દૂર્ગા પૂજાની 10 નિહાળવાલાયક તસવીરો
નવી દિલ્હીઃ નવ દિવસો સુધી ચાલનારી નવદૂર્ગા પૂજા પોતાના અંતિમ પડાવમાં છે. મહાષ્ટમી બાદ રામનવમીછે. માતાના પંડાલોમાં લોકોની ધૂમ મચી છે. પંડાલોની સજાવટ અને તેની ભવ્યતા જોવાલાયક છે. પંડાલોની સજાવટ પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. ક્યાંક પરંપરાની ઝલક છે તો ક્યાંક આધુનિકતા પર થીમ બનાવવામાં આવી છે.
દેશના જ્વલંત મુદ્દાઓ પર પંડાલોની સજાવટ કરવામાં આવી છે. અલ્હાબાદમાં 16 ડિસેમ્બર દિલ્હી ગેંગરેપની થીમ બનાવીને પંડાલની સજાવટ કરવામાં આવી છે, તો ક્યાંક મોંઘવારી અને ભ્રષ્ટાચારને મુદ્દો બનાવવામાં આવ્યો છે.
પશ્ચિમ બંગાળમાં દૂર્ગાપૂજાનું આયોજન ભવ્યતાથી કરવામાં આવે છે, એ વાતથી બધા જ અવગત છે. કોલકતામાં બનનારા ડઝનેક પૂજા પંડાલ દર્શનાર્થીઓને સ્વપ્નલોકની યાત્રા કરાવે છે, પરંતુ આ વખતે અહીં એક પંડાલ લોકોને અતિતની મુલાકાતે લઇ જાય છે. પંડાલમાં ભારતીય સિનેમાના સો વર્ષા ઇતિહાસને દર્શાવવામાં આવ્યો છે. કોલકતામાં દૂર્જા પૂજા પંડાલમાં હિન્દી સિનેમાની 100 વર્ષની યાત્રાને દર્શાવવામાં આવી છે.
દૂર્ગાપૂજા કમિટિઓ પાસે જ્યાં એક-બીજા કરતા સારા પંડાલ બનાવવાની હોડ હોય છે તો બીજી તરપ નવું અને કંઇક હટકે કરવાની ચાહત પણ હોય છે. પંડાલની સજાવટના માધ્યમથી કમિટિઓ પોતાની વાત લોકો સુધી પહોંચાડે છે. માત્ર દિલ્હીમાં જ 1200 દૂર્ગાપૂજા પંડાલ બનાવવામાં આવ્યા છે. દરેક પંડાલની શોભા એક બીજા કરતા અલગ છે. આ વખતે ઉત્તરાખંડમાં આવેલી ભીષણ તારાજી પણ પંડાલોની સજાવટનો મુખ્ય મુદ્દો રહ્યાં છે. અલ્હાબાદમાં કેદારનાથ અને બદરીનાથમાં આવેલી તબાહીને પંડાલમાં સજાવટ થકી દર્શાવવામાં આવી છે.
દિલ્હીમાં દૂર્ગા પૂજાની ધૂમ
માતાના પંડાલોમાં લોકોની ધૂમ મચી છે. પંડાલોની સજાવટ અને તેની ભવ્યતા જોવા જેવી છે. પંડાલોની સજાવટ પર ખાસ ધ્યાન આપવામાં આવ્યુ છે. ક્યાંક પરંપરા પર ફોકસ કરવામાં આવ્યું છે તો ક્યાંક આધુનિકતા પર થીમ બનાવવામાં આવી છે.
કોલકતામાં માનું નિરાળું રૂપ
દેશના જ્વલંત મુદ્દાઓ પર પંડાલોની સજાવટ કરવામાં આવી છે. અલ્હાબાદમાં 16 ડિસેમ્બર દિલ્હી ગેંગરેપની થીમ બનાવીને પંડાલની સજાવટ કરવામાં આવી છે, તો ક્યાંક મોંઘવારી અને ભ્રષ્ટાચારને મુદ્દો બનાવવામાં આવ્યો છે.
નવાબી શહેર લખનઉ પણ પાછળ નહીં
પશ્ચિમ બંગાળમાં દૂર્ગાપૂજાનું આયોજન ભવ્યતા સાથે કરવામાં આવે છે. કોલકતાની જેમ નવાબી શહેર લખનઉમાં પણ ભવ્યતા સાથે પંડાલોને સજાવવામાં આવી રહ્યાં છે.
કોલકતાના પંડાલ
કોલકતામાં દૂર્ગા પૂજા પંડાલમાં હિન્દી સિનેમાના 100 વર્ષના સફરને દર્શાવવામાં આવ્યું છે.
અલ્હાબાદમાં પંડાલોની પ્રતિયોગિતા
દિલ્હી, કોલકતા સહિત અનેક સ્થળો પર દૂર્ગા પૂજા કમિટિઓ વચ્ચે પંડાલોની સજાવટને લઇને પ્રતિયોગિતાનું આયોજન કરવામાં આવે છે. પૂજાના અંતમાં સમિતિ નિર્ણય કરે છે કે, પંડાલોની સજાવટ પ્રતિયોગિતામાં કઇ પૂજા કમિટિ બાજી મારી જશે.
લખનઉમાં માની આરાઘનામાં વેશ્યાઓની પણ પહેલ
માત્ર દિલ્હીમાં 1200 દૂર્ગા પૂજા પંડાલ બનાવવામાં આવ્યા છે. દરેક પંડાલની શોભા એકબીજા કરતા અલગ હોય છે. લખનઉમાં સેક્સ વર્કરો દ્વારા પણ દૂર્ગા પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે.
લખનઉના પંડાલમાં ઉત્તરાખંડનું દર્દ
આ વખતે દૂર્ગા પૂજાના પંડાલોમાં ઉત્તરાખંડમાં મચેલી ભારે તબાહીની થીમનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. પંડાલ થકી કેદારનાથની તબાહીને દર્શાવવામાં આવી છે.
અલ્હાબાદના પંડાલમાં દિલ્હી ગેંગરેપનું દર્દ
દેશના જ્વલંત મુદ્દાઓ પર પંડાલોની સજાવટ કરવામાં આવી છે. અલ્હાબાદમાં 16 ડિસેમ્બર દિલ્હી ગેંગરેપની થીમ બનાવીને પંડાલની સજાવટ કરવામાં આવી છે, તો ક્યાંક મોંઘવારી અને ભ્રષ્ટાચારને મુદ્દો બનાવવામાં આવ્યો છે.
લખનઉમાં માતાની આરાધના
અનેક સ્થળો પર પંડાલની સુંદરતા પ્રાકૃતિક વસ્તુઓના ઉપયોગથી કરવામાં આવી છે. પર્ણ, ફૂલ અને ફળથી પંડાલની સજાવટ કરવામાં આવી છે.
કોલકતામાં કાળી બાડીમાં માતાનું ભવ્ય પંડાલ
પશ્ચિમ બંગાળમાં દૂર્ગાપૂજાનું આયોજન ભવ્યતાથી કરવામાં આવે છે, એ વાતથી બધા જ અવગત છે. કોલકતામાં બનનારા ડઝનેક પૂજા પંડાલ દર્શનાર્થીઓને સ્વપ્નલોકની યાત્રા કરાવે છે.