સ્માર્ટફોન ચાર્જ કરતી વખતે ના કરો આ 5 ભૂલો...
શું તમને ખબર છે કે ફોનને વધારે પડતો ચાર્જ કરવાથી ફોન ખરાબ થઇ શકે છે. એટલા માટે ફોનની બેટરીનું ખાસ ધ્યાન રાખવું ખુબ જ જરૂરી છે. ફોનમાં વપરાતી બેટરી વધારે પડતી ચાર્જ ના કરવી જોઈએ અને તેને લો પણ ના રાખવી જોઈએ.
ફોન ચાર્જીંગની સમસ્યા નોર્મલ છે આજના સ્માર્ટફોન ખુબ જ જલ્દી બેટરી લો ની ચેતવણી આપવા લાગે છે. પરંતુ શું તમને ખબર છે કે ફોન ચાર્જ કરતી આપણે કેટલીક ભૂલો પણ કરતા હોઈ છે.
તો જાણો એવી 5 ભૂલો જે આપણે ફોન ચાર્જ કરતી વખતે બિલકુલ ના કરવી જોઈએ...
લો બેટરીની વોર્નિંગને ધ્યાનમાં ના લેવી
ફોનની લો બેટરી ઇગ્નોર ના કરવી જોઈએ. વારંવાર લો બેટરી થઇ જવાથી ફોન ની બેટરી કમજોર પડી જાય છે.
વાયરલેસ ચાર્જરથી વધારે ગરમ થાય છે ફોન
રિપોર્ટ અનુસાર માર્કેટમાં મળતા વાયરલેસ ચાર્જર વધારે હીટ પેદા કરે છે.
ઓવરહિટીંગ થી ઓછી થઇ જાય છે બેટરી લાઈફ
રાતભર ફોનને ચાર્જીંગમાં લગાવી રાખવું સારું નથી હોતું. જેનાથી ઓવરહિટીંગ ની સમસ્યા પેદા થાય છે જે તમારા ફોનની બેટરીને ખરાબ કરી નાખે છે.
બીજા ચાર્જરથી ચાર્જ કરવું
ઓરીજીનલ ચાર્જર થોડું મોઘું પડશે પરંતુ બીજા ચાર્જરથી સારું જ હોઈ છે.
બેટરી બચાઓ
જયારે તમે ફોનનો ઉપયોગ ના કરતા હોવ ત્યારે બ્લુટુથ કે વાઈફાઈ નો બંધ કરી દેવું જ સારું રહશે