
કેરી ખાધા પછી ફેંકી ન દો ગોટલી, તેનાથી થાય આ ફાયદાઓ
કેરીને ફળોનો રાજા કહેવામાં આવે છે. આપણા દેશમાં કેરી વિશે ઘણી કહેવતો કહેવામાં આવે છે, જેમ કે કેરીની કેરી અને ગોટલીના ભાવ, કેરી ખાવને ગોટલી કેમ ગણો છો, પરંતુ શું તમે જાણો છો કે, કેરી જેટલી સ્વાદિષ્ટ હોય છે, તેટલી જ તેની ગોટલી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે. જો તમે કેરી ખાધા પછી ગોટલીને ફેંકી દો તો ફરી આવી ભૂલ ન કરતા.
કેરી ખાધા પછી ગોટલી ફેંકશો નહીં
કેરીમાં ભરપૂર માત્રામાં મિનરલ્સ, વિટામિન્સ અને એન્ટીઓક્સિડેન્ટ હોય છે, જે આપણને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. આ સાથે જ તે ભારતનું રાષ્ટ્રીય ફળ પણ છે. આ ઉપરાંત તે પાકિસ્તાન, ફિલિપાઈન્સ, બાંગ્લાદેશનું રાષ્ટ્રીય ફળ પણ છે. બિહારના દરભંગામાં મુગલ બાદશાહ અકબરે એક બગીચો બનાવ્યો હતો, જેમાં તેણે એક લાખ જેટલા આંબાના વૃક્ષો વાવ્યા હતા. ભારતમાં, પશ્ચિમ બંગાળના માલદા જિલ્લાની કેરી માત્ર ભારતમાં જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે, જેના કારણે તેની મોટી સંખ્યામાં નિકાસ પણ થાય છે. કેરી તેના સ્વાદને કારણે આખી દુનિયામાં પ્રખ્યાત છે, પરંતુ માત્ર કેરી જ નહીં, કેરીની ગોટલી પણ ખૂબ જ ફાયદાકારક છે.
કેરીની ગોટલી ખાવાના ફાયદા
1. ઝાડામાંથી રાહત
જો તમે ઝાડાથી પીડિત છો, તો તમે કેરીની ગોટલીનો પાવડર લેવાથી ફાયદો થઈ શકે છે. કેરીની ગોટલીની પેસ્ટ બનાવીને એક ગ્લાસમાં પાણી અને મધ મિક્સ કરીને તેનું સેવન કરો. તેની અસર થોડીવારમાં દેખાવા લાગશે.
2. હૃદયના રોગો અટકાવવા
આરોગ્ય નિષ્ણાતો માને છે કે, કેરીની ગોટલી ખાવાથી તમારા હૃદયમાં રક્ત પરિભ્રમણ સુધરે છે. તેની સાથે જ તેના સેવનથી તમારું કોલેસ્ટ્રોલ લેવલ પણ નિયંત્રણમાં રહે છે. જેના કારણે બ્લડ શુગર લેવલ પણ નોર્મલ રહે છે. આ સિવાય ગોટલી ખાવાથી લોહીની ઉણપથી પણ બચી શકાય છે.
3. પાચન સારું રહેશે
કેરીની ગોટલીમાં સાઇટ્રિક એસિડ પણ જોવા મળે છે, જેના કારણે તે પાચનતંત્રને સારું રાખવામાં મદદરૂપ છે. જો કેરીની ગોટલીનો પાઉડર દરરોજ ખાવામાં આવે તો તે કબજિયાત અને પાઈલ્સ જેવી બીમારીઓને દૂર કરવામાં પણ મદદ કરે છે.
4. રોગપ્રતિકારક શક્તિ બુસ્ટ કરશે
ખાદ્ય વિજ્ઞાન અને ખાદ્ય સુરક્ષાની વ્યાપક સમીક્ષાના અભ્યાસ અને સંશોધનમાં, એવું બહાર આવ્યું છે કે, ગોટલીમાં હાજર ફાઇબર રોગો સામે લડવાની પ્રતિરક્ષા પણ વિકસાવે છે, જે આપણા શરીરને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. તે કેન્સર જેવી જીવલેણ બીમારી સામે રક્ષણ આપે છે.
5. એસિડિટીથી આપે છે રાહત
આજકાલ જીવનમાં એસિડિટીનો રોગ સામાન્ય છે અને તેના માટે પણ કેરીના ગોટલીનો પાવડર અસરકારક સાબિત થશે. તેમાં સાઇટ્રિક એસિડ પણ જોવા મળે છે, જેના કારણે તે પાચનતંત્રને સારું રાખવામાં મદદરૂપ છે. જો દરરોજ એક કેરી ખાવામાં આવે તો તે કબજિયાત અને પાઈલ્સ જેવી બીમારીઓથી બચવામાં પણ મદદ કરે છે.
6. ત્વચા માટે ફાયદાકારક
ચમકદાર ચહેરા માટે, તમારા ચહેરા પર કેરીની ગોટલી લગાવો અને તેને 30 મિનિટ માટે રહેવા દો. તેમાં બીટા કેરોટીન અને વિટામિન એ હોય છે, જે તમારી ત્વચાને નવું જીવન આપે છે અને ખીલ જેવા રોગો સામે પણ લડે છે. આ પ્રક્રિયા કરવાનો યોગ્ય સમય રાત્રે સૂતા પહેલાનો છે.