મીઠાંના પાણીથી નહાવાના 10 ફાયદા
મીઠું ભોજનનો મુખ્ય મસાલો છે. આ ઉપરાંત આ ઘણી બિમારીઓ અને ઇંફેક્શનને પણ ઠીક કરે છે. મીઠાને નહાવામાં પણ ઉપયોગ કરી શકાય છે. મીઠાના પાણીથી નહાવાના ઘણા ફાયદા છે. જો સીધા શબ્દોમાં કહીએ તો મીઠું તમારી વિચારસણી કરતાં વધુ ફાયદાકારક છે.
આ તમારી ત્વચા માટે સારું છે
જો આપણા પ્રાકૃતિક અને શુદ્ધ રૂપે તેનો ઉપયોગ કરવામાં આવે તો મીઠાંના પાણીમાં ઘણા મિનરલ્સ અને પોષક તત્વો હોય છે જે તમારી ત્વચાને યુવાન બનાવે છે. મેગ્નેશિયમ, કેલ્શિયમ, બ્રોમાઇડ, સોડિયમ જેવા મિનરલ્સ ત્વચાના રોમ છિદ્રોમાં પ્રવેશ કરે છે. આ ત્વચાના પડને સાફ કરી તેને સ્વસ્થ અને ચમકદાર બનાવે છે.
આ ડિટોક્સીફિકેશન વધારે છે
મીઠાના પાણીથી નહાવાથી ત્વચામાંથી ઝેરીલા તત્વો નિકળે છે. ગરમ પાણી ત્વચાના રોમ છિંદ્રોને ખોલે છે. તેનાથી મિનરલ્સ ત્વચાની અંદર જઇને ઉંડાઇ સુધી સફાઇ કરે છે. મીઠાંનું પાણી ઝેરીલા અને નુકસાનકારી પદાર્થો અને બેક્ટેરિયાને ત્વચામાંથી બહાર કાઢે છે અને તેને યુવાન બનાવી દે છે.
આ ત્વચાને જવાન બનાવી રાખે છે
નિયમિત રીતે મીઠાના પાણીથી નહાવાથી દાગ અને કરચલીઓ દૂર થાય છે. ત્વચા નરમ અને મુલાયમ બને છે. આ ત્વચાને ફુલેલી બનાવે છે અને સ્કિન મૉઇસ્ચરનું સંતુલન બનાવી રાખે છે.
ઘણી સમસ્યાઓનું સમાધાન કરે છે
આ ઘણી સમસ્યાઓનું સમાધાન કરે છે. આ ઑસ્ટિયોઆર્થરાઇટિસ અને ટેન્ડીનિટિસની સારવારમાં પણ કારગર છે. ઑસ્ટિયોઆર્થરાઇટિસ હાડકાંની ખરાબી સંબંધિત બિમારી છે અને ટેન્ડીનિટિસ નસોના સોજા સંબંધિત બિમારી છે. મીઠાંના પાણીથી નહાવાથી ખણ અને અનિદ્રાની પણ સારવાર થાય છે.
માનસિક સ્વાસ્થ્યને સારું બનાવે છે
મીઠાના પાણીથી સ્નાન કરવાથી શારીરિકની સાથે જ માનસિક સ્વાસ્થ્ય માટે પણ સારું છે. આ પાણીથી સ્નાન કર્યા બાદ તમે શાંત, ખુશ અને આરામ અનુભવશો. આ એક શાનદાર સ્ટ્રેટ બસ્ટર છે. આ માનસિક શાંતિ પણ વધારે છે.
ત્વચાનું નવું પડ લાવવામાં પણ મદદગાર
ત્વચા પર ચામડી ઉતરીને નવી ચામડી આવવાથી પણ ત્વચા સ્વસ્થ રહે છે. ફોસ્ફેટ્સ જેવા મીઠાના પાણીથી નહાવાથી ડિટર્જેંટની માફક સફાઇ કરે છે અને ચામડી ઉતારીને નવી ચામડી આવે છે. આનાથી ત્વચા નરમ અને મુલાયમ રહે છે.
આ પગની માંસપેશીઓ માટે પણ ફાયદાકારક છે
પગ પર શરીરમાં સૌથી વધુ દબાણ પડે છે. આ વધુ સમય મૂવ કરે છે અને શરીરને સપોર્ટ પુરો પાડે છે. તેનાથી અહીંની માંસપેશીઓ મુલાયમ થઇ જાય છે અને તેમાં બૂટ-ચંપલના કારણે છાળા પણ પડી જાય છે. મીઠાના પાણીથી નહાવવાથી માંસપેશીઓમાં દુખાવો અને જકડનમાંથી મુક્તિ મળે છે. આ પગની દુર્ગંધને પણ દૂર કરે છે.
આ સ્કિનને મૉઇસ્ચરાઇઝ કરે છે
ત્વચા માટે મૉઇસ્ચરાઇઝિંગ ખૂબ જરૂરી છે. મીઠાના પાણીમાં હાજર મેગ્નેશિયમ ત્વચામાં પાણીને વધુ સુધી રોકે છે. તેનાથી ત્વચા મૉઇસ્ચરાઇઝ થાય છે અને ત્વચાની કોશિકાઓનો ગ્રોથ પણ વધુ થાય છે.
આ માંસપેશીઓમાં દુખાવો અને જંઠુંને પણ ઠીક કરે છે
મીઠાના પાણીથી નિયમિત સ્નાન કરવાથી જંઠ્ઠુંને પણ ઠીક કરી શકાય છે. આ સુગર કે અન્ય કોઇ ઇજાને કારણે થયેલા માંસપેશિઓના દુખાવા અને જંઠ્ઠુંને પણ ઠીક કરે છે.