જાણો શું છે, આ વસ્તુઓને ખાવાનો સાચો અને ખોટો સમય
ઘણા લોકો પોતાની હેલ્થ અને આહારને લઈને ઘણા જ ચોક્કસ હોઈ છે. પરંતુ તેમને ખબર નથી હોતી કે કયો ખોરાક ક્યારે લેવો જોઈએ અને ક્યારે ના લેવો જોઈએ. ઘણા લોકો પોતાની હેલ્થ અને આહારને લઈને ઘણા જ ચોક્કસ હોઈ છે પરંતુ તેમને ખબર નથી હોતી કે કયો ખોરાક ક્યારે લેવો જોઈએ અને ક્યારે ના લેવો જોઈએ. જેમકે ઘણા લોકો એવું કહે છે કે ચોખા રાતે ના ખાવા જોઈએ પરંતુ આ વાત સચ્ચી નથી ચોખા હમેશા રાત્રે જ ખાવા જોઈએ જેથી તે જલ્દી પચી પણ જાય છે અને ઊંઘ પણ સારી આવે છે.
ખોરાક હમેશા ખરા સમયે લેવાથી જ તેના ગુણ મળે છે અને તંદુરસ્તી જળવાઈ રહે છે. તો આઓ જાણીએ કે દાળ, ચોખા, કોફી, દહીં જેવી ચીઝો ખાવાનો સાચ્ચો સમય કયો છે.
ચોખા
ચોખા હમેશા રાત્રે જ ખાવા જોઈએ જેથી તે જલ્દી પચી પણ જાય છે અને ઊંઘ પણ સારી આવે છે. ચોખા બપોરે ખાવાથી અચાનક જ બ્લડસુગર વધી જાય છે અને ઊંઘ આવવા લાગે છે.
દહીં
દહીં હમેશા દિવસમાં ખાવું જોઈએ જેનાથી શરીર તંદુરસ્ત રહે છે અને રાતે દહીં ખાવા થી તે શરીરને તકલીફ કરે છે.
ખાંડ
ખાંડ દિવસમાં ખાવાથી તે શરીરને ફાયદો કરે છે અને આરામથી તે હઝમ પણ થઇ જાય છે. રાત્રે ખાંડ ખાવાથી સુગર લેવલ વધી જાય છે અને ઊંઘ બરાબર નથી આવતી.
કેળા
કેળા હમેશા વર્કઆઉટ પછી ખાવું જોઈએ કારણકે તે તરત જ ઉર્જા આપે છે. કેળા તમે બપોરે પણ ખાઈ શકો છો તે લાંબા સમયથી ઉર્જા આપે છે. પરંતુ કેળા કદી પણ સુતા પહેલા ના ખાવા જોઈએ તેનાથી શરદી થવાનો ખતરો વધી જાય છે.
દાળ અને બિન્સ
સવારે અને બપોરે ખાઈ શકો છો કારણે કે જલ્દી પચી પણ જાય છે અને ગેસ પણ નથી બનતી જયારે રાત્રે ખાવાથી પચવામાં તકલીફ કરે છે અને ગેસ પણ બને છે.
અખરોટ
અખરોટ રાત્રે સુતા પહેલા સ્નેકના રૂપમાં ખાઈ શકો છો.
અંજીર અને ખુબાની
સવારે ખાવાથી પેટમાં સારી ઉર્જા મળે છે. પરંતુ રાત્રે ખાવાથી ગેસ બને છે.
ચીઝ
ચીઝ હમેશા સવારે જ ખાઓ સાંજે અને રાત્રે ખાવાથી તે જલ્દી પચતી નથી અને વજન પણ વધારે છે.
દૂધ
દૂધ તમે ગમે ત્યારે પી શકો છો.
કોફી
કોફી સવારે પીવી જોઈએ કારણકે તે શરીરમાં ઉર્જા ભરી દે છે અને ઊંઘ પણ ઉડાવી દે છે કોફી ક્યારેય પણ સાંજે 7 વાગ્યા પછીના પીશો કારણ કે તે તમારી ઊંઘ ઉડાવી સકે છે.