જાણો: પરમાણુ બોમ્બથી પણ વધુ ખતરનાક છે હાઇડ્રોજન બોમ્બ
વિશ્વના સશક્ત દેશો જેવા કે અમેરિકા, જાપાન, રશિયા આજે ઉત્તર કોરિયાએ હાઇડ્રોજન બોમ્બનું સફળ પરીક્ષણ કર્યું છે. અને આજ કારણે સંયુક્ત રાષ્ટ્ર સંધે આજે આપાતકાલિન બેઠક પણ બોલાવી છે. ત્યારે સવાલ તે ઊભો થાય છે કે પરમાણુ બોમ્બ રાખનાર નોર્થ કોરિયાના આ હાઇડ્રોજન બોમ્બથી દુનિયા આટલી ભયભીત કેમ છે? જેની પાછળનું કારણ એ છે કે હાઇડ્રોજન બોમ્બ પરમાણુ બોમ્બ કરતા પણ અનેક ધણો સશક્ત અને ખતરનાક છે.
હાઇડ્રોજન બોમ્બ તેવી તબાહી મચાવી શકે છે કે પૃથ્વીનું અસ્તિત્વ પણ જોખમાઇ જાય. ત્યારે શું છે આ હાઇડ્રોજન બોમ્બ, કેમ વિશ્વ ઉત્તર કોરિયાના આ સફળ પરીક્ષણ પર આટલો ખોફ ખાય છે અને તે કેવી રીતે પરમાણુ બોમ્બ કરતાય ખતરનાક છે તે વિષે વિસ્તૃત માહિતી મેળવો નીચેના આ ફોટોસ્લાઇડરમાં...
પરમાણુ બોમ્બ
પરમાણુ બોમ્બ વિભક્ત ફ્યુઝન અથવા પરમાણુ દ્વિભાજન (Nuclear fusion or nuclear fission)થી કે પછી બન્નેના સંયત્રથી બને છે. આ જ કારણે તે મહાવિનાશકારી હથિયાર માનવામાં આવે છે.
હાઇડ્રોજન બોમ્બ
હાઇડ્રોજન બોમ્બ વિસ્ફોટ સીરીઝમાં થાય છે જેની તીવ્રતા ખુબ જ વધારે હોય છે આ જ કારણે તે પરમાણુ બોમ્બની તુલનામાં અનેક ગણો વિનાશકારી હોય છે.
પાવરફૂલ
હાઇડ્રોજન બોમ્બમાં હાઇડ્રોજનના સમસ્થાનિક ડ્યૂટીરિયમ અને ટ્રાઇટિરીયમની જરૂર પડે છે. જે ખૂબ જ પાવરફૂલ હોય છે.
પરમાણુ બોમ્બ
પરમાણુ બોમ્બ વિસ્ફોટ થનારા પદાર્થ યુરેનિયમ અને પ્લુટોનિયમ હોય છે. યુરેનિયમ અને પ્લુટોનિયમ પરમાણુ વિખંડન (fission)થી જ શક્તિ પ્રાપ્ત થાય છે.
હાઇડ્રોજન પરમાણુ
જ્યાં પરમાણુ બોમ્બ આવશ્યક તાપ ઉતપન્ન કરે છે ત્યાં હાઇડ્રોજન પરમાણુને સંલયિત કરે છે. આ સંલયનથી ઉષ્મા અને શક્તિશાળી કિરણો ઉત્પન્ન થાય છે. જે હાઇડ્રોજનને હીલિયમમાં બદલી દે છે.
સફળ પરીક્ષણ
આ પહેલા અમેરિકા, પછી રશિયા, ચીન, ફ્રાંસ હાઇડ્રોજન બોમ્બનું સફળ પરીક્ષણ કરી ચૂક્યા છે અને હવે નોર્થ કોરિયાએ પણ આ બોમ્બનું સફળ પરીક્ષણ કર્યું છે.
પરમાણુ બોમ્બ
એક હજાર કિલોગ્રામથી થોડાક મોટા પરમાણુ બોમ્બથી જેટલી ઉર્જા ઉત્પન્ન કરવા માટે અરબો પરંપરાગત વિસ્ફોટની જરૂરીયાત પડે છે. જે તેની વિનાશકતાને દર્શાવે છે.
હાઇડ્રોજન બોમ્બ
હાઇડ્રોજન બોમ્બ પરમાણુઓના સંલયન કરવાથી થાય છે આ સંલયન માટે ઊંચુ તાપમાન એટલે કે લગભગ 500,00,000 ડિગ્રી સેલ્સિયસની જરૂર પડે છે.