આ મંત્રીએ કહ્યું- શાહરૂખ ખાન ભાજપમાં જોડાઇ જશે, તો ડ્રગ્સ પણ ખાંડનો પાવડર બની જશે
મંત્રીએ કહ્યું છે કે, જો બોલિવૂડ અભિનેતા શાહરૂખ ખાન ભાજપમાં જોડાય છે, તો તેમના પુત્ર પરના તમામ આરોપોનો અંત આવશે અને ડ્રગ્સ પણ ખાંડનો પાવડર સાબીત થઇ થશે.
મુંબઈ: ડ્રગ્સ કેસમાં NCB તપાસનો સામનો કરી રહેલા આર્યન ખાનના બચાવમાં મહારાષ્ટ્રના મંત્રી છગન ભુજબળ સામે આવ્યા છે. આ મામલે તેમણે ભાજપ પર નિશાન સાધ્યું છે. મંત્રીએ કહ્યું છે કે, જો બોલિવૂડ અભિનેતા શાહરૂખ ખાન ભાજપમાં જોડાય છે, તો તેમના પુત્ર પરના તમામ આરોપોનો અંત આવશે અને ડ્રગ્સ પણ ખાંડનો પાવડર સાબીત થઇ થશે.
એનસીપીના નેતાએ કહ્યું છે કે, ડ્રગ્સના કેસમાં એનસીબીની બેવડી માનસિકતા બધા જોઈ રહ્યા છે, ગુજરાત પોર્ટ પર મળી આવેલા 3,000 કિલો હેરોઈનના કેસની તપાસ કરવાને બદલે એનસીબી આર્યન ખાનની પાછળ પડી ગઇ છે.

હાલ આર્યન ખાન મુંબઈની આર્થર રોડ જેલમાં બંધ
ઉલ્લેખનીય છે કે, શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની મુંબઈમાં ક્રૂઝ પર થઈ રહેલી ડ્રગ પાર્ટી પર રેડ દરમિયાન ધરપકડ કરવામાં આવી હતી.
આર્યન ખાનની જામીનઅરજી ઘણી વખત ફગાવી દેવામાં આવ્યા બાદ હાલમાં તે ન્યાયિક કસ્ટડીમાં છે. આર્યન ઉપરાંત એનડીપીએસ કોર્ટે અરબાઝ મર્ચન્ટ (26) અને ફેશન મોડલ મુનમુનધામેચા (28)ની જામીન અરજી પણ ફગાવી દીધી હતી, ત્યારબાદ ત્રણેય મુંબઈની આર્થર રોડ જેલમાં બંધ છે.

કેમ કોર્ટે જામીન અરજી ફગાવી દીધી?
ત્રણેયની જામીન અરજીને ફગાવી દેતાં કોર્ટે કહ્યું હતું કે, આર્યન ખાનની વોટ્સએપ ચેટ્સ દર્શાવે છે કે, તેઓ નિયમિતપણે ગેરકાયદે ડ્રગ પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા છે અનેતે ડ્રગ પેડલર્સ સાથે પણ સંપર્કમાં છે.
ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક દિવસોથી આ ડ્રગ કેસમાં અનન્યા પાંડેની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે.
આ પૂછપરછમાંએ વાત સામે આવી છે કે, આર્યને અનન્યા પાસેથી ડ્રગ્સ મંગાવ્યું હતું અને અનન્યાએ વ્યવસ્થા કરવાની વાત પણ કરી હતી.

18 કરોડના આરોપ પર સમીર વાનખેડે કહ્યું - 'ટૂંક સમયમાં યોગ્ય જવાબ આપશે'
ઉલ્લેખનીય છે કે, એક તરફ આર્યન ખાનને ક્રૂઝ શિપ ડ્રગ્સ કેસમાં જામીન નથી મળી રહ્યા, તો બીજી તરફ NCB ની કાર્યવાહી પર સવાલો ઉઠી રહ્યા છે.
હવે આકેસના એક સાક્ષીએ દાવો કર્યો છે કે, આ કેસમાં NCB ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડે અને કથિત ખાનગી તપાસકર્તા કે. પી. ગોસાવી વચ્ચે ડીલ થઈ હતી.
જેમાંકરોડોના વ્યવહારો થવાના હતા. ત્યારથી રાજકીય પક્ષોના લોકો NCB પર સવાલો ઉઠાવી રહ્યા છે. હવે આ મામલે ખુદ NCB અધિકારીનું નિવેદન સામે આવ્યું છે.
-
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
તમિલનાડુ ફિલ્મ લીક: DMK, TVK અને BJP વચ્ચે રાજકીય વિવાદ -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી










Click it and Unblock the Notifications
