ગરમીમાં નારીયેલ પાણીથી ચેહરો ધોવાથી થાય છે જાદુઈ લાભ
ગરમીના સમયમાં ચેહરા પર પાણીના છાટા મારવાથી ઘણી જ રાહત મળે છે. એવું માનવામાં આવે છે કે ગરમીના મોસમમાં ઓછામાં ઓછુ 2 થી 3 વાર ચેહરો પાણીથી ધોવો જોઈએ. આવું કરવાથી ચેહરો સાફ રહે છે અને ચેહરા પણ તાજગી પણ બની રહે છે.
રોજ ખાઓ 1 કપ તરબૂચ અને પછી જુઓ શરીર પર જાદુઈ અસર
પરંતુ શું તમને ખબર છે કે નારીયેલનું પાણી ચેહરા માટે સામાન્ય પાણી કરતા વધારે લાભકારક હોઈ છે. નારીયેલ પાણીથી ચેહરા પર ડાઘા નથી પડતા અને કાળા ડાઘ પણ નીકળી જાય છે. ચેહરા પર પરસેવો વધારે આવે ત્યારે નારીયેલ પાણી લાભકારક સાબિત થઇ શકે છે.
તાજા નારીયેલ પાણીથી ચેહરો ધોવાથી ચહેરાનો રંગ વધારે સારો બની રહે છે. તો જુઓ ચેહરા માટે નારીયેલ પાણીના ગુણકારક લાભ...
ડાઘા દુર કરે છે
જો તમારા ચેહરા પર વધારે પડતા ડાઘા હોઈ તો નારીયેલ પાણી તમારા માટે ખુબ જ ફાયદાકારક સાબિત થઇ શકે છે.
ખીલથી છુટકારો
જો ચેહરા પર ખીલ હોઈ તો નારીયેલ પાણીનો ઉપયોગ જરૂર કરવો જેના થી ખીલ દુર થઇ જાય છે.
ડાર્કસ્પોટ થી છુટકારો
નારીયેલ પાણી ડાર્કસ્પોટ થી છુટકારો પણ અપાવે છે. નારીયેલ પાણી માં થોડી હળદર મેળવીને લગાવવાથી ચેહરા માટે ફાયદાકારક બની શકે છે.
કરચલીઓ દુર કરે છે
નારીયેલ પાણીનો ઉપયોગ ચેહરાની કરચલીઓ દુર કરવા માટે પણ થાય છે.
સન ટેન હટાવે છે
તેજ ગરમીથી આપણો ચેહરો ટેન થઇ જાય છે. એવામાં નારીયેલ પાણી નો ઉપયોગ ખુબ જ ફાયદાકારક સાબિત થાય છે.