Pics : પંખીઓને પાંજરામાં જોઈ દ્રવી ઉઠે છે અદા
મુંબઈ, 12 જૂન : બૉલીવુડ અભિનેત્રી અદા શર્માને આઝાદી ગમે છે અને એટલે જ તેઓ ઇચ્છે છે કે સૌ પોતાની રીતે સ્વાતંત્ર્યપૂર્વક જીવે અને સૌને એવો અધિકાર છે. તેમાં મૂંગા પશુ-પક્ષીઓનો પણ સમાવેશ થાય છે. ખાસ તો અદાનું હૃદય ત્યારે દ્રવી ઉઠે છે કે જ્યારે તેઓ પંખીઓને પાંજરામાં કેદ જુએ છે. કદાચ અદાની આ જ લાગણી તેમને પેટા સાથે જોડાવા માટે પ્રેરી ગઈ.
પંખીઓ પ્રત્યે ક્રૂરતા તથા તેમને પાંજરામાં કેદ કરવાની વિરુદ્ધ પોતાનો ટેકો વ્યક્ત કરવા અદા શર્મા તાજેતરમાં જ પેટાની નવી પ્રચાર ઝુંબેશ સાથે જોડાયાં છે અને તેમણે લોકોને પંખીઓને ખુલ્લા આકાશમાં મુક્ત થઈ ઉડવા દેવાનો અનુરોધ કર્યો છે.
પીપલ ફૉર ધ એથિકલ ટ્રીટમેંટ ઑફ એનિમલ્સ એટલે કે પેટા નામની આ સંસ્થા સામાન્ય રીતે મૂંગા પ્રાણી-પંખીઓના સંરક્ષણ માટે કાર્ય કરે છે. રવિવારે માધુરી દીક્ષિત પણ જ્યારે ઝલક દિખલા જા શોના શૂટિંગ દરમિયાન સાત ગલુડિયાઓને વરસાદમાં પલળતા અને ધ્રુજતા જોઈ દ્રવી ઉઠ્યા હતાં. માધુરીએ ત્યારે પેટાની જ મદદથી ગલુડિયાઓને બચાવ્યા હતાં. હવે પેટાની નવી જાહેરખબર ઝુંબેશસાથે અદા શર્મા પણ જોડાઈ ગયાં છે.
આવો તસવીરો સાથે જાણીએ અદા શર્મા પ્રાણીઓ-પંખીઓ અંગે વધુ શું કહે છે.
લાગણીઓથી જોડાયા અદા
પેટાની જાહેરખબરના શૂટિંગ દરમિયાન અદાએ મીડિયા સાથે વાતચીત કરી અને પંખીઓ સાથેની પોતાની લાગણીઓ વ્યક્ત કરી.
પંખીઓને કેદ ન કરો
અદાએ જણાવ્યું કે પંખીઓને પાંજરામાં કેદ ન કરો. કોઈ પણ જંતુ કે વન્યજીવને ખાસ તો પંખીઓને પાંજરામાં કેદ ન કરવું જોઇએ.
કૂતરા-બિલાડી નથી
તેમણે જણાવ્યું કે પંખીઓ વનમાં રહેતા પ્રાણીઓ છે, નહિં કે કૂતરા અને બિલાડીની જેમ પાલતૂ જીવ.
કેદ કરનાર પ્રોત્સાહનને પાત્ર નથી
અદાએ જણાવ્યું - હું એવા લોકો કે જેઓ પક્ષીઓને કેદમાં રાખે છે, તેમને પ્રોત્સાહિત નહિં કરું.
ગંભીર ગુનો
અદા કહે છે કે પંખીઓને કેદ કરવું ગંભીર ગુનો છે અને આપણે તેમ ન કરવું જોઇએ. 1920 તથા હમ હૈં રાહી કાર કે જેવી ફિલ્મો માટે જાણીતા અદા શર્મા પંખીઓને કેદ જોઈ દુઃખી થઈ જાય છે.