ચિકન લવર્સ થઇ જાવ સાવધાન, તમે ચિકન નહી જહેર ખાઈ રહ્યા છો
ભારતમાં દર ત્રીજો ભાગ શાકાહારી છે અને જે લોકો માંસાહારી છે તેઓ મોટે ભાગે ચિકન ખાવાનું જ વધારે પસંદ કરે છે. બ્લુમબર્ગની એક રિપોર્ટ અનુસાર ચિકનની ખપત 1985 પછી લગભગ 14 ગણી વધી ગઈ છે.
રિપોર્ટમાં એ વાત સામે આવી છે કે મરઘીઓને જલ્દીથી મોટી કરતા માટે એન્ટીબાયોટીક નો ઉપયોગ કરવામાં આવે છે. જે ચિકન ને તમે મજા લઈને ખાવ છો તે જ ચિકન તમારા હેલ્થ માટે નુકસાનકારક સાબિત થઇ શકે છે.
આ એન્ટીબાયોટીક ના અવશેષ તમારા શરીરમાં ચાલ્યા જાય છે અને તે તમારી શરીરની તાકાત ઘટાડી દે છે. જયારે પણ આપણે બિમાર પડીએ છે ત્યારે આપણે એન્ટીબાયોટીક દવાઓ નું સેવન કરીએ છે ત્યારે તે દવાઓ બેઅસર લાગવા લાગે છે.
તો જાણો એન્ટીબાયોટીક મેળવેલું ચિકન ખાવાથી તમારા શરીર પર શું અસર થાય છે...
તેમને ખવડાવવામાં આવે છે એન્ટીબાયોટીક
ચિકનને ખવડાવવામાં આવેલી એન્ટીબાયોટીક માણસો માટે બનાવવામાં આવેલી દવાઓ છે. જેને ખાઈને તેઓ આકારમાં મોટી થઇ જાય છે.
ગ્રોથ હોર્મોનનો ઉપયોગ કરવામાં આવે છે
તમે ચિકન લેવા જાવ ત્યારે તમને પીંજરામાં મોટી મોટી મરઘીઓ જોવા મળશે. તેમને ગ્રોથ હોર્મોનના ઈન્જેકસન લગાવવામાં આવે છે જેનું માંસ ખાધા પછી આપણા શરીરમાં ગ્રોથ હોર્મોન જાય છે. જે શરીર ને નુકસાન કરે છે.
બેક્ટેરિયાથી સંક્રમિત
એક સ્ટડીમાં જોવામાં આવ્યું છે કે 97% ચિકનના બ્રેસ્ટમાં ઇન્ફેક્સન પેદા કરવાવાળા બેક્ટેરિયા હોઈ છે.
મરધીઓમાં જીવાણું
ચિકનને ધોયા બાદ પોતાના હાથ પણ સારી રીતે ધુઓ. ચિકનને સારી રીતે રાંધો. હંમેશા તાજા ચિકનના પીસનો જ ઉપયોગ કરો.
ચિકનને આપવામાં આવે છે Roxarsone નામની દવા
આને ખવડાવ્યા બાદ ચિકનમાં ખુબ જ વધારો થાય છે. 2011 માં આ દવા પણ બેન લાગી ગયો હતો પરંતુ લોકો આજે પણ તેનો ઉપયોગ કરે છે.
ચિકનમાં જાનલેવા આર્સેનિક
મરધીઓમાં ઝેરી ધાતુ આર્સેનિક પણ જોવા મળે છે જે માણસો માટે ખુબ જ ઝેરી છે.
લગભગ 7 લાખ મરધીઓના બચ્ચાઓને મારી નાખવામાં આવે છે
મરઘીના એ બચ્ચાઓ ને તરત જ મારી નાંખવામાં આવે છે જે બચ્ચા પેદા નથી કરી શકતા.