જાણો, ઘી ખાવાનો યોગ્ય સમય કયો છે?
આયુર્વેદ મુજબ ઘી ખાવાનો પણ એક યોગ્ય સમય હોઈ છે. જયારે આપણે ખાવાનું ખાવાની શરૂઆત કરીએ છે ત્યારે આપણી સામે ભારે ભોજન પહેલા પીરસવામાં આવે છે અને છેલ્લે કંઈક મીઠું ખાઈને જમવાનું પૂરું કરીએ છે.
વધારે ભૂખ લાગે ત્યારે આપણા પેટની પાચનશક્તિ હાઈ લેવલ પર હોઈ છે એટલા માટે તે ભારે ભોજનને પણ સરળતાથી પચાવી નાંખે છે. આપની જાણકારી માટે જણાવી દઈએ કે ઘી ભારે હોઈ છે એટલે તેને જમવાની શરૂઆતમાં જ ખાઈ લેવું જોઈએ. જેના કારણે તે સરળતાથી પચી પણ જાય છે.
જો તમે ઘી ખાવાના શોકીન હોવ તો આ જાણકારી તમારા માટે ખુબ જ ઉપયોગી સાબિત થશે...
દોષ અનુસાર ખાઓ
ઘી વાત અને પિત દોષને જાળવવાનું કામ કરે છે એટલે એ જાણવું જરૂરી છે કે ઘી ને જમતા પહેલા કે પછી જમતી વખતે ખાવું જરૂરી છે.
ઘી ખાવાથી પેટની પાચનશક્તિ વધે છે
ભારે હોવાની સાથે સાથે ઘી પેટની પાચનશક્તિ પણ વધારે છે. જો તમે ઘી જમવાની સાથે ખાસો તો ગમે તેવો ભારે ખોરાક પણ તમે પચાવી લેશો.
પેટનો બચાવ કરે છે
જો તમે ઘીને જમતા પહેલા લો છો તો તેનાથી મસાલેદાર અને તીખા ખોરાકનો અસર ઓછો કરી દે છે.
ગરમ ખાવાની સાથે
જો તમારું જમવાનું ગરમ છે તો ઘીનો ઉપયોગ તમે તેની સાથે કરી શકો છો.
ઠંડા ભોજન સાથે
ઘી ને ગરમ વસ્તુઓ સાથે જ ખાવી યોગ્ય રહશે.
ઘી હજમ થવાના સંકેત
શરીરમાં
હલકા
પણું
બની
રહે
છે.
સુસ્તી
નો
અભાવ.
ઘી હજમ ના થવાના સંકેત
ભારીપણું
પેટ
ફૂલવું
થાકી
જવું
ખુબ
જ
વધારે
ભૂખ
લાગવી
ઘી હજમ ના થવાના ઉપચાર
જો ઘી હજમ ના થયું હોઈ તો છાસમાં આદુ અને કાળી મિર્ચનો પાવડર મિક્ક્ષ કરીને પી જાઓ.
ઘી ખાવાનો સારો સમય કયો
ભોજન દરમિયાન ઘી ખાવું ખુબ જ સારું અને યોગ્ય રહશે.