મર્યા બાદ ડિલીટ કરી દો પોતાનું એકાઉન્ટ, જાણો કઈ રીતે?
તમારા મર્યા બાદ તમારા સોશિયલ નેટવર્ક એકાઉન્ટ નું શું થઇ છે તે તમે ક્યારેય પણ વિચાર્યું છે! ક્યાં તો કોઈ સંબધી કે મિત્ર કે પછી બસ ખાલી આમ જ સોશિયલ નેટવર્ક પર તમારું એકાઉન્ટ ફર્યા કરે છે. એના કરતા સારું છે કે મરતા પહેલા જ તમારું સોશિયલ નેટવર્ક એકાઉન્ટ સેટ કરી દો.
ગુગલ અને ફેસબુકમાં આ સુવિધા આપવામાં આવી છે કે તમે તમારા સોશિયલ નેટવર્ક એકાઉન્ટને ડિલીટ કરવાની તારીખ નક્કી કરી શકો છો. તો જાણો કઈ રીતે તમે તમારું એકાઉન્ટ ડિલીટની તારીખ નક્કી કરશો.
ગુગલ
ગુગલ તમને તમારું એકાઉન્ટ ડિલીટ કરવાની સુવિધા આપે છે. તેના માટે તમારે આ પેજ પર જવું પડશે અને તમારે ગુગલને નંબર આપવો પડશે.
આગળ નું સ્ટેપ
તેના માટે તમારે સમય સીમા નક્કી કરવી પડશે પછી તમારે ડિલીટ એકાઉન્ટ અને ઈનએબલ કર ક્લિક કરીને સેટ કરી શકો છો.
ફેસબુક
ફેસબુકમાં પણ તમને તમારું એકાઉન્ટ મર્યા બાદ ડિલીટ કરવાની સુવિધા મળે છે. એના માટે તમારે ફેસબુકમાં સેટિંગમાં જવું પડશે લેગસી કન્ટેન્ટ, એકાઉન્ટ ડિલીટ ચેક કરો.
આગળ નું સ્ટેપ
તમને એક પોપ જોવા મળશે અને પૂછશે કે ભવિષ્યમાં તમે તમારું એકાઉન્ટ ડિલીટ કરવા માંગો છો. ડિલીટ આફતર ડેથ પર ક્લિક કરો.