અનુરાગની ઇચ્છા - આમિર કરે બર્ફીનું ઑસ્કાર કેમ્પેન
મુંબઈ, 29 સપ્ટેમ્બર : બર્ફી ઑસ્કારમાં મોકલાવાતાં સમગ્ર દેશમાં હલચલ જેવી મચી ગઈ છે. દરેકે વ્યક્તિ આ જ મુદ્દે ચર્ચા કરી રહ છે કે આખરે બર્ફી જ કેમ ઑસ્કાર માટે મોકલવામાં આવી છે.
ઑસ્કાર જેવી કઈ વાત છે આ ફિલ્મમાં? અહીં સુી કી લોકો તેને કૉપી કહેવામાં પણ પાછા નથી પડી રહ્યાં, પરંતુ હવે પોતે ફિલ્મના દિગ્દર્શક અનુરાગ બાસુએ આગળ આવી લોકોને એ વાતનો ભરોસો આપ્યો છે કે તેમની આ બર્ફી બિલ્કુલ ફ્રેશ છે, વાસી નથી.
સાથે જ અનુરાગ બાસુ હવે પોતાની બર્ફીને મિસ્ટર પરફેક્શનિસ્ટના પરફેક્ટ હાથોનો પણ ટચ આપવા માંગે છે અને તેથી જ તેઓ ઇચ્છે છે કે હવે તેમની બર્ફીને આમિર ખાન પ્રમોટ કરે. જોકે તેમણે સ્પષ્ટ રીતે આ વાત જાહેર નથી કરી. તેમણે માત્ર એટલું જ કહ્યું છે કે જે રીતે આમિર પોતાની ફિલ્મો માટે ઑસ્કાર કેમ્પેન કરે છે, તેવી જ રીતે હું પણ તેમને અનુસરવા માંગુ છું.
નોંધનીય છે કે આ અગાઉ આમિર ખાને પોતાની ફિલ્મ પીપલી લાઇવ એવી રીતે પ્રમોટ કરી હતી કે વગર કોઈ મોટા હીરોએ આ ફિલ્મને માત્ર આમિરના નામને કારણે જ ઑસ્કાર માટે મોકલી દેવાઈ હતી. એ વાત જુદી છે કે તે પ્રથમ જ રાઉન્ડમાં બહાર થઈ ગઈ હતી. કહેવામાં તો એમ પણ આવી રહ્યું છે કે ફિલ્મોનું પ્રમોશન શાહરુખ કરતાં વધુ સારી રીતે કોઈ ન કરી શકે, પરંતુ આમિર પણ ફિલ્મોના પ્રમોશનમાં પાછળ છે એમ ન કહી શકાય,
હાલ તો આમિરે અનુરાગની આ ઇચ્છા અંગે કોઈ પણ જાતની ટિપ્પણી નથી કરી, પણ જોઇએ શું થાય છે? શક્ય છે કે ટુંકમાં જ આમિર પોતાની હા કે ના સાથે સામે આવશે.