મે ઘણા હીરોને સુપરસ્ટાર બનાવ્યા છે- ‘જ્યાં સુધી હું હતો શાહરુખ ખાન રોકસ્ટાર હતા'
બોલિવુડના લોકપ્રિય અને કોન્ટ્રોવર્શિયલ સિંગર અભિજીત હંમેશા પોતાના નિવેદનો માટે સમાચારોમાં છવાયેલા રહે છે. હાલમાં જ એક ઈવેન્ટ દરમિયાન તેમણે બોલિવુડના અભિનેતાઓ પર ઘણા વિવાદિત નિવેદન આપ્યા.
બોલિવુડના લોકપ્રિય અને કોન્ટ્રોવર્શિયલ સિંગર અભિજીત હંમેશા પોતાના નિવેદનો માટે સમાચારોમાં છવાયેલા રહે છે. હાલમાં જ એક ઈવેન્ટ દરમિયાન તેમણે બોલિવુડના અભિનેતાઓ પર ઘણા વિવાદિત નિવેદન આપ્યા. ખાસ કરીને શાહરુખ ખાન અંગે. અભિજીત ભટ્ટાચાર્યએ કહ્યુ કે સિંગર્સ હંમેશા લોકોને યાદ રહેશે પરંતુ એક્ટર્સને લોકો ભૂલી જાય છે.
આ આત્મ સમ્માન અને સંસ્કારની વાત છે
શાહરુખ માટે ગીત છોડવાની વાત પર તેમણે કહ્યુ, ‘આ આત્મ સમ્માન અને સંસ્કારની વાત છે. શાહરુખની બે ફિલ્મો આવી હતી. મે હુ ના અને ઓમ શાંતિ ઓમ. ફિલ્મના અંતમાં ક્રેડિટ્સ દરમિયાન તેમણે કોરિયોગ્રાફર, સ્પોર્ટબોય અને હેર ડ્રેસર્સને પણ બતાવ્યા પરંતુ સિંગર્સને નહિ. ઓમ શાંતિ ઓમમાં પણ આવુ જ હતુ. જ્યારે બધુ ખતમ થઈ ગયુ ત્યારે અમારુ નામ આવ્યુ. અમારે આ પ્રકારનું સમ્માન નથી જોઈતુ.'
આ પણ વાંચોઃ તનુશ્રી-નાના વિવાદ પર રવીના ટંડનનું નિવેદન, સ્ટાર પત્નીઓ પર સાધ્યુ નિશાન
સિંગરને સમ્માન નહિ
અભિજીતે કહ્યુ, ‘મારા આત્મ સમ્માનને ઠેસ પહોંચી છે... એટલા માટે મે શાહરુખ ખાન માટે ગાવાનું છોડી દીધુ. મારામાં કોઈ કમી નથી, મને અફસોસ છે... પરંતુ હું તેમને કેમ કહુ કે મારુ નામ જોડી દો. મારામાં કે મારા ગીતમાં કોઈ કમી નથી. તો પછી હું તેમને કેમ કહુ.'
હું શાહરુખ માટે ક્યારેય નહિ ગાઉ
અભિજીતે કહ્યુ, લોકોને ચલતે ચલતે, યસ બોસ, મે હુ ના ફિલ્મોના ગીતો હજુ સુધી યાદ છે. આ ગીતોએ શાહરુખને યાદગાર બનાવ્યા છે. પરંતુ હવે હું શાહરુખ માટે ક્યારેય નહિ ગાઉ.
સોરી કહી દો...
શાહરુખ સાથે દોસ્તીની વાત પર અભિજીતે કહ્યુ, ‘સોરી કહી દો... મને બીજુ કંઈ નથી જોઈતુ. બધુ ભૂલીને તમે ફરાહ ખાન સાથે દોસ્તી કરી શકો છો તો મારી સાથે પણ કરી શકો છો.'
શાહરુખનું રિએક્શન
હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે હવે શાહરુખ આ વાતો પર શું રિએક્શન આપે છે.
મ્યુઝિક ઈન્ડસ્ટ્રીનો હિસ્સો
અભિજીતે કહ્યુ કે તે ફિલ્મ ઈન્ડસ્ટ્રી નહિ પરંતુ મ્યૂઝિક ઈન્ડસ્ટ્રીનો હિસ્સો છે. તે કોઈને પણ રિક્વેસ્ટ નહિ કરે કે મારુ નામ શામેલ કરી લો.
આ પણ વાંચોઃ તનુશ્રી અને નાના પાટેકર વિવાદ પર શક્તિ કપૂરે મજાક ઉડાવ્યો