How to: ઓનલાઇન આ રીતે સુધારો આધાર અને પાનની ભૂલો
આયકર વિભાગ દ્વારીા તેની વેબસાઇટ પર બે લિંક આપવામાં આવી છે. જેના લીધે હવે તમે પાનકાર્ડ અને આધાર કાર્ડની ભૂલો સુધારી શકો છો.
આયકર વિભાગ દ્વારા એક નવી સુવિધા શરૂ કરવામાં આવી છે. જેની મદદથી તમે આધાર કાર્ડ અને પાનકાર્ડની ભૂલો ઓનલાઇન સુધારી શકો છો. તો જો તમારા આધાર કાર્ડ અને પાનકાર્ડમાં કોઇ જોડણીની ભૂલો હોય તો તેને ઓનલાઇન કેમ ઠીક કરવી તે જાણો અહીં. જેથી કરીને તમે બન્ને દસ્તાવેજોમાં એક જ નામ કરાવી શકો છો. તો જાણો કેવી ઓનલાઇન આધાર કાર્ડ અને પાનકાર્ડની જોડણીની ભૂલો સુધારવી...
વેબસાઇટ પર બે લિંક
આયકર વિભાગે તેની વેબસાઇટ પર બે નવી લિંક મૂકી છે. આમાંથી એક લિંક પાનકાર્ડની જાણકારી ઠીક કરવા માટે છે. અને બીજી આધાર કાર્ડની જાણકારી અને ભૂલો ઠીક કરવા માટે. સાથે જ ઉપરોક્ત લિંક દ્વારા તમે નવા પાનકાર્ડ માટે આવેદન પણ કરી શકો છો.
બીજી લિંક
આ લિંકની મદદથી તમે તમારા આધાર પોર્ટલમાં લોગઇન કરી શકો છો. અને નામ, સરનામાં જેવી તમારી તમામ જાણકારીને ઠીક કરી શકો છો. આ માટે તમારે સ્કેન ડોક્યુમેન્ટ પણ અપટેડ કરવા પડશે. જે પછી તમે આધાર કાર્ડને લગતી તમારી તમામ જાણકારી ઠીક કરી શકશો.
શું છે મુશ્કેલી?
આમ તો ભારતમાં લગભગ 1.22 કરોડ લોકો તેમના આધાર કાર્ડને પાનકાર્ડ સાથે લિંક કરી ચૂક્યા છે. પણ દેશમાં હજી પણ 25 કરોડ લોકો પાસે પાનકાર્ડ નથી. ત્યાં જ બીજી તરફ 111 કરોડ લોકોને આધાર કાર્ડ આપવામાં આવ્યા છે. એક રિપોર્ટ મુજબ ખાલી 6 કરોડ લોકો જ આયકર આપે છે. ત્યારે લોકોની મુશ્કેલી ઓછી કરવા માટે સરકારે આ નિયમ લાવ્યો છે.
વધુ વાંચો
{promotion-urls}