ચોમાસાની નાની નાની બિમારીઓથી રાહત અપાવશે આ આયુર્દિક ટીપ્સ...
ચોમાસું જે તમને તપતી ગરમીથી રાહત આપે છે. પરંતુ સાથે સાથે ખુબ જ બિમારીઓ પણ આપીને જાય છે. જો ચોમાસામાં થોડી પણ સાવધાની ના રાખવામાં આવી તો તમને સારી એવી માત્રામાં બિમારીઓ પણ આપીને જાય છે.
ચોમાસુંએ ગરમી અને શરદીની વચ્ચેની મોસમ હોઈ છે. જેના કારણે મોસમમાં ખુબ જ ઝડપથી ફેરફાર થાય છે. આ મોસમમાં તાવ અને પેટની બિમારીઓ તો થાય છે પરંતુ સાથે સાથે ડેન્ગ્યું અને મલેરિયા જેવી ખતરનાક બિમારીઓ પણ થાય છે.
જે લોકોની ઈમ્યુન સીસ્ટમ નબળી હોઈ છે તેઓ ચોમાસામાં જલ્દીથી બિમાર પડી જાય છે. એવામાં જરૂરી છે કે તમે સુરક્ષિત આયુર્દિક ટીપ્સનો ઉપયોગ કરો.
લીંબડાના પાંદડા
વાયરલ ઇન્ફેક્સનને સુધારવા માટે લીંબડાના પાંદડા ખુબ જ કામમાં આવે છે. 10 થી 12 પાંદડાને ઉકાળીને દિવસમાં 2 થી 3 વાર પીવાથી તમારી ઈમ્યુન સીસ્ટમ સારી બને છે.
લસણ
3 થી 4 લસણના ટુકડાને તોડીને કચ્ચાં જ ખાઈ જાઓ. તેનાથી ઠંડી અને તાવ દુર ભાગી જશે.
આદું
એક નાનકડો ટુકડો આદુંનો પાણીમાં ઉકાળો. તેમાં લીંબુ અને મધ ભેગું કરીને ચાની જેમ પીઓ.
મધ
એક ચમચી મધને લીંબુ સાથે પાણીમાં નાખીને પીવાથી કફ દુર થઇ જશે.
હળદળ
ગરમ પાણીમાં એક નાની ચમચી હળદળ ભેગી કરીને પીવાથી રાહત મળે છે.
તજ
શરદી, તાવ અને ગળાના દર્દમાં આરામ આપે છે. અડધી ચમચી તજને મધમાં મિક્સ કરીને દિવસમાં 2 વાર ખાઓ.
ચમેલીના ફૂલના પાંદડા
ચમેલીના ફૂલના પાંદડાનો રસ કાઢીને તેને મધ સાથે મિક્સ કરીને સેવન કરી શકાઈ છે.
તુલસી
તાવ અને મલેરિયાના રોગમાં રાહત આપે છે. 10 થી 15 તુલસીના પાંદડાને 1 કપ ગરમ પાણીમાં નાખીને ચાની જેમ પીઓ.
કેમોમાંઇલ ચા
આ ચા તમને આરામથી ફૂડ માર્કેટમાં મળી જશે.
ગ્રીન ટી
શરદી, ગળાનું દર્દ બધાને જ દુર રાખવામાં મદદ કરે છે.