Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

સોનુ સૂદ પંજાબની ચૂંટણી પહેલા રાજકીય પક્ષમાં નહીં જોડાય, બહેન માલવિકા કરશે રાજકારણમાં પ્રવેશ

બોલિવૂડ અભિનેતા સોનુ સૂદે પંજાબમાં આગામી ચૂંટણી પહેલા કોઈપણ રાજકીય પક્ષમાં જોડાવાનો તેમનો ઈરાદો હોવાનું નકાર્યું હતું. જો કે, અભિનેતાએ તેની બહેનના રાજકારણમાં પ્રવેશવાનો નિર્ણય જાહેર કર્યો હતો.

બોલિવૂડ અભિનેતા સોનુ સૂદે પંજાબમાં આગામી ચૂંટણી પહેલા કોઈપણ રાજકીય પક્ષમાં જોડાવાનો તેમનો ઈરાદો હોવાનું નકાર્યું હતું. જો કે, અભિનેતાએ તેની બહેનના રાજકારણમાં પ્રવેશવાનો નિર્ણય જાહેર કર્યો હતો. અભિનેતાએ રવિવારના રોજ સમાચારની પુષ્ટિ કરી હતી. તેમણે ઉમેર્યું કે પાર્ટીમાં માલવિકા સૂદ જોડાશે તે અંગે કોઈ ખાતરી કરવામાં આવી નથી.

national news

સોનુ સૂદે જણાવ્યું હતું કે, રાજકારણમાં જોડાવાના પોતાના ઈરાદાને નકારી કાઢતા સોનુ સૂદે દાવો કર્યો હતો કે, તેમના પરિવારનું હિત શિક્ષણ અને આરોગ્યમાં છે. તેઓ પંજાબના લોકોની સેવા કરવા માગે છે. જો કે, સોનુ સૂદ એવા કોઈપણ પ્લેટફોર્મ સાથે જોડાવાની ઈચ્છા વ્યક્ત કરે છે જે તેને લોકો માટે કામ કરવાની સ્વતંત્રતા આપે.

હું એવા કોઈપણ પ્લેટફોર્મ સાથે જોડાઈશ જ્યાં પગ ખેંચવાની અને સ્વતંત્ર રીતે કામ કરવાની જરૂર નથી

અભિનેતાએ જણાવ્યું હતું કે, "હું એવા કોઈપણ પ્લેટફોર્મ સાથે જોડાઈશ જ્યાં પગ ખેંચવાની અને સ્વતંત્ર રીતે કામ કરવાની જરૂર નથી. પ્લેટફોર્મ રાજકીય અને અરાજકીય હોય શકે છે.

જ્યારે માલવિકા સૂદને પૂછવામાં આવ્યું કે, કઈ પાર્ટીમાં જોડાશે તો અભિનેતાએ જણાવ્યું કે, પાર્ટી મહત્વની નથી, પરંતુ પોલિસી મહત્વની છે. મારી બહેન લોકો અને સમાજની સેવા કરશે. આપ અને કોંગ્રેસ બંને સારા પક્ષો છે.

સોનુ સૂદ, જેમણે આ અગાઉ દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્ય પ્રધાન ચરણજીત સિંહ ચન્ની સાથે મુલાકાત કરી હતી, તેમણે પુષ્ટિ કરી કે, તેઓ શિરોમણી અકાલી દળના પ્રમુખ સુખબીર સિંહ બાદલને પણ મળશે. સોનુ સૂદે લોકોને તેની બહેન માલવિકા સૂદને સમર્થન આપવાની અપીલ કરી હતી. તેની મિલકતો પરના તાજેતરના આવકવેરા સર્વેક્ષણ વિશે વાત કરતા, સોનુ સૂદે તેને "પરીક્ષાનો સમય" ગણાવ્યો પરંતુ કહ્યું કે, તે "લોકોને મારી સેવા પર અસર કરશે નહીં".

અભિનેતાએ કહ્યું કે, તેમની ટીમ દર્દીઓ માટે મફત ડાયાલિસિસની વ્યવસ્થા કરશે. તેમણે ખેડૂતોને પોતાનો સહયોગ પણ આપ્યો છે. સોનુ સૂદે કહ્યું કે, "હું ખેડૂતોને સમર્થન આપું છું. તેમને તેમનો હક મળવો જોઈએ. અમે તેમના કારણે ખાઈ શકીએ છીએ. તાજેતરમાં જ અભિનેત્રી કંગના રનૌતને આપવામાં આવેલ પદ્મશ્રી માટે શા માટે તેમની વિચારણા કરવામાં ન આવી તે અંગે પૂછવામાં આવતા સોનુ સૂદે જવાબ આપ્યો, "આ વિચારવાનો પ્રશ્ન છે."

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X