મારા અને ઐશ્વર્યા વચ્ચે ગેરસમજ થઇ છે, મળીશ ત્યારે માફી માંગી લઈશ
હાલમાં જ થયેલી વાત તો યાદ હશે જ કે ઐશ્વર્યા રાયએ જાતે જ કહ્યું હતું કે તેઓ અજય દેવગનની ફિલ્મ બાદશાહોમાં કામ કરી રહી છે. હવે ઐશ્વર્યા રાયએ ફિલ્મમાંથી ખસી ગયી છે. તેનો દોષનો ટોપલો ઇમરાન હાશમી પર નાખી દેવામાં આવ્યો છે.
ઐશ્વર્યાને કેમ ગમે છે લાલ રંગ? : તસવીરો સાથે જુઓ રસપ્રદ ખુલાસો...
આપણે જણાવી દઈએ કે ઐશ્વર્યા રાય અને ઇમરાન હાશમી વચ્ચે કઈ જ બરાબર નથી ચાલી રહ્યું. કારણકે ઇમરાન હાશમીએ કરણ જોહરના શૉ પર ઐશ્વર્યા રાયને પ્લાસ્ટિક કહી હતી.
આમ જોવા જઈએ તો ઐશ્વર્યા કે પછી ઇમરાને ક્યારેય પણ તેના વિશે કોઈ જ વાત નથી કરી. હવે જયારે ઇમરાન હાશમીને તેના વિશે પૂછવામાં આવ્યું તો તેમને કહ્યું કે તેઓ ક્યારેય પણ ઐશ્વર્યાને મળ્યા નથી આ બધું જ તે કોફી હેમ્પર માટે જ હતું.
Shocking : ઐશ્વર્યા રાય પણ કાસ્ટિંગ કાઉચને વશ થયા હતાં? જુઓ Top 10 Controversies
ઇમરાન હાશમીએ આગળ કહ્યું કે કરણ તેમના શૉમાં શેતાનીથી કઈ પણ કઢાવી લે છે અને તમે કહી દો છો. મને તો લાગે છે કે ઐશ્વર્યા આ વાતને ભૂલી પણ ગયી હતી જો તમે વારંવાર તેને છાપીને યાદ ના કરાવ્યું હોત. જો તેમને ખરેખરમાં ખોટું લાગ્યું હશે તો તેઓ તેમને ચોક્કસ મળશે અને માફી પણ માંગશે.