કંગના રનૌત અને જાવેદ અખ્તર વચ્ચે ચાલુ રહેશે કાનૂની લડાઈ, બૉમ્બે હાઈકોર્ટે અભિનેત્રીની અરજી ફગાવી
મુંબઈઃ બૉલિવુડની બે હસ્તીઓ ગીતકાર જાવેદ અખ્તર અને અભિનેત્રી કંગના રનૌત વચ્ચે કોર્ટમાં લડાઈ આગળ પણ ચાલુ રહેશે. વાસ્તવમાં, બુધવારે બૉમ્બે હાઈકોર્ટે જાવેદ અખ્તરની ફરિયાદ પર કંગના રનૌત સામે શરૂ કરવામાં આવેલી માનહાનિની કાર્યવાહીને રદ કરવાનો ઈનકાર કરી દીધો છે. કંગનાએ માનહાનિ કેસને રદ કરવાની માંગ કરીને બૉમ્બે હાઈકોર્ટમાં એક અરજી દાખલ કરી હતી જેના પર હવે ન્યાયાલયે પોતાનો ચુકાદો સંભળાવ્યો છે. અરજી ફગાવી દેવાથી અભિનેત્રી કંગના રનોતની મુશ્કેલીઓ ખતમ થઈ ગઈ છે.
તમને જણાવી દઈએ કે દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોત બાદ અભિનેત્રી કંગના રનૌતે બૉલિવુડ ઈન્ડસ્ટ્રીમાં ભાઈ-ભત્રીજાવાદ(નેપોટીઝમ)નો આરોપ લગાવ્યા હતો. એ દરમિયાન કંગના રનોતે સાર્વજનિક રીતે ઘણા દિગ્ગજ કલાકારો અને ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલ હસ્તીઓના નામ લીધા હતા. કંગનાએ જાવેદ અખ્તરનુ નામ પણ લીધુ ત્યારબાદ ગીતકાર સામે માનહાનિનો કેસ નોંધાવ્યો હતો. હવે આ કેસ બૉમ્બે હાઈકોર્ટમાં છે જ્યાં કંગનાએ પોતાની સામે કાર્યવાહીને ફગાવવાની માંગ કરીને એક અરજી દાખલ કરી હતી.
જાવેદ અખ્તરે પોતાની ફરિયાદમાં કહ્યુ છે કે 19 જુલાઈ, 2020એ રિપબ્લિક ટીવીના એન્કર અર્નબ ગોસ્વામી સાથે ઈન્ટરવ્યુમાં કંગના રનોતે અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની મોત મામલે તેનુ નામ ઢસડ્યુ જેનાથી તેમની બેદાગ પ્રતિષ્ઠાને નુકશાન પહોંચ્યુ છે. રનોતે કલમ 482 સીઆરપીસી હેઠળ પોતાની ફરિયાદ અને ત્યારબાદના બધા આદેશોની તપાસ કરવાના નિર્દેશ આપ્યા હતા. તેમાં કલમ 204 હેઠળ તેની સામે આદેશ જાહેર કરવાની પ્રક્રિયા અને હાજર થવા માટે જાહેર કરાયેલ સમન શામેલ હતા. રનોતના વકીલ રિઝવાન સિદ્દીકીએ તર્ક આપ્યો કે મેટ્રોપૉલિટન મેજિસ્ટ્રેટે કારણ જણાવ્યા વિના સીઆરપીસીની કલમ 202(1) હેઠળ તેમની સામે તપાસનો આદેશ આપ્યો હતો અને અખ્તર દ્વારા બતાવવામાં આવેલ સાક્ષીઓની તપાસ પણ કરવામાં આવી નહોતી.