હાથથી જમવાનું કેમ હોય છે ફાયદાકારક
મોટાભાગે ભારતીય પોતાના હાથથી ખાવાનું ખાય છે. પરંતુ આજકાલ આપણે પશ્વિમી સંસ્કૃતિનું અનુકરણ કરતાં ચમચી અને કાંટા ચમચી ખાવાથી શરૂ કરી દિધું છે. પરંતુ શું તમે જાણો છે કે પોતના હાથ જમવાથી સ્વાસ્થ સંબંધિત ઘણા ફાયદા છે.
ભોજન દરમિયાન પાણી પીવાથી થાય છે 7 નુકસાન
આ તમારી જરૂરી એનર્જીને સંતુલિત રાખે છે
આર્યુવેદમાં કહેવામાં આવ્યું છે કે આપણે બધા પંચ તત્વોથી બનેલા છીએ જેને જીવન ઉર્જા પણ કહે છે, અને આ પાંચ તત્વો આપણા શરીરમાં હાજર છે (તમારો અંગૂઠો અગ્નિનું પ્રતીક છે, તર્જની આંગળી હવાનું પ્રતિક છે, મધ્યમા આંગળી આકાશનું પ્રતીક છે, અનામિકા આંગળી પૃથ્વીનું પ્રતિક છે અને સૌથી નાની આંગળી જળનું પ્રતીક છે.) તેમાંથી કોઇપણ એક તત્વ અસંતુલન બીમારીનું કારણ બની શકે છે.
શરીરને નિરોગ રાખવાની ક્ષમતા
જ્યારે આપણે હાથથી જમીએ છી તો આપણે આંગળીઓ અને અંગૂઠાને મીલાવીને જમીએ છીએ અને આ જે મુદ્રા છે આ મુદ્રા વિજ્ઞાન છે, આ મુદ્રાનું જ્ઞાન છે અને તેમાં શરીરને નિરોગ રાખવાની ક્ષમતા નિહિત છે. એટલા માટે જ્યારે જમીએ છીએ તો આ બધા તત્વો એકજૂટ કરીએ છીએ જેથી ભોજન વધુ ઉર્જાદાયક બની જાય છે અને આ સ્વાસ્થ્યપ્રદ બનીને આપણી મહત્વની એનર્જીને સંતુલિત રાખે છે.
આનાથી પાચનમાં સુધારો થાય છે
ટચ આપણા શરીરને સૌથી મજબૂત મોટાભાગે ઉપયોગ થનાર અનુભવ છે. જ્યારે આપણે હાથથી જમીએ છી તો આપણું મગજ આપણા પેટને એ સંકેત આપે છે કે આપણે જમવાના છીએ. તેનાથી આપણું પેટ આ ભોજનને પચાવવા માટે તૈયાર થઇ જાય છે જેથી પાચનક્રિયા સુધરે છે.
હાથથી જમતી વખતે ધ્યાન રાખવું પડે છે
હાથથી ખાવામાં તમારે ખાવા પર ધ્યાન આપવું પડે છે. તેમાં તમારે જમવા પર ધ્યાન આપવું પડે છે. તેમાં તમારે જમવાનું જોવું પડે છે અને જે તમારા મોંઢામાં જઇ રહ્યું છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરવું પડે છે. તેને માઇંડફૂ ઇટિંગ પણ કહે છે અને આ મશીનની જેમ ચમચી અને કાંટાથી ખાવા કરતાં વધુ સ્વાસ્થ્યપ્રદ છે.
આ તમારા મોંઢાને બળતાં બચાવે છે
તમારો હાથ એક સારો તાપમાન સંવેદકનું પણ કામ કરે છે. જ્યારે તમે ભોજનને અડકો છો તો તમને અંદાજો લાગી જાય છે કે આ કેટલું ગરમ છે અને જો આ વધુ ગરમ હોય છે તો તેને મોંઢામાં મુકતા નથી. આ પ્રકારે તમારી જીભને બળતા બચાવે છે.