શું જમતી વખતે પાણી પીવું યોગ્ય છે?
કેટલાક લોકો ખાતા ખાતા પાણી પીવે છે જે એક ખરાબ આદત છે. જો તમને પણ આ આદત છે તો જલ્દીથી તેને બદલી નાખો. વેજ્ઞાનિક નજરથી હાઈડ્રેસન, ચયાપાચન અને પાચનતંત્ર ના કામકાજ માટે પાણીના મહત્વને ખુબ જ સારી રીતે બતાવવામાં આવ્યું છે.
અહી એ વાત નહી થઇ રહી કે ક્યારે પાણી પીવું જોઈએ અને ક્યારે પાણી ના પીવું જોઈએ. પરંતુ એ વિષય પર વાત કરી રહ્યા છે કે કેટલું પાણી પીવું ફાયદાકારક હોઈ શકે છે. જો તમે ભોજન કરતા કરતા વધારે પ્રમાણમાં પાણી પીવો છો તો ભોજન સારી રીતે પચતું નથી.
જો તમારે ભોજનનો સારી રીતે લાભ લેવો હોઈ તો નીચે જણાવ્યા મુજબની વાત યાદ રાખો....
ભોજનના 30 મિનીટ પહેલા પાણી પીઓ
ભોજનના 30 મિનીટ પહેલા પાણી પીઓ જેનાથી તમે ભોજનના વચ્ચે વચ્ચેના પાણીથી બચી જશો. આમ કરવાથી ભોજન પચાવવાવાળો રસ પણ સારી રીતે તેનું કામ કરી શકશે.
સાત્વિક ભોજન લો
સાત્વિક ભોજનનું સેવન કરો તામસી ભોજન ખાવાથી વચ્ચે વચ્ચે પાણીની જરૂર પડે છે.
જમતી વખતે તરસ લાગે તો શું કરવું
જમતી વખતે તરસ લાગે તો હલકો પાણીનો ઘુંટડો પી શકો છો.
ભોજન કર્યા બાદ ક્યારે પાણી પીવું
ભોજન કર્યા ના 30 મિનટ બાદ પાણી પીવું જોઈએ.
ખાતી વખતે શરીરને હાઈડરેડ રાખો
જો તમે દિવસભરથી પાણી ના પીધું હોઈ તો જમતા પહેલા થોડું પાણી પી લેવું જોઈએ. કારણકે જો શરીરમાં પાણીની ઉણપ રહી ગઈ તો જમવાનું પણ નહી પચે.
જાણો થોડાક નિયમો
પાણી હમેશાં રૂમના તાપમાન મુજબ જ હોવું જોઈએ અને જમતી વખતે દારુ કે કોલ્ડડ્રીંકનો ઉપયોગ ના કરો.