ટાગોર અને ભાભી કાદંબરી દેવીના સંબંધો વિશે બનશે ફિલ્મ
મુંબઈ, 10 ડિસેમ્બર : ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરના જીવનના અનેક રસપ્રદ પાસાઓ અંગે દુનિયા અજાણ છે. તેવા પાસાઓમાં જ એક છે ગુરુદેવ અને તેમના ભાભી કાદંબરી દેવી વચ્ચેનો વિવાદાસ્પદ સંબંધ. આ સંબંધ ઉપર હવે ફિલ્મ બની રહી છે અને રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત ફિલ્મ દિગ્દર્શક સુમન ઘોષ આ ફિલ્મ બનાવી રહ્યાં છે. સુમન ટાગોર-કાદંબરીના સંબંધની સત્યતા રૂપેરી પડદે રજૂ કરવાનો પ્રયત્ન કરનાર છે.
આ અગાઉ દિગ્દર્શક સંગીતા દત્તે આ મહાન કવિની 150મી જન્મજયંતીએ તેમના જીવન પર ફિલ્મ બનાવવાની યોજના બનાવી હતી. સંગીતાની પ્રથમ ફિલ્મ લાઇફ ગોઝ ઑન 25મી માર્ચે ભારતમાં રિલીઝ થઈ હતી. દત્તા કહે છે - રવીન્દ્રનાથ ટાગોરના જીવન પર આધારિત જે યોજના પર કામ કરી રહી છું, તે ઘણી પ્રેરક છે. મારૂ માનવું છે કે હજી આ અંગે વધુ કંઈ કહેવું ઉતાવળિયું ગણાશે. આ ફિલ્મમાં તેમના જીવનનો એક નાનકડો અંશ હશે. ટાગોરે ઇંગ્લૅન્ડ ખાતે જે સમય પસાર કર્યો, તેની ઉપર ઘણુ બધુ કહી શકાય છે.