જાણો, લગ્ન બાદ યુવક-યુવતીઓ કેમ થઇ જાય છે જાડા
[સ્વાસ્થ્ય] હંમેશા આપે સાંભળ્યું હશે કે લગ્ન પછી યુવક-યુવતીઓ જાડા થઇ જાય છે. ઘણા ઓછા લોકો એવા હોય છે જેમના માટે એવું કહેવામાં આવે છે કે તેઓ લગ્ન બિલકૂલ એવા જ છે જેવા કોલેજમાં હતા.
હાલમાં જ કરવામાં આવેલ એક સંશોધનમાં એ જાણવાની કોશીશ કરવામાં આવી કે કેમ લગ્ન બાદ લોકો જાડા થઇ જાય છે. જેમાં નિમ્નલિખિત વાતો નિકળીને સામે આવી.
- શોધમાં કહેવામાં આવ્યું કે લગ્ન બાદ યુવક-યુવતીઓની લાઇફ વ્યવસ્થિત થઇ જાય છે જેના કારણે લોકોનું વજન વધી જાય છે.
- લગ્ન બાદ વ્યક્તિના દિમાગમાં ક્યાંકને ક્યાંક એ વાત પણ આવી જાય છે કે તેઓ હવે પોતાની લાઇફમાં લગભગ સેટ થઇ ચૂક્યા છે, આ માનસિક નિશ્ચિંતતા તેને ખાવામાં મદદ કરે છે અને તે દિવસેને દિવસે જાડો થતો જાય છે.
- લગ્ન બાદ વ્યક્તિની લાઇફ એક નિયમિત દિનચર્યામાં ફેરવાઇ જાય છે, જેના કારણે હંમેશા લોકો વર્કઆઉટ, જિમ અથવા રમવાનું છોડી દે છે અથવા તો છૂટી જાય છે જેના કારણે પણ તેઓ મેદસ્વીપણાનો શિકાર બની જાય છે.
લગ્નબાદ મેદસ્વીપણાનો શિકાર બનવાના અન્ય કારણો આ પ્રમાણે છે...
પ્રેગ્નેન્સી
યુવતીઓનું વજન વધવાનું મુખ્ય કારણ પ્રેગ્નન્સી છે, પ્રેગ્નન્સી બાદ મહિલાઓનું વજન વધી જાય છે.
પત્નીના હાથનું ભોજન
પત્નીના હાથનું ભોજન ટાઇમસર મળવાથી યુવકોનું વજન વધી જાય છે, જે બેચલર લાઇફમાં અસ્તવ્યસ્ત હોય છે.
અવસાદ
જોકે કેટલાક લોકો જ્યારે પોતાના લગ્નથી ખુશ નથી હોતા તો તેઓ અવસાદમાં પણ વધારે ખાવાનું ખાવા લાગે છે, જેના કારણે તેઓ જાડા થઇ જાય છે.
લોકોની પસંદનું ભોજન
મહિલાઓ સારી પત્ની અને વધૂ બનવાના ચક્કરમાં લોકોની પસંદનું ભોજન બનાવવા લાગે છે જેના કારણે તેઓ ડાઇટનું ધ્યાન નથી રાખી શકતી અને ફૂલી જાય છે.
ઓવર ઇટિંગ
હંમેશા યુવતીઓ વધેલા ખોરાકને ફેંકવો ના પડે તે કારણથી પણ ઓવરઇટિંગ કરી લે છે જે પણ તેમના જાડાઇનું કારણ બને છે.
અસુરક્ષાની ભાવનાનો ખાત્મો
લગ્ન બાદ પાર્ટનર્સની અંદર આ ઇચ્છા નથી રહેતી, સામાન્ય રીતે બંને એક-બીજાના શરીરને આકારના કારણે છોડી દેશે, જ્યારે લગ્ન પહેલા આ ચીજો મહત્વ ધરાવે છે, આજ કારણે યુવક યુવતીઓ પોતાની ઉપર ધ્યાન નથી આપતા અને જાડા થઇ જાય છે.