ફેન્સ માટે ખુશખબરઃ ઈરફાન ખાનનું સિલ્વર સ્ક્રીન પર ટૂંક સમયમાં કમબેક
ન્યૂરો ઈન્ડોક્રાઈન ટ્યુમરથી પીડિત ઈરફાન ખાનના ચાહકો માટે એક ખુશખબર છે. સમાચાર છે કે હિંદી સિનેમાનો આ ચમકતો સ્ટાર ટૂંક સમયમાં પડદા પર કમબેક કરી શકે છે.
ન્યૂરો ઈન્ડોક્રાઈન ટ્યુમરથી પીડિત ઈરફાન ખાનના ચાહકો માટે એક ખુશખબર છે. સમાચાર છે કે હિંદી સિનેમાનો આ ચમકતો સ્ટાર ટૂંક સમયમાં પડદા પર કમબેક કરી શકે છે. એવી ચર્ચા છે કે ઈરફાને 'હિંદી મીડિયમ' ફિલ્મની સિક્વલ 'હિંદી મીડિયમ 2' માં કામ કરવાનું સ્વીકારી લીધુ છે. ઈરફાન ખાનના સ્વાસ્થ્ય વિશે કહેવામાં આવી રહ્યુ છે કે તેમની તબિયતમાં ઝડપથી સુધારો થઈ રહ્યો છે અને તે જલ્દી ફિલ્મોમાં કમબેક કરી શકે છે.
ઈરફાન ખાને કરી સિલ્વર સ્ક્રીન પર કમબેકની તૈયારી
આ પહેલા લોકો એ વખતે દુઃખી થઈ ગયા હતા જ્યારે ઈરફાને પોતાની બિમારીના કારણે AIB ની વેબસીરિઝ ‘ગોરમિંટ' છોડી દીધી હતી અને ફેસબુક પર લખ્યુ હતુ કે તેમને આવતી કાલ વિશે કંઈ ખબર નથી એટલા માટે તે નવો પ્રોજેક્ટ કેવી રીતે સાઈન કરી શકે.
આ પણ વાંચોઃ પોતાના જમાઈ વિશે પ્રિયંકા ચોપડાની મા એ કહી આ વાત
હેલ્થ અને ઈલાજની પ્રક્રિયા વિશે જણાવ્યુ હતુ ઈરફાને
ઉલ્લેખનીય છે કે હાલમાં જ ઈરફાને ન્યૂઝ એજન્સી એસોસિએટેડ પ્રેસ (એપી) ને એક ઈન્ટરવ્યુ આપ્યો હતો જેમાં તેમણે હેલ્થ ઈલાજની પ્રક્રિયા વિશે વિસ્તારથી જણાવ્યુ હતુ. નેશનલ એવોર્ડ વિજેતાએ કહ્યુ હતુ કે મે કિમોથેરેપીની ચોથી સાઈકલ પૂરી કરી લીધી છે પરંતુ મારે હજુ 6 સાઈકલ પૂરી કરવાની છે અને ત્યારબાદ સ્કેન કરાવવાનું છે ત્યારે જ ખબર પડશે કે છેવટે હું ક્યાં પહોંચ્યો છુ.
આ પણ વાંચોઃ આટલી બોલ્ડ છે અમિતાભ બચ્ચનની દોહિત્રી નવ્યા, જુઓ વાયરલ Pics
મને જીવનથી કોઈ ફરિયાદ નથી
પોતાના વિશે વાત કરતા ઈરફાને કહ્યુ કે કોઈના જીવનની કોઈ ગેરેન્ટી નથી. ક્યારે, ક્યાં કોને શું થઈ જાય ખબર નથી, હું મારા જીવનથી ઘણો સંતુષ્ટ છું કારણકે જીવને મને ઘણુ બધુ આપ્યુ છે જેના માટે હું માત્ર તેનો આભાર માની શકુ છુ. મને જીવનથી કોઈ ઈચ્છા નથી, મારે હવે કોઈ પ્રાર્થના કરવી નથી.
આ પણ વાંચોઃ કેરળમાં પૂર પીડિતોની મદદે આવ્યા બોલિવુડના દિગ્ગજ કલાકારો