ફસાઈ ગયા સાજિદ ખાન અને આલોક નાથ, FWICE આપશે કારણદર્શક નોટિસ
મી ટુના એક પછી એક કેસ સામે આવ્યા બાદ આરોપીઓની મુશ્કેલીઓ વધી રહી છે. અભિનેતા આલોક નાથ અને નિર્દેશક સાજિદ ખાન મોટી મુસીબતમાં આવી શકે છે.
મી ટુના એક પછી એક કેસ સામે આવ્યા બાદ આરોપીઓની મુશ્કેલીઓ વધી રહી છે. અને હવે તો કંઈક એવુ થયુ છે જે બાદ અભિનેતા આલોક નાથ અને નિર્દેશક સાજિદ ખાન મોટી મુસીબતમાં આવી શકે છે. ધ ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઈન્ડિયા સિને એમ્પ્લોય્ઝ (FWICE) બંનેને કારણદર્શક નોટિસ મોકલશે. ઉલ્લેખનીય છે કે બંને પર યૌન શોષણનો આરોપ છે.
આ પણ વાંચોઃ Me Too: હવે રાખી સાવંત લેશે તનુશ્રીથી બદલો, કરશે 50 કરોડનો માનહાનિનો કેસ
ધ ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઈન્ડિયા સિને ઓમ્પ્લોય્ઝે કહ્યુ હતુ કે તેમની પાસે અત્યારે જે નોટિસો ગઈ છે તે ક્યાંકને ક્યાંક તેમણે જે કામ કર્યુ છે તેનાથી તે સંપર્ણપણે સંતુષ્ઠ નથી થઈ રહ્યા. આ ઉપરાંત એ પણ માલુમ પડ્યુ હતુ કે આઈએફટીડીએ આ બધી જાણકારીથી પણ સંતુષ્ટ નથી. આ જ કારણ છે કે આઈએફટીડીએ કહ્યુ કે તે લિંગભેદ વિના બધાની તપાસ કરશે અને ત્યારબાદ જ કોઈને કોઈ નિર્ણય પર પહોંચશે.
આ પણ વાંચોઃ પ્રભાસ બર્થડેઃ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના મોસ્ટ એલિજીબલ બેચલર પાસે છે 160 કરોડની સંપત્તિ
ઉલ્લેખનીય છે કે આ નિર્ણય મોટા અધિકારીઓના નિર્ણય બાદ લેવામાં આવ્યો છે અને ઘણો મોટો નિર્ણય માનવામાં આવી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે આલોકનાથ અને સાજિદ ખાન પર ગંભીર આરોપ છે ત્યારબાદથી બંને ઘણા ચર્ચામાં આવી ગયા હતા.