સુશાંત કેસમાં CBIએ રિયા અને તેના પિતાને મોકલ્યા સમન, પરિવારે આપ્યો આ જવાબ
નવી દિલ્લીઃ ફિલ્મ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોત કેસની તપાસ કરી રહેલી સીબીઆઈ ટીમે સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી અને તેના પિતા ઈન્દ્રજીત ચક્રવર્તીને સમન મોકલ્યા છે. સીબીઆઈની ટીમે બંનેની પૂછપરથમાં શામેલ થવા માટે આ સમન મોકલ્યા છે. વળી, સીબીઆઈના સમલ પર રિયાના વકીલ સતીશ માનશિંદેએ કહ્યુ કે રિયા ચક્રવર્તી અને તેમના પરિવારને હજુ સુધી સમન મળ્યા નથી. જો તેમને સમન મળશે તો તે સીબીઆઈ સામે પૂછપરછ માટે જશે.

નિવેદન નોંધવામાં આવ્યા
આ પહેલા 23 ઓગસ્ટે સીબીઆઈએ નીરજ, દીપેશ સાવંત, સિદ્ધાર્થ પિઠાનીને મુંબઈના ડીઆરડીઓ સ્થિત ગેસ્ટ હાઉસમાં પૂછપરછ માટે બોલાવ્યા હતા જ્યાં સીબીઆઈની ટીમ રોકાયેલી છે. અહીં આ લોકોના નિવેદન નોંધવામાં આવ્યા હતા. ત્યારબાદ સીબીઆઈની ટીમ મુંબઈના બાંદ્રા સ્થિત સુશાંતના ફ્લેટમાં ગઈ હતી જ્યાં સુશાંતનુ શબ મળ્યુ હતુ. સીબીઆઈની ટીમે અહીં આખી ઘટનાને ફરીથી રિક્રિએટ કરી હતી અને કઈ રીતે આ આખી ઘટના બની તેનો અંદાજો લગાવવાની કોશિશ કરી હતી.

સીબીઆઈ ટીમમાં ચાર આઈપીએસ અધિકારી
સીબીઆઈ કીક ટીમે 22 ઓગસ્ટે સુશાંત સાથે જોડાયેલા ચાર મહત્વના લોકોના નિવેદન નોંધ્યા હતા. તમને જણાવી દઈએ કે આ સમગ્ર કેસની તપાસ સીબીઆઈની ચાર સભ્યોની ટીમ કરી રહી છે. સીબીઆઈની ટીમમાં ચાર વરિષ્ઠ આઈપીએસ અધિકારી શામેલ છે કે જે 20 ઓગસ્ટે મુંબઈ પહોંચ્યા હતા અને આ સમગ્ર કેસ મુંબઈ પોલિસથી પોતાના હાથમાં લીધો હતો.

રિયા પર કરોડો રૂપિયાની હેરાફેરીનો આરોપ
ઉલ્લેખનીય છે કે સુશાંત 14 જૂને મુંબઈ સ્થિત પોતાના ફ્લેટમાં મૃત મળી આવ્યા હતા. આ કેસની તપાસ કરી રહેલી મુંબઈ પોલિસે દાવો કર્યો હતો કે આ આત્મહત્યાનો કેસ છે. પરંતુ સુશાંતના પિતા કેકે સિંહે પટનામાં રિયા ચક્રવર્તી અને અન્ય સામે સુશાંતને આત્મહત્યા માટે ઉકસાવવાનો કેસ નોંધાવ્યો હતો. સાથે જ સુશાંતના બેંક ખાતામાંથી કરોડો રૂપિયાની હેરાફેરીનો પણ આરોપ લગાવ્યો હતો.
અરુણ જેટલીની પહેલી પુણ્યતિથિ પર પીએમ મોદી બોલ્યા, 'મને મારા દોસ્તની ખૂબ યાદ આવે છે'