રામલીલાના પોસ્ટર સામે જયપુર કોર્ટે લગાવ્યો પ્રતિબંધ
જયપુર, 25 સપ્ટેમ્બર : અને આખરે સંજય લીલા ભાનુશાળીની ફિલ્મ રામલીલાના પોસ્ટર સામે જયપુર કોર્ટે પ્રતિબંધ ફરમાવી દીધો છે. જે પોસ્ટર બૅન કરાયું છે, તેમાં રણવીર સિંહ દીપિકા પાદુકોણીની ચોળી ખેંચી રહ્યાં છે. તેની નીચે લખેલું છે ગોલિયોં કી રાસલીલા. આ પોસ્ટર અંગે જયપુર કોર્ટમાં અરજી દાખલ કરાઈ હતી. કેટલાંક ધાર્મિક સંગઠનોએ કોર્ટમાં ભાનુશાળી, દીપિકા તથા રણવીર વિરુદ્ધ શ્યામનગર પોલીસ સ્ટેશને કલમ 156 (3) હેઠળ એફઆરઆી નોંધાવી હતી.

એફઆરઆઈમાં જણાવાયુ હતું કે ત્રણેએ રામલીલાના નામે અશ્લીતા પિરસી છે. તેથી ફિલ્મ ઉપર તાત્કાલિક પ્રતિબંધ ફરમાવવો જોઇએ. 16મી સપ્ટેમ્બરે લૉન્ચ કરાયેલ ફિલ્મના ટ્રેલરને હકારાત્મક પ્રત્યાઘાતો મળ્યા હતાં ઇંટરનેટ ઉપર, પરંતુ હવે કાનૂની આદેશના કારણે ફિલ્મની રિલીઝ મુશ્કેલીમાં મુકાઈ શકે છે.
માત્ર જયપુરમાં જ નહીં, રોમિયો-જૂલિયેટની ગુજરાતી આવૃત્તિને રામલીલા તરીકે લોકો સામે રજૂ કરનાર સંજય લીલા ભાનુશાળી વિરુદ્ધ રાષ્ટ્રવાદી શિવસેનાએ પણ મોર્ચો ખોલ્યો છે. ભાનુશાળી તથા તેમની ટીમ સામે લોકોની ધાર્મિક લાગણીઓ દુભવવાનો આરોપ છે. ભલે કેટલાંક જ સંગઠનોએ વિરોધ નોંધાવ્યો હોય, પણ ફૅન્સને રામલીલા ફિલ્મનો ઇંતેજાર છે કે જે 15મી નવેમ્બરે રિલીઝ થવાની છે. ફિલ્મમાં રણવીર સિંહ અને દીપિકા પાદુકોણે છે અને આ જોડી જોવા માટે લોકો આતુર છે.
-
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી








Click it and Unblock the Notifications
