અલવિદા 2014: ચર્ચામાં રહ્યા લવ જિહાદ અને ધર્માંતરણ જેવા મુદ્દાઓ
લખનઉ, 23 ડિસેમ્બર: ઉત્તર પ્રદેશ માટે વર્ષ 2014 ખૂબ ઉથલ પાથલ ભરેલું રહ્યું. વર્ષની શરૂઆતમાં યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં શાનદાર જીત પ્રાપ્ત કરનાર ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ને વિધાનસભાની પેટાચૂંટણીઓમાં આકરી હારનો સામનો કરવો પડ્યો, તો બીજી તરફ વર્ષના અંત સુધી લવ જિહાદ તથા ધર્માંતરણ જેવા મુદાઓની ગુંજ સંસદ સુધી સાંભળવા મળી. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લાખ સલાહો બાદ પણ ઉત્તર પ્રદેશના સાંસદો તથા મંત્રીઓના વિવાદિત નિવેદનોએ તેમની જોરદાર ટિપ્પણી કરાવી.
વર્ષ 2014ની શરૂઆત ભાજપ માટે યાદગાર રહી. લોકસભા ચૂંટણીમાં સહયોગી દળોએ મળીને 73 લોકસભા સીટો પર તેમને વિજય પ્રાપ્ત કરાવી. આ ઉત્તર પ્રદેશમાં પાર્ટીનું અત્યાર સુધીનું સૌથી સારું પ્રદર્શન હતું. સફળતના ઘોડા પર સવાર ભાજપને જલદી જ જનતાએ પેટાચૂંટણીમાં નકારી કાઢ્યા અને ભાજપને આકરી હાર સહન કરવી પડી. પેટાચૂંટણીમાં મળેલી હાર બાદ ભાજપના પ્રદેશ અધ્યક્ષ લક્ષ્મીકાંત વાજપાઇએ તેને પાર્ટી માટે પાઠ ગણાવતાં કહ્યું કે પાર્ટી આ હારની સમીક્ષા કરશે. પેટાચૂંટણીમાં પાર્ટીએ લવ જિહાદ જેવા વિવાદિત મુદ્દાઓને મહત્વ આપ્યું, જેનો નુકસાન ભોગવવું પડ્યું.
વર્ષના અંત સુધીમાં ભાજપને ધર્માંતરણના મુદ્દે ફરી એકવાર મુશ્કેલી સહન કરવી પડી. આગરાથી ઉદભવેલા ધર્માંતરણના મુદ્દા પર ભાજપે ઉત્તર પ્રદેશથી લઇને સંસદ સુધી વિરોધી પક્ષોના આકારા વલણનો સામનો કરવો પડ્યો. આ દરમિયાન વિવાદિત મુદ્દાઓથી પાર્ટીને પડી રહેલી મુશ્કેલી જોતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાંસદો તથા મંત્રીઓને વિવાદિત નિવેદનોથી દૂર રહેવાની સલાહ આપી, પરંતુ ઉત્તર પ્રદેશ સાથે જોડાયેલા કેન્દ્ર સરકારના મંત્રીઓએ તેમની સલાહોને પણ ઠીંગો બતાવી દિધો, કેન્દ્રિય રાજ્યમંત્રી સાધ્વી નિરંજન જ્યોતિ ગોરખપુરથી સાંસદ યોગી આદિત્યનાથ, ઉન્નાવથી સાંસદ સાક્ષી મહારાજના વિવાદિત નિવેદનોએ પાર્ટીની ખૂબ ટીકા કરાઇ.
