અક્ષયકુમારની ફિલ્મ કેસરીના સેટ પર લાગી આગ, મચી અફડાતફડી
સુપરસ્ટાર અક્ષયકુમારની મોસ્ટ અવેટેડ ફિલ્મ કેસરીના સેટ પર આગ લાગવાના સમાચાર છે. મળતી માહિતી મુજબ ફિલ્મનું ક્લાઈમેક્સ જ્યારે શૂટ થઈ રહ્યું હતુ ત્યારે જ ફિલ્મના સેટ પર અચાનક આગ લાગી ગઈ.
સુપરસ્ટાર અક્ષયકુમારની મોસ્ટ અવેટેડ ફિલ્મ કેસરીના સેટ પર આગ લાગવાના સમાચાર છે. મળતી માહિતી મુજબ ફિલ્મનું ક્લાઈમેક્સ જ્યારે શૂટ થઈ રહ્યું હતુ ત્યારે જ ફિલ્મના સેટ પર અચાનક આગ લાગી ગઈ. જો કે સૂચના મળતાં જ ફાયરબ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચી ગઈ અને આગ પર કાબૂ મેળવી લીધો. હાલમાં પોલીસ તરફથી નિવેદન આવ્યું છે કે સ્થિતિ કાબૂમાં છે. ચિંતા કરવાની જરુર નથી.
જાનમાલનું કોઈ નુકશાન નહિ
આ ઘટના મંગળવારની છે. કહેવામાં આવી રહ્યું છે કે શૂટિંગ પૂરુ કર્યા બાદ અક્ષયકુમાર નીકળી ગયા હતા અને જ્યારે આગ લાગી હતી ત્યારે સેટ પર માત્ર ક્રૂ મેમ્બર્સ જ હાજર હતા પરંતુ કોઈ જાનમાલનું નુકશાન પહોંચ્યું નથી. પરંતુ સેટ પર ઘણો સામાન બળીને ખાખ થઈ ગયો છે, કેમેરાને નુકશાન પહોંચ્યું છે.
બેટલ ઓફ સારાગાઢી
સમાચાર એવા છે કે ફિલ્મમાં બોટલ ઓફ સારાગાઢીનું દ્રશ્ય શૂટ કરવામાં આવી રહ્યું છે, જેમાં કેટલાક બોમ્બ એક્સપ્લોઝર પણ શામેલ હતા. જેના કારણે સેટ પર આગ લાગી ગઈ. આ ઘટના બાદ હાલમાં શૂટિંગ થોડા સમય માટે રોકી દેવામાં આવ્યું છે.
ફિલ્મ કેસરીની વાર્તા સારાગઢીના યુદ્ધ પર આધારિત
તમને જણાવી દઈએ કે ફિલ્મ કેસરીની વાર્તા સારાગઢીના યુદ્ધ પર આધારિત છે, કે જે 1894 માં થયું હતું. તે સમયે ભારતની ઉત્તરપૂર્વીય સીમા પર અફઘાનીઓ હુમલા કરી રહ્યા હતા. તેઓ ત્યાં વસેલા બે કિલ્લા લુકહાર્ટ અને ગુલિસ્તાન પર પોતાનો કબ્જો જમાવવા માંગતા હતા. તે બંને કિલ્લા વચ્ચે એક નાનકડો કિલ્લો હતો સારાગઢી. બાકી બે કિલ્લા સુધી પહોંચવા માટે અફઘાનો માટે સારાગઢી કિલ્લો જીતવો ખૂબ જરુરી હતો. અફઘાનોએ 1000 સૈનિકો સાથે આ પોસ્ટ પર કબ્જો મેળવી લીધો. આ કિલ્લામાં તે સમયે માત્ર 21 શીખ જવાન તૈનાત હતા.
વીરતાની સાબિતિ
તેમણે વીરતાની સાબિતિ રુપે પોતાનું શીશ ઝૂકાવાના બદલે શીશ કપાવાનું ઉચિત માન્યુ અને તે બધા એક થઈને 1000 અફઘાનો સાથે ભીડાઈ ગયા અને 180 અફઘાનીઓને મોતને ઘાટ ઉતારી વીરગતિને પ્રાપ્ત થયા હતા, આના પર જ આધારિત છે અક્ષયકુમારની આવનારી ફિલ્મ કેસરી, જેનું નિર્દેશન અનુરાગ સિંહે કર્યુ છે. ફિલ્મમાં અક્ષયકુમાર અને પરિણીતી ચોપડા મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ વર્ષ 2019 માં રિલીઝ થવાની છે.