Pics : આલિયા-પરિણીતી વચ્ચે કોઈ ખટરાગ નથી?
મુંબઈ, 7 ફેબ્રુઆરી : શું પરિણીતી ચોપરા અને આલિયા ભટ્ટ વચ્ચે કોઈ ખટરાગ નથી? જેમ કે છેલ્લા કેટલાક દિવસથી અફવાઓ ચાલી રહે છે, તે જોતા હવે આ બાબતે સ્પષ્ટીકરણ થવું જરૂરી થઈ ગયું છે અને કદાચ એટલે જ આ બંને અભિનેત્રીઓ હવે ખુલીને સૌની સામે આવવા તૈયાર છે.
મળતી માહિતી મુજબ પરિણીતી ચોપરા અને આલિયા ભટ્ટ ફિલ્મ નિર્માતા કરણ જૌહરના ચૅટ શો કૉફી વિથ કરણમાં ટુંકમાં જ એક સાથે જોવા મળશે. પરિણીતી કહે છે કે તેઓ આ શોમાં એટલા માટે ગયાં, કારણ કે તેઓ આલિયા સાથે ખટરાગની અફવાઓને સમાપ્ત કરવા માંગતા હતાં. પરિણીતીએ આ ખુલાસો ગુરુવારે હસી તો ફસી ફિલ્મના સ્પેશિયલ સ્ક્રીનિંગ પ્રસંગે યોજાયેલા પ્રેસ કૉન્ફરંસ દરમિયાન કર્યો.
ચાલો તસવીરોમાં જોઇએ પરિણીતી શું કહી રહ્યાં છે? :
વિવાદનો અંત કરવા...
પરિણીતી ચોપરાએ જણાવ્યું - અમે હકીકતમાં કૉફી વિથ કરણ શોમાં સૌને એમ બતાવવા ગયાં કે અમારી વચ્ચે કોઈ વિવાદ નથી.
આલિયા મિત્ર
પરિણીતીએ જણાવ્યું - આલિયા ભટ્ટ સ્ટુડન્ટ ઑફ ધ ઈયર રિલીઝ થતા પહેલાથી જ મારી મિત્ર છે. અમારી વચ્ચે કંઇ પણ બદલાયું નથી.
આલિયા બીજી વખત
આલિયા ભટ્ટ કૉફી વિથ કરણમાં બીજી વખત આવી રહ્યાં છે.
પરિણીતીને સલાહ
આલિયા ભટ્ટ આ અગાઉ સિદ્ધાર્થ મલ્હોત્રા અને વરુણ ધવન સાથે આ શોમાં પહોંચ્યા હતાં અને પરિણીતીને પોતાના ડ્રેસિંગ સ્ટાઇલમાં માટે થોડીક મદદ લેવાની સલાહ આપી હતી.
મને વાંધો નથી
પરિણીતીએ જણાવ્યું - આલિયાએ એક મિત્રની જેમ કહ્યું કે પરિણીતીએ પોતાના પહેરવેશ પ્રત્યે સાવધ રહેવું જોઇએ. હવે આ શોમાં સાથે આવી અમે બતાવવા માંગીએ છીએ કે અમારી વચ્ચે કોઈ તકરાર નથી.
સિદ્ધાર્થ-પરિણીતી
હસી તો ફસી ફિલ્મના સ્પેશિયલ સ્ક્રીનિંગ પ્રસંગે પરિણીતી સાથે તેમના હીરો સિદ્ધાર્થ મલ્હોત્રા પણ હાજર રહ્યા હતાં.
કરણ જૌહર
હસી તો ફસીના સ્પેશિયલ સ્ક્રીનિંગ પ્રસંગે કરણ જૌહર.