર રહીને પ્રદર્શન નીકાળે છે. અને કાળા જાદુની વિધિ કરે છે.
કાળો જાદુ
એટલું જ નહીં દેશ વિદેશની અનેક લોકો અહીં મોટી સંખ્યામાં કાળા જાદુ શીખવા માટે આવે છે.
સંગ્રહાલય પણ છે!
એટલું જ નહીં અહીં 2002માં એક સંગ્રહાલય પણ બનાવવામાં આવ્યું છે. જેમાં કાળા જાદુને લગતી વિવિધ વિધિઓને લગતા જૂના ગ્રંથો પણ સાચવવામાં આવ્યા છે. સાથે જ અહીંના ઓઝા વિષે તેવી માન્યતા છે કે તે ભૂત-પ્રેતને પોતાના કાબુમાં કરી શકે છે.