CBSE, CISCEની 12માંની પરીક્ષાઓ રદ કરવાની માંગ પર સુપ્રીમ કોર્ટમાં આજે ફરીથી થશે સુનાવણી
CBSE, CISCEની 12માંની પરીક્ષાઓ રદ કરવાની માંગ પર આજે ફરીથી સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે.
નવી દિલ્લીઃ CBSE, CISCEની 12માંની પરીક્ષાઓ રદ કરવાની માંગ પર આજે ફરીથી સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે. વકીલ મમતા શર્માએ કોરોના વાયરસ દરમિયાન સીબીએસઈ અને સીઆઈએસસીઈની 12માંની પરીક્ષાઓ રદ કરવાની અરજી કરી હતી. અરજીમાં એ માંગ કરવામાં આવી હતી કે એક નિશ્ચિત સમય સીમામાં વિદ્યાર્થીઓના રિઝસ્ટ જાહેર કરવા માટે 'ઑબ્જેક્ટીવ મેથો઼ોલૉજી'નો ઉપયોગ કરવામાં આવે.

આ ઉપરાંત સુપ્રીમ કોર્ટ ટોની જોસેફ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર પણ સુનાવણી કરશે જેમાં પરીક્ષાઓ રદ ન કરવાની માંગ કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટ આજે સવારે 11 વાગે કેસની સુનાવણી કરશે. જોસેફે અરજીમાં કહ્યુ છે કે શિક્ષણ વિદો અને શિક્ષણ સંસ્થાઓના પ્રમુખોનો મોટો પરીક્ષાઓ કરાવવાના પક્ષમાં છે. શૈક્ષણિક વિશેષજ્ઞોનુ માનવુ છે કે પરીક્ષાઓ રદ ન કરવી જોઈએ અને ડિજિટલ માધ્યમોનો ઉપયોગ કરીને આયોજિત કરવી જોઈએ.
હાલમાં જ જસ્ટીસ એએમ ખાનવિલકર અને દિનેશ માહેશ્વરીની પીઠે અરજીકર્તા એડવોકેટ મમતા શર્મા દ્વારા દાખલ અરજીની એક આગોતરા કૉપી સીબીએસઈ અને સીઆઈએસસીઈને ન સોંપવાના કારણે કેસની સુનાવણીને સ્થગિત કરી દીધી હતી અને કેસની આગામી સુનાવણી માટે 31 મેની તારીખ નિશ્ચિત કરી હતી.
વિદ્યાર્થી કરી રહ્યા છે પરીક્ષાઓ રદ કરવાની માંગ
12માંના લાખો વિદ્યાર્થી કોરોના વાયરસના કારણે છેલ્લા ઘણા દિવસોથી 12માં બોર્ડની પરીક્ષાઓ રદ કરાવવાની માંગ કરી રહ્યા છે. વળી, મોટાભાગના રાજ્ય નાના ફૉર્મેટમાં બોર્ડની પરીક્ષાઓ કરાવવાના પક્ષમાં છે. દિલ્લીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ કેન્દ્રને અપીલ કરી છે કે પરીક્ષાઓ કરાવતા પહેલા બધા વિદ્યાર્થીઓને વેક્સીન લગાવવામાં આવે અને જો આવુ સંભવ ન હોય તો તેમને છેલ્લા પ્રદર્શનના આધારે આગલા ધોરણમાં પ્રમોટ કરવામાં આવે.












Click it and Unblock the Notifications
