પોતાના બાળકને રેસ્ટોરન્ટમાં ભુલી ગઇ આયુષ્માનની પત્ની, વેઇટરે દોડતા આવી અપાવ્યું યાદ
માતા બનવું એ મહિલાઓ માટે ખૂબ જ સુખદ અનુભવ હોય છે, પરંતુ આ દરમિયાન તેમને અનેક પડકારોનો સામનો પણ કરવો પડે છે. બાળકોને સંભાળતી વખતે સામાન્ય લોકોથી લઈને સેલિબ્રિટીઓ સુધી કેટલીકવાર આવી ભૂલો થઈ જાય છે, જેની કલ્પના કરવી મુશ્કેલ
માતા બનવું એ મહિલાઓ માટે ખૂબ જ સુખદ અનુભવ હોય છે, પરંતુ આ દરમિયાન તેમને અનેક પડકારોનો સામનો પણ કરવો પડે છે. બાળકોને સંભાળતી વખતે સામાન્ય લોકોથી લઈને સેલિબ્રિટીઓ સુધી કેટલીકવાર આવી ભૂલો થઈ જાય છે, જેની કલ્પના કરવી મુશ્કેલ છે. હવે બોલિવૂડ એક્ટર આયુષ્માન ખુરાનાની પત્ની તાહિરા કશ્યપે તેની કેટલીક ભૂલો અને પડકારોનો ઉલ્લેખ કર્યો છે જેનો તેણે જ્યારે પહેલીવાર માતા બનતી વખતે સામનો કર્યો હતો. તાહિરા કશ્યપે જણાવ્યું કે એકવાર તે લંચ માટે રેસ્ટોરન્ટમાં ગઈ અને ત્યાં તેના પુત્રને ભૂલી ગઈ હતી.

'બેગ લેવાનું યાદ રહ્યું, બિલ ચૂકવવાનું યાદ રહ્યું, પણ ...'
'હિન્દુસ્તાન ટાઈમ્સ'ના સમાચાર અનુસાર તાહિરા કશ્યપે આ ભૂલનો ઉલ્લેખ કરતા કહ્યું કે મારા પુત્ર વિરાજવીરના જન્મ પછી હું મારા મિત્રો સાથે ભોજન કરવા માટે એક રેસ્ટોરન્ટમાં ગઇ હતી. વિરાજવીર તે સમયે ખૂબ નાનો હતો અને તેના પારણામાં સુતો હતો. અમે રાત્રિભોજન કર્યું અને તે પછી જ્યારે અમે ત્યાંથી ઉભા થયા, ત્યારે મને મારી બેગ લેવાનું યાદ આવ્યું, બિલ ચૂકવવાનું યાદ આવ્યું, પણ હું મારા બાળકને ભૂલી ગઇ અને તેને ત્યાં છોડી દીધો અને મારા મિત્રો સાથે રેસ્ટોરન્ટની બહાર જવા લાગી.

હું શરમ અનુભવતી હતી, લોકો મને ઘુરી રહ્યાં હતા
તાહિરા કશ્યપે આગળ કહ્યું, 'અમે રેસ્ટોરન્ટમાંથી બહાર જવાના હતા ત્યારે વેઈટર દોડીને મારી પાસે આવ્યો અને કહ્યું- મેમ, તમે તમારા બાળકને ભૂલી ગયા છો. હું વેઈટરને સાંભળીને ખૂબ જ શરમ અનુભવી રહી હતી અને ત્યાં હાજર તમામ લોકો મારી સામે જોઈ રહ્યા હતા. મેં ઘણી વખત આવી ભૂલો કરી છે. ક્યારેક સરકારી રજાઓમાં હું મારા બાળકોને શાળાએ મુકતી. આ ભૂલો હજી પણ મારા જીવનમાં ચાલી રહી છે, પરંતુ હવે હું મારી જાત પર થોડી વધુ દયાળુ બની છું અને મારી જાતને માફ કરવા લાગી છું.

'હવે મને લાગે છે - તેનાથી શું ફરક પડશે, જવા દો'
તમને જણાવી દઈએ કે આયુષ્માન ખુરાના અને તાહિરા કશ્યપ બે બાળકોના માતા -પિતા છે, જેમાં પ્રથમ પુત્ર વિરાજવીર અને બીજી પુત્રી વરુષ્કા છે. તાહિરા કશ્યપે આ ઈન્ટરવ્યુમાં વધુમાં જણાવ્યું હતું કે, 'જ્યારે હું બીમાર પડી ત્યારે મારી માતાએ બાળકો સહિત બાકીના લોકોની સંભાળ લીધી. તે અવારનવાર મારા બાળકોને તેમનું ટિફિન આપતી અને મને ઘણી ચિંતા થતી. હું કહેતી - અરે, મમ્મીએ આજે સતત બીજા દિવસે બાળકોને ચીઝ સેન્ડવીચ આપી, બાળકોના સ્વાસ્થ્ય પર અસર થશે. પણ હવે હું એવી બની ગઇ છું કે મને લાગે છે - તેનાથી શું ફરક પડશે, જવા દો.
-
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Jewar Airport: આવતીકાલે ખુલશે એશિયાનું સૌથી મોટું એરપોર્ટ! PM માટે સુરક્ષાનો અભેદ્ય કિલ્લો, ક્યારે ટેકઓફ થશે ફ -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો








Click it and Unblock the Notifications