આ બધા મુદ્દાઓ પર ભાજપના પ્રવક્તા વિજય બહાદુર પાઠકે કહ્યું કે ભાજપ, કોંગ્રેસ બાદ પ્રથમ પક્ષ છે, જેને વર્ષ 2014માં પૂર્ણ બહુમતીની સરકાર બનાવી. વડાપ્રધાન, ગૃહમંત્રી અને રક્ષામંત્રી અહીંથી નેતૃત્વ કરી રહ્યાં છે. પાર્ટી માટે આ સુખદ અનુભવ છે. સદસ્યતા અભિયાનમાં પાર્ટીએ કીર્તિમાન સ્થાપિત કર્યો. વિજય બહાદુર પાઠકે કહ્યું કે પેટાચૂંટણીમાં જો કે પાર્ટીને હાર મળી પરંતુ આ વર્ષ ભાજપ માટે ઘણા પ્રકારે ઐતિહાસિક પણ રહી. ભાજપે 2014માં અન્ય પાર્ટીનો ઉત્તર પ્રદેશથી સફાયો કરી દિધો. હવે અહીં પાર્ટીઓ નથી, પરિવાર પ્રતિનિધિત્વ કરી રહ્યાં છે.
ભાજપ ઉપરાંત સત્તારૂઢ સમાજવાદી પાર્ટીની કરીએ તો વર્ષ 2014ની શરૂઆત સપા માટે ખૂબ નિરાશાજનક રહી. લોકસભા ચૂંટણીમાં તેને ફક્ત પાંચ સીટો આજમગઢ, મૈનપુરી, ફરૂખાબાદ, બદાયૂં અને કન્નૌજમાં વિજય પ્રાપ્ત થયો. બાકી સ્થળો પર તેને હારનો સામનો કરવો પડ્યો. લોકસભા ચૂંટણીમાં નિરાશાજનક પ્રદર્શનથી ઉભરતાં સપાએ પેટાચૂંટણીમાં સારું પ્રદર્શન કર્યું. પાર્ટીએ પેટાચૂંટણીમાં મોટાભાગની સીટો પર પોતાનો પરચમ લહેરાવ્યો.
પાર્ટીના આ પ્રદર્શનથી ઉત્સાહિત ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી અખિલેશ યાદવે ભાજપ પર ભારે પ્રહારો કરતાં કહ્યું કે લોકસભા ચૂંટણી બાદ જે લોકો કહી રહ્યાં હતા કે ઉત્તર પ્રદેશમાં સપાનો જનાધાર જતો રહ્યો છે, તેમના માટે પેટાચૂંટણી એક શિખામણ છે. તેમણે કહ્યું કે જનતાએ સાંપ્રદાયિક તાકતોને નકારતાં સમાજવાદીઓની સરકારમાં પોતાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. જો કે વિધાનસભા ચૂંટણીમાં મળેલી જીતથી ઉત્સાહિત સપાએ લખનઉના જનેશ્વર મિશ્ર પાર્કમાં રાષ્ટ્રીય અધિવેશન બોલાવ્યું જેમાં પાર્ટીના બધા નેતાઓએ ભાગ લીધો.
સપાના નેતા ડૉ. સીપી રોયે કહ્યું કે 2014 લોકસભા ચૂંટણીના પ્રકારે પાર્ટી માટે થોડું નિરાશાજનક રહ્યું. પાર્ટીએ અપેક્ષા અનુસાર પરિણામ પ્રાપ્ત કરી ન શકી. પરંતુ તેનું મોટું કારણ કેન્દ્રની કોંગ્રેસ સરકાર વિરૂદ્ધ લોકોનો ગુસ્સો હતો. જેનો લાભ બીજી પાર્ટીને મળ્યો. તેમણે કહ્યું કે લોકસભા ચૂંટણી માટે ખૂબ કામ કર્યું જેનું પરિણામ પેટાચૂંટણીઓમાં મળ્યું, પાર્ટીને 11 માંથી 8 વિધાનસભા સીટો પર જીત પ્રાપ્ત થઇ. બકૌલ રાય, ''આ વર્ષ પાર્ટી માટે ખૂબ સારું રહ્યું. પેટાચૂંટણીઓમાં શાનદાર પ્રદર્શન ઉપરાંત મુખ્યમંત્રી અખિલેશ યાદવે રાજ્યના વિકાસ માટે ઘણી યોજનાઓનો શિલાન્યાસ કર્યો અને ઘણા લોકાર્પણ કર્યા, જેનો લાભ આગામી સમયમાં જનતાને મળશે.''
