શું સાચે જ આ ટ્રીક્સ ફોનની બેટરી લાઇફ વધારે છે?
સ્માર્ટફોનમાં તમને અનેક નવી ટેકનોલોજી એક સાથે મળી જાય છે. અને તેમાં અનેક નવા ફિર્ચસ પણ સામેલ હોય છે. જો કે લોકો ફોનના કેમરાને જેટલું મહત્વ આપે છે તેટલું બેટરીને નથી આપતા. અને આજ કારણે આજે પણ બેટરી બચાવવી એક સમસ્યા છે. જેના કારણે ફિચર્સની પ્રોગેસ પણ ધીમી થઇ જાય છે. જો કે આજકાલ અનેક પાવરફુલ બેટરી વાળા ફોન આવ્યા છે. પણ જ્યારે ઉપયોગ જ વધારે હોય ત્યારે શું કરવું.
વળી આજકાલ વોટ્સઅપ પર અને ઇન્ટરનેટ પર અનેક બેટરી બચાવવા માટે અનેક ટિપ્સ આપવામાં આવે છે. પણ હવે કંઇ કેટલી સાચી અને કંઇ નહીં, કંઇ કામની છે અને કંઇ નહીં તે કેવી રીતે જાણવું? બસ આજ અમે તમારા માટે આ આર્ટીકલ લઇને આવ્યા છીએ. જેમાં જાણકારો દ્વારા અમે તમને તે જણાવીશું કે કંઇ ટીક્સ ખરેખરમાં બેટરી બચાવે છે અને કંઇ છે ખાલી અફવા. વાંચો આ રસપ્રદ આર્ટીકલ...
એપ્સ બંધ કરવા
તમે અનેક વાર સાંભળ્યું હશે કે ફોનની બેટરી બચાવવી હોય તો જે એપ યુઝ નથી કરતા તેને બંધ કરી દો. પણ શું તમને ખબર છે આજકાલના ફોન અગર રીતે તૈયાર થયેલા હોય છે જેમાં કોઇ એપનો જ્યારે ઉપયોગ નથી થતો તે તે આપોઆપ બંધ થઇ જાય છે અને આમ કરતા તમારી બેટરી ખર્ચાતી નથી.
વાઇ ફાઇ બંધ કરવું
દિવસમાં થોડી વાર માટે વાઇફાઇ બંધ કરવું મનની શાંતિ માટે જરૂરી છે. પણ જે અફવા છે કે વાઇફાઇ બંધ કરવાથી બેટરી બચશે તે તદ્દન ખોટી વાત છે. જો તમારો ફોન વાઇ ફાઇ કનેક્ટેડ હશે તો તે ખૂબ જ ઓછી એનર્જી લેશે. પણ હા જો ફોન વાઇફાઇ કનેક્શન માટે સ્ટ્રગલ કરતો હોય તો તેવામાં તેને બંધ કરવો જ હિતાવહ છે.
લોકેશન સર્વિસ બંધ કરવી
ફોનમાં અનેક ફિચર્સ હોય છે જે આપણી લોકેશનને નેવિગેટ કરે છે. તેને બંધ કરવાથી તમારી બેટરીમાં કંઇ ખાસ ફરક નહીં પડે આથી તેને બંધ કરવાથી તમે કંઇ ખાસ ફાયદામાં નહીં રહો.
મોબાઇલ ડેટા કે વાઇફાઇ
અનેક કંપનીઓ કહે છે કે જો તમારા ફોનમાં મોબાઇલ ડેટા યુઝ કરો છો તો વધુ બેટરી ખર્ચ થાય છે. અને વાઇફાઇ કરશો તો ઓછી. જો કે આ વાત તદ્દન પોકળ છે. ઉલ્ટાની વાઇ ફાઇથી વધુ બેટરી ખર્ચ થાય છે.
કોઇ અન્ય ચાર્ઝરનો ઉપયોગ
મનાય છે કે અન્ય ચાર્ઝરના ઉપયોગથી ફોન બગડી જાય છે. પણ હકીકત એ છે કે જો વિશ્વાસનીય કંપનીનું ચાર્ઝર હશે તો તેવું નહીં થાય કારણ કે આજકાલ તમામ કંપનીઓ એક જેવા જ ચાર્જર બનાવે છે. પણ આ સસ્તુ ચાર્ઝર તમારી મુશ્કેલીઓ વધારી શકે છે.