જો લાઇફમાં ભરવો હોય રોમાંસ, તો બેડરૂમનો રાખો ખ્યાલ
માનવજીવનમાં તેનો શયનકક્ષ એટલે કે બેડરૂમ ખૂબ જ મહત્વ ધરાવે છે. જો આપનું જીવન બેડરૂમમાં કૂલ નહીં હોય તો બહારનું જીવન પણ કૂલ નહીં બને. એટલા માટે વાસ્તુના હિસાબે આપે આપના બેડરૂમમાં ખાસ વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે. આચાર્ય પં. રામ નારાયણ શર્માએ બેડરૂમ માટે કંઇક ખાસ ટિપ્સ જણાવી છે, જેને અપનાવીને આપ આપની બેડરૂમ લાઇફ થકી બહારની જીવનશૈલિને પણ પ્રફ્ફુલિત અને રોમાંચિત કરી શકશો.
આવો એક નજર કરીએ ટિપ્સ પર..
લાઇફમાં ભરવો હોય રોમાંસ
બેડરૂમમાં એક બારી ચોક્કસપણે હોવી જોઇએ. ક્યારેય પણ મુખ્ય દ્વાર તરફ પગ રાખીને ઊંઘવું નહીં. પલંગની સામે દર્પણ ના હોવું જોઇએ. જો એવું હશે તો આપ હંમેશા વ્યાકુળ અને પરેશાન રહેશો.
લાઇફમાં ભરવો હોય રોમાંસ
બેડરૂમમાં બે સુંદર સજાવટી કુંડા મૂકો. તેનાથી આપનું વૈવાહિક જીવન સુખમય બની રહેશે.
લાઇફમાં ભરવો હોય રોમાંસ
જો આપની પાસે ધનની ઊણપ હોય તો એક વાસણમાં થોડા ચોખાના દાણા નાખીને આપ પોતાના બેડરૂમમાં અવશ્ય રાખો જરૂર ફાયદો થશે
લાઇફમાં ભરવો હોય રોમાંસ
પતિ-પત્નીની વચ્ચે પ્રેમ વધારવા માટે સિરેમિક પોટમાં લાલ રંગની બે મીણબત્તીઓ સળગાવો.
લાઇફમાં ભરવો હોય રોમાંસ
વાસ્તુ શાસ્ત્ર અનુસાર પૂર્વની તરફ તથા ઉત્તર દિશા તરફ મુખ કરીને ઊંઘવું સુખદાયક હોય છે. દક્ષિણ તરફ મુખ કરીને ના સુવું જોઇએ. દક્ષિણ તરફ મો રાખીને સુવાથી નિંદ્રા નથી આવતી અને જો આવે તો ખરાબ સપના આવે છે.
લાઇફમાં ભરવો હોય રોમાંસ
બેડરૂમ સજાવીને રાખો, ત્યાં કબાડ જમા ના થવા દો. ધ્યાન રાખો કે ત્યાં સાઇડ ટેબલ પર કોઇ પણ વસ્તુ ધૂળ ભરેલી, વેરવિખેર ના હોય. પ્રેમમાં વધારો કરવા માટે સિરેમિકની બનેલ વિંડ ચાઇમ્સનો પ્રયોગ કરો.
લાઇફમાં ભરવો હોય રોમાંસ
બેજરૂમમાં ડ્રેસિંગ ટેબલ ક્યારેય પણ બારીની સામે ના રાખો અને બેડરૂમમાં ફર્નિચર ધનુષાકાર, અર્ધચંદ્રાકાર અથવા વૃત્તાકારમાં ના હોવું જોઇએ. તેનાથી ઘરના સભ્યોનું સ્વાસ્થ્ય બગડેલું રહે છે.
લાઇફમાં ભરવો હોય રોમાંસ
લવ બર્ડ, મેંડરેન ડક જેવા પક્ષીઓ પ્રેમનું પ્રતીક છે. તેની નાની મૂર્તિયો પોતાના ઓરડામાં રાખવી.
લાઇફમાં ભરવો હોય રોમાંસ
બેડરૂમમાં રાધાકૃષ્ણની તસવીર લગાવો તો ખૂબ જ સારૂ રહેશે.
લાઇફમાં ભરવો હોય રોમાંસ
બેડરૂમમાં પલંગ એ પ્રકારે રાખો કે તે દરવાજાની પાસે ના હોય, એવું થવાથી મનમાં અશાંતિ અને વ્યાકુળતા બની રહે છે.