Exclusive:સોનાક્ષીના વિચારો પણ મળે છે રીના સાથે
મુંબઈ, 10 નવેમ્બર : આજકાલ ફિલ્મ સન ઑફ સરદાર ખૂબ ચર્ચામાં છે. ફિલ્મના અભિનેત્રી સોનાક્ષી સિન્હા આ ફિલ્મ અંગે ખૂબ ઉત્સાહિત છે. પોતાની ફિલ્મના પ્રમોશન દરમિયાન સોનાક્ષીએ જણાવ્યું કે આપ દુનિયામાં સૌને એક સાથે ખુશ ન કરી શકો, પણ તેનો એ મતલબ નથી કે આપ પ્રયત્નો છોડી દો. ખેર, સોનાક્ષી તો પોતાની વાત ટ્વિટર દ્વારા કહી ચાલી નિકળ્યાં, પરંતુ સોનાક્ષીની આ વાતે લોકોને કોઈકની યાદ અપાવી દીધી.
બેંગલુરૂ રહેતાં 54 વર્ષીય ધીરજ કુમારે વનઇન્ડિયાને જણાવ્યું કે આજથી લગભગ 31 વર્ષ અગાઉ જ્યારે ફિલ્મ નસીબ રિલીઝ થઈ, ત્યારે ફિલ્મનાં અભિનેત્રી રીના રૉયે આવી વાત કરી હતી કોઈ ફિલ્મી મૅગેઝીનને આપેલા ઇન્ટર્વ્યુમાં. આજે મને સોનાક્ષીની વાત સાંભળી એકદમથી રીનાની યાદ આવી ગઈ. જો હું એમ કહું કે ચહેરો જ નહિં, પણ સોનાક્ષીના વિચારો પણ રીનાને મળતાં આવે છે. એમ કહેવું ખોટું નહિં હોય.
નોંધનીય છે કે જ્યારથી બૉલીવુડમાં સોનાક્ષી સિન્હાએ પગલું મુક્યું છે, ત્યારથી જ સોનાક્ષીને લોકો રીનાનો પડછાયો કહે છે. લોકોને સોનાક્ષીની કાયા વીતેલા જમાનાની સુંદર હીરોઇન રીના રૉયની યાદ અપાવે છે. અહીં સુધી કે તેમની બૉડી લૅંગ્વેજ પણ મહદઅંશે રીના સાથે મળતી આવે છે. તેથી લોકો દબાયેલી જીભે અહીં સુધી કહે છે કે કદાચ સોનાક્ષી રીના-શત્રુઘ્નનાં પુત્રી છે. તેની પાછળ એક મોટં કારણ એ છે કે વીતેલા જમાનામાં બૉક્સ ઑફિસે રીના અને શત્રુઘ્નની જોડી સૌથી હિટ હતી. બંનેએ કાલીચરણ, વિશ્વનાથ અને નસીબ જેવી મેગા હિટ ફિલ્મો આપી છે.
એટલું જ નહિં રીના અને શત્રુઘ્ન વચ્ચે લગભગ સાત વરસ સુધી જોરદાર અફૅર પણ હતું. કહે છે કે રીનાના કારણે શત્રુઘ્ન અને પૂનમ સિન્હાનું ઘર તૂટવાની અણીએ આવી ગયુ હતું, પરંતુ રીનાને પ્રેમ કરવાં છતાં શત્રુઘ્ન પૂનમને છોડવા નહોતા માંગતાં. તેથી રીનાએ તેમણે દૂરી બનાવી લીધી અને પાકિસ્તાની ક્રિકેટર મોહસિન ખાન સાથે લગ્ન કરી લીધાં.
જોકે આ વાત પૂનમ સિન્હા ફગાવી ચુક્યાં છે અને કહેતાં આવ્યાં છે કે સોનાક્ષી તેમના પુત્રી છે, પરંતુ કેમ જાણે લોકોને સોનાક્ષીને જોઈ રીના રૉયની યાદ આવી જ જાય છે.