સપા અને ભાજપ ઉપરાંત બસપા પ્રમુખ માયાવતી માટે વર્ષ 2014 દરેક મુદ્દે નિરાશાજનક રહી. લોકસભા ચૂંટણીમાં પાર્ટી પોતાનું ખાતું પણ ખોલાવી ન શકી. ઉત્તર પ્રદેશમાં 80 લોકસભા સીટો પર ચૂંટણી લડનાર બસપાને એકપણ સીટ પર જીત પ્રાપ્ત થઇ નહી. લોકસભા ચૂંટણીમાં મળેલી આકરી હાર બાદ જો કે લખનઉમાં પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક પણ થઇ, જેમાં પાર્ટીએ ખોવાયેલા જનાધારને પ્રાપ્ત કરવા માટે મંથન કર્યું અને પાર્ટીને ફરી એકવાર સોશિયલ એંજિનિયરિંગના પોતાના જૂના ફોર્મૂલા તરફ આગળ વધવાનો નિર્ણય કર્યો. પાર્ટી જો કે ઉત્તર પ્રદેશમાં યોજાયેલી પેટાચૂંટણીમાં ભાગ લીધો નહી. તેના બદલે પાર્ટીના નેતાઓએ સંગઠનને નબળું કરવાની કવાયદ શરૂ કરી. પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ રામઅચલ રાજભરે વર્ષ 2014ને મિશ્ર ગણાવ્યું.
ઉત્તર પ્રદેશમાં વર્ષ 2014માં કોંગ્રેસની સ્થિતી પણ બસપા જેવી જોવા મળી. લોકસભા ચૂંટણીમાં ફ્ક્ત અમેઠી અને રાયબરેલી જીતનાર કોંગ્રેસને પેટાચૂંટણીમાં પણ જનતાએ નકારી કાઢી અને એકપણ સીટ પર જીત પ્રાપ્ત થઇ નહી. ચૂંટણીમાં મળેલી હાર બાદ પાર્ટીના ઉત્તર પ્રદેશ પ્રભારી મધૂસુદન મિસ્ત્રીએ સંગઠનને નવી રીતે ઉભું કરવાનો પ્રયત્ન શરૂ કર્યો અને તેને લઇને લખનઉમાં તેમણે પદાધિકારીઓ સાથે ઘણી બેઠકો પણ કરી. કોંગ્રેસની સ્થિતિ પર પાર્ટીના પ્રવક્તા સુરેન્દ્ર રાજપૂતે કહ્યું કે ''પાર્ટી લોકસભા ચૂંટણીમાં મળેલી હારથી હતાશ છે પરંતુ નિરાશ નથી.
પાર્ટીએ સંગઠનને નબળું કરવાનું કામ શરૂ કરી દિધું છે. નવી ટીમની રચના થઇ ગઇ છે. આખા પ્રદેશમાં સદસ્યતા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.'' રાજપૂતે કહ્યું કે પાર્ટી નવા વર્ષમાં નવા વલણ સાથે કેન્દ્ર અને રાજ્ય સરકારની જનવિરોધી નીતિઓ વિરૂદ્ધ રસ્તા પર ઉતરશે. રાજકીય પક્ષો ઉપરાંત વર્ષના અંતમાં ઇન્કમ ટેક્સ વિભાગ નોઇડા ઓથોરિટીના સસ્પેંડેડ એંજિનિયર ઇન ચીફ યાદવ સિંહના ઘરેથી મળેલી અખૂટ સંપત્તિનો મુદ્દો પણ ચર્ચામાં રહ્યો. યાદવ સિંહની કાળી કમાણીની સીબીઆઇ તપાસ કરવાની માંગ ઉદભવી રહી છે.