પોતાના બાળકને રેસ્ટોરન્ટમાં ભુલી ગઇ આયુષ્માનની પત્ની, વેઇટરે દોડતા આવી અપાવ્યું યાદ
માતા બનવું એ મહિલાઓ માટે ખૂબ જ સુખદ અનુભવ હોય છે, પરંતુ આ દરમિયાન તેમને અનેક પડકારોનો સામનો પણ કરવો પડે છે. બાળકોને સંભાળતી વખતે સામાન્ય લોકોથી લઈને સેલિબ્રિટીઓ સુધી કેટલીકવાર આવી ભૂલો થઈ જાય છે, જેની કલ્પના કરવી મુશ્કેલ
માતા બનવું એ મહિલાઓ માટે ખૂબ જ સુખદ અનુભવ હોય છે, પરંતુ આ દરમિયાન તેમને અનેક પડકારોનો સામનો પણ કરવો પડે છે. બાળકોને સંભાળતી વખતે સામાન્ય લોકોથી લઈને સેલિબ્રિટીઓ સુધી કેટલીકવાર આવી ભૂલો થઈ જાય છે, જેની કલ્પના કરવી મુશ્કેલ છે. હવે બોલિવૂડ એક્ટર આયુષ્માન ખુરાનાની પત્ની તાહિરા કશ્યપે તેની કેટલીક ભૂલો અને પડકારોનો ઉલ્લેખ કર્યો છે જેનો તેણે જ્યારે પહેલીવાર માતા બનતી વખતે સામનો કર્યો હતો. તાહિરા કશ્યપે જણાવ્યું કે એકવાર તે લંચ માટે રેસ્ટોરન્ટમાં ગઈ અને ત્યાં તેના પુત્રને ભૂલી ગઈ હતી.

'બેગ લેવાનું યાદ રહ્યું, બિલ ચૂકવવાનું યાદ રહ્યું, પણ ...'
'હિન્દુસ્તાન ટાઈમ્સ'ના સમાચાર અનુસાર તાહિરા કશ્યપે આ ભૂલનો ઉલ્લેખ કરતા કહ્યું કે મારા પુત્ર વિરાજવીરના જન્મ પછી હું મારા મિત્રો સાથે ભોજન કરવા માટે એક રેસ્ટોરન્ટમાં ગઇ હતી. વિરાજવીર તે સમયે ખૂબ નાનો હતો અને તેના પારણામાં સુતો હતો. અમે રાત્રિભોજન કર્યું અને તે પછી જ્યારે અમે ત્યાંથી ઉભા થયા, ત્યારે મને મારી બેગ લેવાનું યાદ આવ્યું, બિલ ચૂકવવાનું યાદ આવ્યું, પણ હું મારા બાળકને ભૂલી ગઇ અને તેને ત્યાં છોડી દીધો અને મારા મિત્રો સાથે રેસ્ટોરન્ટની બહાર જવા લાગી.

હું શરમ અનુભવતી હતી, લોકો મને ઘુરી રહ્યાં હતા
તાહિરા કશ્યપે આગળ કહ્યું, 'અમે રેસ્ટોરન્ટમાંથી બહાર જવાના હતા ત્યારે વેઈટર દોડીને મારી પાસે આવ્યો અને કહ્યું- મેમ, તમે તમારા બાળકને ભૂલી ગયા છો. હું વેઈટરને સાંભળીને ખૂબ જ શરમ અનુભવી રહી હતી અને ત્યાં હાજર તમામ લોકો મારી સામે જોઈ રહ્યા હતા. મેં ઘણી વખત આવી ભૂલો કરી છે. ક્યારેક સરકારી રજાઓમાં હું મારા બાળકોને શાળાએ મુકતી. આ ભૂલો હજી પણ મારા જીવનમાં ચાલી રહી છે, પરંતુ હવે હું મારી જાત પર થોડી વધુ દયાળુ બની છું અને મારી જાતને માફ કરવા લાગી છું.

'હવે મને લાગે છે - તેનાથી શું ફરક પડશે, જવા દો'
તમને જણાવી દઈએ કે આયુષ્માન ખુરાના અને તાહિરા કશ્યપ બે બાળકોના માતા -પિતા છે, જેમાં પ્રથમ પુત્ર વિરાજવીર અને બીજી પુત્રી વરુષ્કા છે. તાહિરા કશ્યપે આ ઈન્ટરવ્યુમાં વધુમાં જણાવ્યું હતું કે, 'જ્યારે હું બીમાર પડી ત્યારે મારી માતાએ બાળકો સહિત બાકીના લોકોની સંભાળ લીધી. તે અવારનવાર મારા બાળકોને તેમનું ટિફિન આપતી અને મને ઘણી ચિંતા થતી. હું કહેતી - અરે, મમ્મીએ આજે સતત બીજા દિવસે બાળકોને ચીઝ સેન્ડવીચ આપી, બાળકોના સ્વાસ્થ્ય પર અસર થશે. પણ હવે હું એવી બની ગઇ છું કે મને લાગે છે - તેનાથી શું ફરક પડશે, જવા દો.
-
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
લોકસભા સીટ 850 કરવાનો પ્લાનઃ પરિસીમન શું છે? North Vs South વિવાદ વકર્યો, વિપક્ષ કેમ વિરોધ કરે છે- Explain -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
Putin India Visit: એક વર્ષમાં બીજીવાર ભારત આવી રહ્યા છે પુતિન, પશ્ચિમી દેશોની ઉંઘ ઉડી -
Weather Update: આસામ-બંગાળ સહિત 13 રાજ્યોમાં આંધી-તોફાનની આગાહી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત



Click it and Unblock the Notifications
