Exclusive : પ્રેમ, સમર્પણ અને ત્યાગનું દૃષ્ટાંત છે ઐશ-અભિ!
મુંબઈ, 22 એપ્રિલ : ગત 20મી એપ્રિલે બૉલીવુડના જૂનિયર બચ્ચન એટલે કે અભિષેક બચ્ચન અને ભૂતપૂર્વ વિશ્વ સુંદરી ઐશ્વર્યા રાયના લગ્નને સાત વર્ષ પૂર્ણ થઈ ગયાં. બંનેના પ્રેમના બીજ આરાધ્યાએ આજે તેમના જીવનને વધુ ખુશનુમા બનાવી દીધું છે. લોકોએ ટ્વિટર તથા ફેસબુક ઉપર મનમૂકીને બંને સ્ટાર્સને દુઆઓ અને શુભેચ્છાઓ પાઠવી છે અને તે બદલ ઐશ-અભિએ લોકોનો આભાર પણ વ્યક્ત કર્યો છે.
બચ્ચન પરિવાર પોતાના સંસ્કારો તેમજ પરમ્પરાઓ માટે જાણીતો છે. ટ્વિટર-ફેસબુક ઐશ-અભિના વખાણથી ભરી ગયાં છે. લોકોએ ઐશ-અભિને પરફેક્ટ કપલ ગણાવ્યાં છે. દિલ્હી નિવાસી સવિતા સિંહે ટ્વિટર પર લખ્યું છે કે ભલે અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય બંને લગ્ન પહેલા ક્યાંક બીજે એંગેજ રહ્યા હોય, પણ લગ્ન બાદ બંનેએ પોતાની જાતને એક-બીજા પ્રત્યે સમર્પિત કરી દીધી છે. પ્રેમ અને વિશ્વાસ જ કોઈ પણ સંબંધનો પાયો હોય છે કે જે બંનેની રિલેશનશિપમાં નજરે પડે છે.
ચાલો જોઇએ ઐશ-અભિનું સ્ટીમી ફોટોશૂટ કે જ્યાં બંને એક-બીજાની બાહોમાં મદહોશ બની ગયા છે અને જાણીએ વધુ વિગતો :
લગ્ન પહેલા જ મોટી છબી
ઐશ્વર્યા રાય લગ્ન પહેલા જ મોટી છબી ધરાવતા હતાં. તેઓ વિશ્વ સુંદરીનો ખિતાબ જીતી ચુક્યા હતાં અને બૉલીવુડમાં એક સફળ અભિનેત્રી ગણાતા હતાં.
સામાન્ય ભારતીય નારી
મોટો મોભો હોવા છતાં ઐશે લગ્ન બાદ એક સામાન્ય ભારતીય નારીની જેમ પોતાને સંકોચી લીધી કે જે દરેકના વશની વાત નથી હોતી, પરંતુ તેમના આ ગુણો જ તેમના બીજા કરતા જુદા તારવે છે.
અભિષેક સંઘર્ષશીલ
બીજી બાજુ અમિતાભ બચ્ચન જેવા મેગાસ્ટારના પુત્ર હોવા છતાં અભિષેક બચ્ચન લગ્ન પહેલા બૉલીવુડમાં સંઘર્ષ કરી રહ્યા હતાં. તેમનું ફિલ્મી કૅરિયર સારી રીતે નહોતું ચાલતું.
સન્માનની પરમ્પરા જાણવતા અભિ
બચ્ચન પરિવાર પોતાના સંસ્કારો-પરમ્પરાઓ માટે જાણીતો છે અને અભિષેક બચ્ચન પણ તે જ સંસ્કારો અને પરમ્પરાઓમાં કોતરાયેલ રૂપ છે કે જે કોઈ પણ સમયે પોતાના જીવનસાથી ઐશને સન્માન આપવાનું નથી ચૂકતાં.
એક-દૂજે કે લિયે
આમ કહી શકાય કે ઐશ-અભિ એક-દૂજે કે લિયે બન્યાં છે. માનો કે ન માનો, પણ ઐશ-અભિ બૉલીવુડનું પરફેક્ટ કપલ છે. વનઇન્ડિયા પરિવાર પણ તેમની જોડી સલામત રહે તેવી શુભેચ્છા પાઠવે છે.
હૉટ કપલ અભિષેક-ઐશ્વર્યાના રોમેન્ટિક પળ
હૉટ કપલ અભિષેક-ઐશ્વર્યાના રોમેન્ટિક પળ