જિયા ખાનના મર્ડરના કોઇ પુરાવા નથી મળ્યાઃ CBI
છેલ્લા 3 વર્ષથી રહસ્યથી ઘેરાયેલા જિયા ખાનની મૌતમાં એક નવો વળાંક આવ્યો છે. સોમવારે બોમ્બે હાઇકોર્ટ સમક્ષ સીબીઆઇએ પોતાનો રિપોર્ટ રજૂ કર્યો. આ રિપોર્ટમાં જિયા ખાનના મર્ડરની વાતને નકારી કાઢવામાં આવી છે. સીબીઆઇએ તેને આત્મહત્યાનો મામલો ગણાવ્યો છે.
14 વર્ષની ઉંમરે લંડનમાં થયો હતો જિયા ખાનનો ગર્ભપાત...
ફરી એકવાર અભિનેત્રી જિયા ખાનના મોત પર પ્રશ્નો ઉભા થઇ રહ્યાં છે. જિયા ખાનની માતાના વકીલ દિનેશ તિવારીનું કહેવું છે કે તેમને લાગે છે કે જિયાની કોઇએ હત્યા કરી છે અને તેને આત્મહત્યાનું રૂપ આપવાનો પ્રયત્ન કર્યો છે. રાબિયા ખાન અને તેમના વકીલ દિનેશ તિવારીના પૂરા પ્રયત્નો છે કે જિયા ખાનની લાશને ફરીથી નિકાળવામાં આવે જેથી તેનું ફરીથી પોસ્ટમોર્ટમ થઇ શકે. જિયા ખાનના વકીલ અને રાબિયા ખાન પહેલાં પણ કહ્યું કે જિયાના શરીર પર પહેલાં પર ઘણી ઇજાના નિશાન હતા પરંતુ પોલીસે આ વાતને નજર અંદાજ કરી દિધી.
દિનેશ તિવારીએ તો પોલીસ પર આરોપ લગાવ્યો હતો કે તે કોઇના દબાણમાં આવીને જિયા ખાનના મોતની તપાસ કરી રહી નથી અને જાણીજોઇને પુરાવાઓને નજરઅંદાજ કરી રહી છે. ફોરેન્સિક રિપોર્ટ બે મહિના પહેલાં જ આવી ગયો હતો પરંતુ પોલીસે તેના વિશે વાત કરી ન હતી.